Saturday, January 31, 2026

સેટેલાઇટમાં ડૉક્ટરના બંગલામાં 1.47 કરોડની ચોરીનો ભેદ ઉકેલાયો, તસ્કરોએ CCTV કેમેરાનું DVR નદીમાં ફેંકી દીધું

spot_img
Share

અમદાવાદ : શહેરના પોશ ગણાતા સેટેલાઇટ વિસ્તારની માણેકબાગ સોસાયટીમાં ગત ઉત્તરાયણ દરમિયાન થયેલી કરોડોની ચોરીનો ભેદ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઉકેલી નાખ્યો છે. રીઢા ગુનેગાર કમલેશ ઉર્ફે ગૂગો પરમાર અને મેહુલ પરમારની ધરપકડ કરી પોલીસે ચોરીનો તમામ મુદ્દામાલ રિકવર કર્યો છે.પકડાયેલા તસ્કરો પૈકી એક શખસ વિરુદ્ધ અગાઉ શહેરના વિવિધ પોલીસ મથકોમાં અનેક ગુના નોંધાયેલા છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, શહેરના માણેકબાગ સોસાયટીમાં રહેતા જાણીતા ડૉક્ટર અને તેમનો પરિવાર મકરસંક્રાંતિના તહેવાર નિમિત્તે 16 જાન્યુઆરીના રોજ દુબઈ ફરવા ગયો હતો. આ બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. આરોપીઓ રિક્ષા લઈને આવ્યા હતા અને આશરે એકથી દોઢ કલાક સુધી ઘરમાં રહીને સેફ લોકર તોડ્યું હતું. લોકરમાંથી 203.5 તોલા સોનાના દાગીના, ડાયમંડના ઘરેણાં અને 45 લાખ રોકડ મળી કુલ 1.47 કરોડની મતાની ચોરી કરી હતી.

ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઘટનાની ગંભીરતા જોતા ક્રાઈમ બ્રાન્ચે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી તપાસ હાથ ધરી હતી.સેટેલાઈટ અને આસપાસના વિસ્તારના સેંકડો CCTV ફૂટેજ તપાસ્યા હતા. શંકાસ્પદ હિલચાલ અને રીઢા ગુનેગારોની પ્રોફાઈલ મેચ થતા પોલીસે બાતમીદારોને સક્રિય કર્યા હતા, જેના આધારે બે શખસોની ધરપકડ કરવામાં આવી હતી.

શાતિર તસ્કરોએ ઓળખ છુપાવવા માટે ઘરના સીસીટીવી કેમેરાનું DVR (ડિજિટલ વિડિયો રેકોર્ડર) પણ ચોરી લીધું હતું અને બાદમાં તેને સાબરમતી નદીમાં ફેંકી દીધું હતું.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...