Sunday, January 25, 2026

અમદાવાદ સિવિલ હોસ્પિટલની આંતરરાષ્ટ્રીય સિદ્ધિ, બાળ યુરોલોજી પર વિશ્વસ્તરીય પુસ્તક પ્રકાશિત

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ સિવિલ હોસ્પિટલના પીડિયાટ્રિક સર્જરી વિભાગના વડા ડો. રાકેશ જોષી અને અમેરિકાની સીનસીનાટી ચિલ્ડ્રન હોસ્પિટલના વિશ્વખ્યાત પીડિયાટ્રિક યુરોલોજિસ્ટ ડો. અસીમ શુક્લાએ બાળકોમાં જોવા મળતી જટિલ જન્મજાત બીમારીઓ, ખાસ કરીને બ્લેડર એક્સટ્રોફી અને પેશાબ માર્ગની અન્ય જટિલ સર્જિકલ સમસ્યાઓ પર એક અત્યંત ઉપયોગી પુસ્તક તૈયાર કરી પ્રકાશિત કર્યું છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલ નામે એક મોટી આંતરરાષ્ટ્રીય સિદ્ધિ છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદ સિવિલ હોસ્પિટલના ડો. રાકેશ જોષી અને અમેરિકાના ડો. અસીમ શુક્લા દ્વારા પ્રકાશિત બાળ યુરોલોજી પર વિશ્વસ્તરીય પુસ્તક પ્રકાશિત આ 150 પાનાનું પુસ્તક 18 વર્ષના લાંબા બ્લેડર એક્સટ્રોફી વર્કશોપના અનુભવોના નિચોડ પર આધારિત છે. પુસ્તકમાં ઓપરેશન બાદનો દુખાવો ઘટાડવા, દર્દીને ઓછામાં ઓછું હોસ્પિટલમાં રોકાવું પડે અને કોસ્મેટિક રીતે પણ બાળકનો દેખાવ સુધરે તેવી નવીન સર્જિકલ ટેકનીકોની વિગતો આપવામાં આવી છે, જે વિશ્વભરના બાળ યુરોલોજિસ્ટો માટે વિશેષ છે.

સિવિલ હોસ્પિટલમાં છેલ્લા 18 વર્ષથી આંતરરાષ્ટ્રીય નિષ્ણાતોની ટીમ સાથે ચાલતા આ વર્કશોપની સફળતા અને વિશ્વભરમાંથી મળેલા પ્રતિસાદને ધ્યાનમાં રાખીને આ પુસ્તક તૈયાર કરવામાં આવ્યું છે. આ પુસ્તક નવા ઉભરતા પીડિયાટ્રિક સર્જનો અને બાળ યુરોલોજિસ્ટો માટે પથદર્શક બનશે.

પુસ્તકમાં વિશ્વભરના અગ્રણી ડોક્ટરો જેમ કે ડો. પી.પી. સાલે, પૌલ મેરગુરિયન, પ્રમોદ રેડ્ડી, દાના વેઇસ તથા ડો. અસીમ શુક્લા અને સિવિલ હોસ્પિટલના ડો. જયશ્રી રામજીના સહયોગથી ગર્ભાવસ્થા અને પ્રસૂતિ સમયે જન્મજાત ખામીઓનું નિદાન, આનુવંશિક જોખમો અને તેને સુધારવા માટેના આધુનિક સર્જિકલ અભિગમોને વિસ્તારથી આવરી લેવામાં આવ્યા છે. આ પુસ્તક 22 વર્ષ બાદ આ વિષય પર વિશ્વને મળતું વ્યાપક અને અધિકૃત સંદર્ભ ગ્રંથ છે.

ડો. રાકેશ જોષીએ જણાવ્યું કે, “આ પુસ્તક બાળકોમાં પેશાબ માર્ગની જટિલ સર્જિકલ બીમારીઓની સારવાર અને સંશોધન ક્ષેત્રે એક અત્યંત મહત્વપૂર્ણ પગલું છે. આ પુસ્તક વિશ્વભરના સર્જનોને આધુનિક સારવાર પદ્ધતિઓથી માહિતગાર કરશે અને અનેક બાળકોના જીવનને સુધારવામાં મદદ કરશે.”આ પુસ્તક પીડિયાટ્રિક યુરોલોજી અને સર્જરી ક્ષેત્રે ભારતના નામને વધુ ઉજાગર કરશે અને વૈશ્વિક સ્તરે બાળકોની જટિલ સારવારમાં મહત્વનું યોગદાન આપશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...