Wednesday, March 11, 2026

AMC એ કર્યું બુદ્ધિનું પ્રદર્શન, રોડ સાંકડો ને ફૂટપાથ મોટી, ભાજપના સત્તાધીશોએ આખરે કામગીરી બંધ કરાવી

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ની વિચાર્યા વિનાની કામગીરી એકવાર ફરી ચર્ચાના કેન્દ્રમાં છે. શહેરના વ્યસ્ત રહેતા એવા CG રોડ પર ચાલી રહેલી રોડ-ફૂટપાથની કામગીરી દરમિયાન ગંભીર બેદરકારી સામે આવી છે. 18 મીટર પહોળો રોડ અડધા રસ્તામાં જ ફૂટપાથ બનાવી દેવાથી હવે 18 મીટર પહોળો રસ્તો માત્ર 9 મીટરનો રહી ગયો છે. જેને લઈને ભાજપના પદાધિકારીઓ દ્વારા રોડ બનાવવાની કામગીરીને બંધ કરાવવામાં આવી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, નવરંગપુરા વિસ્તારમાં સરદાર પટેલ સેવા સમાજ પાસે CG રોડ પર ગિરીશ કોલડ્રિન્ક પાછળ ચાલી રહેલી કામગીરીમાં કોન્ટ્રાક્ટરે 9 મીટરના રોડ પર 3.5 મીટર પહોળી ફૂટપાથ ઊભી કરાતા રસ્તો સાંકડો થઈ ગયો છે. પરિણામે વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને ટ્રાફિક જામની સમસ્યા ઉદભવે એવા રોડ બનાવવાની કામગીરી કરતા ભાજપના પદાધિકારીઓ દ્વારા રોડ બનાવવાની કામગીરીને બંધ કરાવવામાં આવી છે. આ સમગ્ર મામલે કમિશનર અને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને સ્થળ પર નિરીક્ષણ કરી હયાત રોડ પર ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તેને લઈ કામગીરી કરવા સૂચના આપી છે.

અમદાવાદમાં ગિરીશ કોલ્ડ્રીંક્સથી મીઠાખળી જવાના રોડ પર તૈયાર થઇ રહેલા ફૂટપાથને મોટો બનાવી દેતા રોડ પર ભારે ટ્રાફિકની સમસ્યા સર્જાય છે. ત્યારે આ બાબત સત્તાધીશોના ધ્યાને આવતા તેઓ ખુદ ઘટના સ્થળે પહોંચી ગયેલા. કારણ કે 9 મીટરના રોડ પર 3.5 મીટરની ફૂટપાથ બનાવી દેતા રોડ સાવ સાંકડો થઈ ગયો છે. જેના લીધે લોકોને ભારે હાલાકી પડી રહી છે.

શહેરમાં અનેક જગ્યાએ રોડ પ્રોજેક્ટ વિભાગ દ્વારા કામગીરી કરવામાં આવે છે જેમાં કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓ દ્વારા કામગીરી થતી હોય છે. ભાજપના નેતાઓ દ્વારા રોડ કમિટીમાં રોડ મંજૂર કરાવી દેવામાં આવે છે, પરંતુ ત્યારબાદ કેવો રોડ બનશે તે અંગે કોઈ યોગ્ય ચકાસણી થતી નથી. ભાજપના નેતાઓએ પ્રોજેક્ટ વિભાગ દ્વારા જે રોડ બનાવવાની કામગીરી કરવામાં આવી રહી છે તેના ઉપર બ્રેક લગાવી દીધી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...