Tuesday, January 27, 2026

અમદાવાદના આ બ્રિજ પર વિચિત્ર અકસ્માત, લોખંડના સળીયા કાચ ચીરીને અંદર ઘૂસી ગયા, જુઓ Video

spot_img
Share

અમદાવાદ : શહેરના પૂર્વ વિસ્તારના પ્રવેશદ્વાર સમાન ગણાતા વ્યસ્ત કેડિલા બ્રિજ પર આજે રુંવાટા ઉભા કરી દે તેવા અકસ્માતની ઘટના સામે આવી છે. શહેરમાં કેડિલા બ્રિજ પર સવારના સમયે એક અસામાન્ય અકસ્માતની ઘટના સામે આવી, જેમાં એકસાથે ત્રણ વાહનો વચ્ચે અકસ્માત સર્જાયો છે. અચાનક બનેલી આ ઘટનાએ બ્રિજ પર થોડા સમય માટે અફરાતફરીનું વાતાવરણ સર્જ્યું હતું. જો કે, સદનસીબે આ અકસ્માતમાં કોઈ વ્યક્તિને ગંભીર ઇજા કે જાનહાનિ થવાની ઘટના બની નથી.

પ્રાપ્ત માહિતી મુજબ, કેડિલા બ્રિજ પર ટ્રાફિક વચ્ચે પસાર થઈ રહેલી સળીયા ભરેલી પીકઅપ વાને અચાનક બ્રેક મારી હતી. આ દરમિયાન પાછળ પૂરપાટ ઝડપે આવી રહેલી કાર પીકઅપ વાન સાથે ધડાકાભેર અથડાઈ હતી. ટક્કર એટલી પ્રચંડ હતી કે પીકઅપમાં ભરેલા અણીદાર લોખંડના સળીયા કારના વિન્ડશીલ્ડ (આગળના કાચ) ને કાગળની જેમ ચીરીને સીધા સીટ સુધી ઘૂસી ગયા હતા.પીકઅપ વાનમાં યોગ્ય રીતે બંધાણ ન કરાયેલા સળીયાં કારના પાછળના ભાગને તોડી અંદર સુધી પ્રવેશી ગયા, જેના કારણે કારને ભારે નુકસાન પહોંચ્યું. કારમાં સવાર લોકો માટે આ સીધા મોતના મુખમાં જવાની સ્થિતિ હતી.

અકસ્માતના જે ફોટા અને વીડિયો સામે આવ્યા છે તેમાં જોઈ શકાય છે કે સળીયા ડ્રાઈવરની સીટની બિલકુલ બાજુમાંથી પસાર થઈ ગયા હતા. જો સળીયા થોડા પણ ત્રાંસા હોત તો કાર ચાલક કે સવાર વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હોત. ઘટનાસ્થળે હાજર લોકો પણ આ દ્રશ્ય જોઈને સ્તબ્ધ થઈ ગયા હતા. ઉલ્લેખનીય છે કે આટલા ગંભીર અકસ્માત બાદ પણ માત્ર કાર ચાલક અને સવારને સામાન્ય ઈજાઓ જ થઈ છે અને કોઈ જાનહાનિ થઈ નથી.

આ અકસ્માતને પગલે કેડિલા બ્રિજ પર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો. પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચીને વાહનોને ખસેડવાની કામગીરી હાથ ધરી હતી. આ ઘટનાએ ફરી એકવાર માલવાહક વાહનોમાં જોખમી રીતે લોખંડના સળીયા લટકાવીને ચાલતા ચાલકો અને તેમની સામે લેવાતા પગલાં પર સવાલો ઉભા કર્યા છે. નિયમ મુજબ વાહનની બહાર સળીયા નીકળતા હોય ત્યારે પાછળ લાલ કપડું કે અન્ય ચેતવણી હોવી જરૂરી છે, જેનો અભાવ ઘણીવાર આવા અકસ્માતો નોતરે છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...