Thursday, April 23, 2026

નારણપુરાનું ગૌરવ: પદ્મશ્રી રતિલાલ બોરીસાગરને ભાજપ અધ્યક્ષ સહિત અગ્રણીઓએ અભિનંદન પાઠવ્યા

spot_img
Share

અમદાવાદ : ગુજરાતી સાહિત્ય જગતના મોભી અને પીઢ હાસ્યલેખક શ્રી રતિલાલ બોરીસાગરને ભારત સરકાર દ્વારા પ્રતિષ્ઠિત ‘પદ્મશ્રી’ પુરસ્કાર એનાયત કરવાની જાહેરાત કરવામાં આવી છે. સાહિત્ય અને શિક્ષણ ક્ષેત્રે તેમના અમૂલ્ય યોગદાન બદલ મળેલું આ સન્માન સમગ્ર ગુજરાત અને વિશેષતઃ નારણપુરા વિસ્તાર માટે ગૌરવની બાબત છે. આ આનંદના અવસરે ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સહિતના શીર્ષ નેતૃત્વએ શ્રી બોરીસાગરના નિવાસસ્થાને રૂબરૂ મુલાકાત લઇ અભિનંદન પાઠવ્યા હતા.

નારણપુરા વોર્ડમાં આવેલા રતિલાલ પાર્ક ખાતે આવેલ શ્રી રતિલાલ બોરીસાગરના નિવાસસ્થાને યોજાયેલી આ શુભેચ્છા મુલાકાતમાં ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, કર્ણાવતી મહાનગર ભાજપ અધ્યક્ષ શ્રી પ્રેરકભાઈ શાહ, નારણપુરા વિધાનસભાના ધારાસભ્ય શ્રી જીતુભાઈ ભગત, શહેરના ડેપ્યુટી મેયર, ગુજરાત ભાજપના પ્રવક્તા અને મીડિયા ઈન્ચાર્જ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત સ્થાનિક કાઉન્સિલરશ્રીઓ, વોર્ડ પ્રમુખ અને મહામંત્રીશ્રીઓ પણ આ ગૌરવપૂર્ણ ક્ષણના સાક્ષી બન્યા હતા.

આ મુલાકાત દરમિયાન શ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ શ્રી રતિલાલ બોરીસાગરને પુસ્તક ભેટ આપી તેમનું બહુમાન કર્યું હતું. તેમણે પોતાની લાગણી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, “શ્રી બોરીસાગરજીનું સન્માન એ સાહિત્યની નિષ્ઠાવાન સેવાનું સન્માન છે. અમે સૌ તેમના પ્રત્યે અત્યંત ગર્વની લાગણી અનુભવીએ છીએ. ઈશ્વર તેમને દીર્ઘાયુ અને ઉત્તમ સ્વાસ્થ્ય પ્રદાન કરે જેથી તેમની સર્જનાત્મક સાહિત્યયાત્રા અવિરત ચાલતી રહે.”

નારણપુરા વિધાનસભાના ધારાસભ્ય શ્રી જીતુભાઈ ભગતે આ પ્રસંગે હર્ષ વ્યક્ત કરતા કહ્યું હતું કે, “એક નારણપુરાવાસી તરીકે આપણા સૌ માટે આ ક્ષણ અતિ ગૌરવસભર છે. શ્રી બોરીસાગરજીએ પોતાના વિચારશીલ સર્જન દ્વારા સમાજને જે નવી દિશા આપી છે, તેની કદર રૂપે મળેલું આ પદ્મશ્રી સન્માન આપણા વિસ્તારની યશકલગીમાં એક નવું પીંછું છે.”

ઉલ્લેખનીય છે કે, શ્રી રતિલાલ બોરીસાગરે પોતાની આગવી હાસ્યશૈલી અને ગહન લખાણો દ્વારા ગુજરાતી સાહિત્યને સમૃદ્ધ કરવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. પદ્મશ્રી એવોર્ડની જાહેરાત બાદ તેમના નિવાસસ્થાને સાહિત્યપ્રેમીઓ અને રાજકીય અગ્રણીઓ દ્વારા અભિનંદનનો ધોધ વરસી રહ્યો છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...