Friday, September 18, 2026

નારણપુરાનું ગૌરવ: પદ્મશ્રી રતિલાલ બોરીસાગરને ભાજપ અધ્યક્ષ સહિત અગ્રણીઓએ અભિનંદન પાઠવ્યા

spot_img
Share

અમદાવાદ : ગુજરાતી સાહિત્ય જગતના મોભી અને પીઢ હાસ્યલેખક શ્રી રતિલાલ બોરીસાગરને ભારત સરકાર દ્વારા પ્રતિષ્ઠિત ‘પદ્મશ્રી’ પુરસ્કાર એનાયત કરવાની જાહેરાત કરવામાં આવી છે. સાહિત્ય અને શિક્ષણ ક્ષેત્રે તેમના અમૂલ્ય યોગદાન બદલ મળેલું આ સન્માન સમગ્ર ગુજરાત અને વિશેષતઃ નારણપુરા વિસ્તાર માટે ગૌરવની બાબત છે. આ આનંદના અવસરે ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સહિતના શીર્ષ નેતૃત્વએ શ્રી બોરીસાગરના નિવાસસ્થાને રૂબરૂ મુલાકાત લઇ અભિનંદન પાઠવ્યા હતા.

નારણપુરા વોર્ડમાં આવેલા રતિલાલ પાર્ક ખાતે આવેલ શ્રી રતિલાલ બોરીસાગરના નિવાસસ્થાને યોજાયેલી આ શુભેચ્છા મુલાકાતમાં ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, કર્ણાવતી મહાનગર ભાજપ અધ્યક્ષ શ્રી પ્રેરકભાઈ શાહ, નારણપુરા વિધાનસભાના ધારાસભ્ય શ્રી જીતુભાઈ ભગત, શહેરના ડેપ્યુટી મેયર, ગુજરાત ભાજપના પ્રવક્તા અને મીડિયા ઈન્ચાર્જ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત સ્થાનિક કાઉન્સિલરશ્રીઓ, વોર્ડ પ્રમુખ અને મહામંત્રીશ્રીઓ પણ આ ગૌરવપૂર્ણ ક્ષણના સાક્ષી બન્યા હતા.

આ મુલાકાત દરમિયાન શ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ શ્રી રતિલાલ બોરીસાગરને પુસ્તક ભેટ આપી તેમનું બહુમાન કર્યું હતું. તેમણે પોતાની લાગણી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, “શ્રી બોરીસાગરજીનું સન્માન એ સાહિત્યની નિષ્ઠાવાન સેવાનું સન્માન છે. અમે સૌ તેમના પ્રત્યે અત્યંત ગર્વની લાગણી અનુભવીએ છીએ. ઈશ્વર તેમને દીર્ઘાયુ અને ઉત્તમ સ્વાસ્થ્ય પ્રદાન કરે જેથી તેમની સર્જનાત્મક સાહિત્યયાત્રા અવિરત ચાલતી રહે.”

નારણપુરા વિધાનસભાના ધારાસભ્ય શ્રી જીતુભાઈ ભગતે આ પ્રસંગે હર્ષ વ્યક્ત કરતા કહ્યું હતું કે, “એક નારણપુરાવાસી તરીકે આપણા સૌ માટે આ ક્ષણ અતિ ગૌરવસભર છે. શ્રી બોરીસાગરજીએ પોતાના વિચારશીલ સર્જન દ્વારા સમાજને જે નવી દિશા આપી છે, તેની કદર રૂપે મળેલું આ પદ્મશ્રી સન્માન આપણા વિસ્તારની યશકલગીમાં એક નવું પીંછું છે.”

ઉલ્લેખનીય છે કે, શ્રી રતિલાલ બોરીસાગરે પોતાની આગવી હાસ્યશૈલી અને ગહન લખાણો દ્વારા ગુજરાતી સાહિત્યને સમૃદ્ધ કરવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. પદ્મશ્રી એવોર્ડની જાહેરાત બાદ તેમના નિવાસસ્થાને સાહિત્યપ્રેમીઓ અને રાજકીય અગ્રણીઓ દ્વારા અભિનંદનનો ધોધ વરસી રહ્યો છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...