Saturday, January 31, 2026

અમદાવાદના આ વિસ્તારોમાં AMCને વધુ પાણી આપવા મંજૂરી, નર્મદાનું પીવાનું પાણી અપાશે

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ શહેરના નાગરિકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. દૈનિક 467 MLD જેટલું નર્મદાનું પાણી વધારે મળશે. હાલમાં શહેરમાં દૈનિક 1600 MLD પાણી મળી રહ્યું છે. સૌથી વધુ પશ્ચિમ વિસ્તારમાં રીંગ રોડની આસપાસ વૈષ્ણોદેવી, એસ.જી. હાઇ-વે સહિતના પાણીનો જથ્થો વધુ મળી રહેશે.હાલ અમદાવાદ શહેરને દૈનિક અંદાજે 1600 MLD નર્મદાનું પાણી મળી રહ્યું છે, જેમાં હવે વધારાનો જથ્થો ઉમેરાતા પાણી પુરવઠામાં વધારો થશે.

સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે અમદાવાદમાં દિન પ્રતિદિન વસ્તીમાં વધારો થઈ રહ્યો છે. શહેરના પશ્ચિમ વિસ્તારમાં રિંગ રોડની આસપાસમાં રહેણાંક અને કોમર્શિયલ વિસ્તારો બની રહ્યા છે. નાગરિકોને પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે તેના માટે નર્મદા નિગમ પાસે પાણી માંગવામાં આવ્યું હતું. કેન્દ્રીય ગૃહ મંત્રી સમક્ષ પણ આ બાબતે રજૂઆત કરવામાં આવી હતી જેના માટે હવે નર્મદાનું પાણી વધારે મળશે. દૈનિક 467 MLD જેટલું પાણી વધારાનું મળશે.

વધુ પાણીનો જથ્થો મળતાની સાથે જ AMC દ્વારા શહેરીજનોને દૈનિક પાણી પુરવઠો વધારવામાં આવશે. ખાસ કરીને પશ્ચિમ વિસ્તારમાં રિંગ રોડ આસપાસ ગોતા, ચાંદખેડા, વૈષ્ણોદેવી, શીલજ, બોપલ અને ઘુમા જેવા વિસ્તારોમાં નર્મદાના પાણી માટે લોકો લાંબા સમયથી હાલાકી ભોગવી રહ્યા હતા. હવે આ વિસ્તારો સહિત AMCમાં નવા ભળેલા વિસ્તારોને પણ પૂરતું પાણી મળવાની શક્યતા વધી છે.

AMC અધિકારીઓના જણાવ્યા અનુસાર, વધારાના પાણીના વિતરણ માટે જરૂરી તકનીકી વ્યવસ્થા અને આયોજન કરવામાં આવી રહ્યું છે, જેથી તમામ વિસ્તારોમાં સમાન રીતે પાણી પહોંચાડી શકાય. આ નિર્ણયથી ઉનાળાના દિવસોમાં પાણીની સમસ્યા ઘણી હદ સુધી ઘટશે અને શહેરવાસીઓને મોટી રાહત મળશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...