Saturday, January 31, 2026

AMC ફરી વિવાદોમાં, પ્રહલાદનગરનું આખું મલ્ટીલેવલ પાર્કિંગ વેચવા કાઢ્યું, 350 કરોડમાં વેચી મારશે

spot_img
Share

અમદાવાદ: અમદાવાદ મહાનગરપાલિકા (AMC) પોતાની અણઘડ નીતિઓને કારણે ફરી એકવાર વિવાદોમાં સપડાઈ છે. શહેરના પોશ એવા પ્રહલાદનગર વિસ્તારમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 93 કરોડથી વધુના ખર્ચે બનાવેલા મલ્ટીલેવલ પાર્કિંગ કમ કોમ્પ્લેક્સને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વેચવા કાઢવામાં આવ્યું છે.તંત્રના આ નિર્ણયને લઈને શહેરીજનોમાં ભારે આશ્ચર્ય અને રોષ જોવા મળી રહ્યો છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, શહેરના પોશ વિસ્તાર એવા પ્રહલાદનગર ચાર રસ્તા પાસે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 93 કરોડથી વધુના ખર્ચે મલ્ટીલેવલ પાર્કિંગ બનાવવામાં આવ્યું હતું. જોકે, બે વર્ષ પહેલાં બનેલા આ મલ્ટીલેવલ પાર્કિંગ સતત ખાલી રહેતું હતું. મલ્ટીલેવલ પાર્કિંગમાં 2થી 4 માળ પાર્કિંગ માટે અને તેથી ઉપરના તમામ ફ્લોરને ઓફિસો માટે ગ્રાઉન્ડ ફ્લોરમાં દુકાનો માટે વેચાણ કરવાનો નિર્ણય કરાયો હતો.

તે બાદ પણ બે વખત જાહેર હરાજી કરવામાં આવી હોવા છતાં કોઇ ખરીદાર મળ્યો ન હતો. કુલ ચાર વખત પ્રહલાદ નગર મલ્ટીલેવલ પાર્કિંગમાં આવેલા પાંચમા માળથી આઠમા માળ અને ગ્રાઉન્ડ ફ્લોર સહિતની દુકાનોને વેચવા માટે જાહેરાત કરવા છતાં કોઈએ રસ ના દાખવતા આખરે મ્યુનિસિપલ કોર્પોરેશનએ પાર્કિંગ સહિતની તમામ જગ્યા વેચવા માટે તૈયારી દર્શાવી છે. આ જગ્યા 349.69 કરોડમાં વેચાણ માટે મુકી છે.

AMC દ્વારા આશરે 93 કરોડ રૂપિયાના માતબર ખર્ચે પ્રહલાદનગર ખાતે આધુનિક મલ્ટીલેવલ કાર પાર્કિંગ તૈયાર કરવામાં આવ્યું હતું. જોકે, આ પ્રોજેક્ટમાંથી આવક મેળવવામાં નિષ્ફળ ગયેલું તંત્ર હવે તેને ટેન્ડર પદ્ધતિથી વેચવા જઈ રહ્યું છે. આ માટેની દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂરી અર્થે મૂકવામાં આવી છે.

શહેરમાં પાર્કિંગની ગંભીર સમસ્યા હોવા છતાં, કરોડોના ખર્ચે બનેલી સુવિધાને જાળવવાના બદલે તેને ખાનગી હાથોમાં સોંપી દેવાના નિર્ણયથી વિપક્ષ અને સામાન્ય જનતા સવાલ ઉઠાવી રહી છે. શું આ રીતે સરકારી મિલકતો વેચીને જ વહીવટ ચલાવવામાં આવશે?

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...