Monday, January 26, 2026

અમદાવાદમાં હિટ એન્ડ રનની જીવલેણ ઘટના : અંજલીબ્રિજ ઉપર બાઇકને ટક્કર મારતા યુવકનું ઘટના સ્થળે મોત

spot_img
Share

અમદાવાદ : વાસણા વિસ્તારમાં હિટ એન્ડ રનનો બનાવ બન્યો હતો.જેમાં અંજલિ બ્રિજ પર હિટ એન્ડ રનની ઘટનામાં લગ્ન પ્રસંગ પૂર્ણ કરી ઘરે જઈ રહેલા 22 વર્ષીય ટુવ્હીલર ચાલકને એક વાહને અડફેટે લેતા ટુવ્હીલર ચાલકનું મોત નીપજ્યું હતું.આ બનાવ અંગે ટ્રાફિક પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છેે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, ધોળકાના જકાતનાકા પાસે રહેતા આધેડે ટ્રાફિક એન ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અજાણ્યા વાહન ચાલક ફરિયાદ નોંધાવી છે કે તેમનો પુત્ર કરન ભીલ (22) તા.24 ના બપોરે તેના શેઠનું બાઇક લઈને વાડજ ખાતે સંબંધી ત્યાં લગ્ન પ્રસંગમાં ગયો હતો.ત્યારબાદ કાલે વહેલી સવારે અંજલીબ્રીજ થઈ વાસણા તરફ જઇ રહ્યો હતો. આ સમયે બ્રિજ ઉપર કોઈ અજાણ્યા વાહન ચાલકે તેના બાઇકને ટક્કર મારી હતી. જેથી રસ્તા ઉપર પટકાતા માથા સહિત શરીરે ગંભીર રીતે ઇજા થતાં સ્થળ ઉપર મોત થયું હતું. જ્યારે અકસ્માત બાદ વાહન ચાલક ત્યાંથી ભાગી ગયો હતો.

શહેરમાં નાના-મોટા 92થી વધુ ઓવરબ્રિજ છે, ઈસ્કોનકાંડ બાદ તમામ બ્રિજ પર કેમેરા લગાવવાનો આદેશ કરાયો હતો. જેથી મ્યુનિ. દ્વારા 70 બ્રિજ પર કેમેરા લગાવ્યા હોવાનો દાવો કર્યો હતો. પરંતુ વાસ્તવમાં માત્ર 40 બ્રિજ પર જ કેમેરા લાઈવ છે બાકીના 30 બ્રિજ પર કેમેરા તો છે પણ ઈન્ટરનેટ કે પાવર વગર તે ડેડ હાલતમાં થઈ ગયા છે. જ્યારે બાકીના 22 બ્રિજ પર તો કેમેરા લગાવ્યા જ નથી.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...