Saturday, January 31, 2026

અમદાવાદમાં AMTS બસો ટૂંક સમયમાં સાબરમતી રિવરફ્રન્ટના બંને કાંઠે દોડશે

spot_img
Share

અમદાવાદ : મોટી સંખ્યામાં બહાર ગામથી લોકો રિવરફ્રન્ટ જોવા આવતાં હોય છે. હાલમાં રિવરફ્રન્ટ પર રિક્ષા માટે પ્રતિબંધ છે. ઉપરાંત એએમટીએસની બસ રિવરફ્રન્ટના રૂટ પર આવતી ન હોવાથી લોકોને આશ્રમ રોડથી અંદરની તરફ આવવું પડે છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) એ ગુરુવારે જણાવ્યું હતું કે તેની જાહેર પરિવહન બસો ટૂંક સમયમાં પૂર્વ અને પશ્ચિમ બંને કાંઠે દોડશે.હાલમાં આ રોડ પર માત્ર ખાનગી દ્વિચક્રી અને ફોર-વ્હીલર વાહનોને જ અવરજવરની છૂટ છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ દ્વારા વર્ષ 2026-27 માટે રજૂ કરવામાં આવેલા ₹991 કરોડના ડ્રાફ્ટ બજેટમાં ગુરુવારે જાહેરાત કરવામાં આવી હતી કે, સાબરમતી રિવરફ્રન્ટના બંને કાંઠે ટૂંક સમયમાં ઈલેક્ટ્રિક AC બસો દોડાવવામાં આવશે. બસ સર્વિસ શરૂ થયા પછી રિવરફ્રન્ટ આવતાં લોકોને લાબું ચાલવું નહીં.જોકે, આ સર્વિસ ક્યારથી શરૂ થશે તેની કોઈ ચોક્કસ સમયમર્યાદા જણાવવામાં આવી નથી.

હાલમાં રજુ કરવામાં આવેલ બજેટમાં અમદાવાદમાં વર્ષ 2030 સુધીમાં AMTSના કાફલાની તમામ બસોને AC અને ઈલેક્ટ્રિક બનાવવાનું મહત્વાકાંક્ષી લક્ષ્ય રાખવામાં આવ્યું છે. શહેરમાં ટ્રાફિકનું ભારણ ઘટાડવા અને પરિવહન વ્યવસ્થાને વધુ સુદ્રઢ બનાવવા માટે 4 નવા મલ્ટીમોડેલ હબ બનાવવાનો નિર્ણય લેવાયો હતો. આ હબ રિંગ રોડની બહારની સાઈડ અને શહેરની ચારેય દિશામાં બનાવવામાં આવશે. જેથી મુસાફરોને મેટ્રો, BRTS અને GSRTC સાથે સરળ કનેક્ટિવિટી મળી રહેશે.

બજેટમાં ડ્રાઈવરો માટે ખાસ ટ્રેનિંગ સેન્ટર બનાવવાની અને ઓન-રોડ બસોની સંખ્યા વધારીને મુસાફરોની પ્રતીક્ષા અવધિ ઘટાડવાની પણ જોગવાઈ કરવામાં આવી છે. મહત્ત્વનું છે કે, હાલમાં દરરોજ અંદાજે 5.5 લાખ મુસાફરો AMTSનો લાભ લઈ રહ્યા છે, જે આંકડો આગામી સમયમાં વધારવાનું લક્ષ્ય છે.

 

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...