Saturday, January 31, 2026

નારણપુરાનું ગૌરવ: પદ્મશ્રી રતિલાલ બોરીસાગરને ભાજપ અધ્યક્ષ સહિત અગ્રણીઓએ અભિનંદન પાઠવ્યા

spot_img
Share

અમદાવાદ : ગુજરાતી સાહિત્ય જગતના મોભી અને પીઢ હાસ્યલેખક શ્રી રતિલાલ બોરીસાગરને ભારત સરકાર દ્વારા પ્રતિષ્ઠિત ‘પદ્મશ્રી’ પુરસ્કાર એનાયત કરવાની જાહેરાત કરવામાં આવી છે. સાહિત્ય અને શિક્ષણ ક્ષેત્રે તેમના અમૂલ્ય યોગદાન બદલ મળેલું આ સન્માન સમગ્ર ગુજરાત અને વિશેષતઃ નારણપુરા વિસ્તાર માટે ગૌરવની બાબત છે. આ આનંદના અવસરે ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સહિતના શીર્ષ નેતૃત્વએ શ્રી બોરીસાગરના નિવાસસ્થાને રૂબરૂ મુલાકાત લઇ અભિનંદન પાઠવ્યા હતા.

નારણપુરા વોર્ડમાં આવેલા રતિલાલ પાર્ક ખાતે આવેલ શ્રી રતિલાલ બોરીસાગરના નિવાસસ્થાને યોજાયેલી આ શુભેચ્છા મુલાકાતમાં ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, કર્ણાવતી મહાનગર ભાજપ અધ્યક્ષ શ્રી પ્રેરકભાઈ શાહ, નારણપુરા વિધાનસભાના ધારાસભ્ય શ્રી જીતુભાઈ ભગત, શહેરના ડેપ્યુટી મેયર, ગુજરાત ભાજપના પ્રવક્તા અને મીડિયા ઈન્ચાર્જ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત સ્થાનિક કાઉન્સિલરશ્રીઓ, વોર્ડ પ્રમુખ અને મહામંત્રીશ્રીઓ પણ આ ગૌરવપૂર્ણ ક્ષણના સાક્ષી બન્યા હતા.

આ મુલાકાત દરમિયાન શ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ શ્રી રતિલાલ બોરીસાગરને પુસ્તક ભેટ આપી તેમનું બહુમાન કર્યું હતું. તેમણે પોતાની લાગણી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, “શ્રી બોરીસાગરજીનું સન્માન એ સાહિત્યની નિષ્ઠાવાન સેવાનું સન્માન છે. અમે સૌ તેમના પ્રત્યે અત્યંત ગર્વની લાગણી અનુભવીએ છીએ. ઈશ્વર તેમને દીર્ઘાયુ અને ઉત્તમ સ્વાસ્થ્ય પ્રદાન કરે જેથી તેમની સર્જનાત્મક સાહિત્યયાત્રા અવિરત ચાલતી રહે.”

નારણપુરા વિધાનસભાના ધારાસભ્ય શ્રી જીતુભાઈ ભગતે આ પ્રસંગે હર્ષ વ્યક્ત કરતા કહ્યું હતું કે, “એક નારણપુરાવાસી તરીકે આપણા સૌ માટે આ ક્ષણ અતિ ગૌરવસભર છે. શ્રી બોરીસાગરજીએ પોતાના વિચારશીલ સર્જન દ્વારા સમાજને જે નવી દિશા આપી છે, તેની કદર રૂપે મળેલું આ પદ્મશ્રી સન્માન આપણા વિસ્તારની યશકલગીમાં એક નવું પીંછું છે.”

ઉલ્લેખનીય છે કે, શ્રી રતિલાલ બોરીસાગરે પોતાની આગવી હાસ્યશૈલી અને ગહન લખાણો દ્વારા ગુજરાતી સાહિત્યને સમૃદ્ધ કરવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. પદ્મશ્રી એવોર્ડની જાહેરાત બાદ તેમના નિવાસસ્થાને સાહિત્યપ્રેમીઓ અને રાજકીય અગ્રણીઓ દ્વારા અભિનંદનનો ધોધ વરસી રહ્યો છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...