Saturday, January 31, 2026

રાણીપમાં હિટ એન્ડ રન : કારની ટક્કરે એક્ટિવા સવાર દંપતિ ફંગોળાયું, બ્રિજ નીચે પટકાતા પતિનું મોત, પત્ની ઈજાગ્રસ્ત

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં ફરી એકવાર હિટ એન્ડ રનનો હચમચાવી દેતો બનાવ બન્યો છે. અમદાવાદના રાણીપ વિસ્તારમાં રાતે એક્ટિવા પર જઈ રહેલા દંપતીને એક કારચાલકે ટક્કર મારી હતી, અને ત્યાંથી ફરાર થઈ ગયો હતો. જેમાં પતિનું કમકમાટીભર્યુ મોત નિપજ્યું છે, તો પત્નીને ગંભીર ઈજાઓ થતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાઈ છે. બનાવ અંગે એલ ડિવિઝન પોલીસે કારચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, રાત્રે 11:30 વાગ્યાની આસપાસ ચાંદખેડામાં જનતાનગરમાં આવાસ યોજનાના મકાનમાં રહેતો કિશન વછેટા નામનો 28 વર્ષનો યુવક પત્ની કોમલ સાથે બલોલનગરથી ન્યૂ રાણીપ થઈ ચાંદખેડા તરફ જતો હતો. આ દરમિયાન બલોલનગરબ્રિજ પર કિશનના એક્ટિવાને એક ફોર-વ્હીલરચાલકે પૂરઝડપે ટક્કર મારી હતી.આ અકસ્માત એટલો ભયાનક હતો કે, કારની ટક્કર બાદ પતિ બ્રિજ પરથી સીધો નીચે પટકાયો હતો.અકસ્માત બાદ વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

જ્યારે કિશનનાં પત્ની કોમલને કમરના ભાગે ઇજા થઈ હતી. બ્રિજ પરથી નીચે પટકાવાને કારણે કિશનને માથા અને શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી, જેથી તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જોકે સારવાર દરમિયાન કિશનનું મોત થયું છે. આ બનાવ અંગે એલ ડિવિઝન ટ્રાફિક-પોલીસે કારચાલક વિરુદ્ધ ગુનો તપાસ શરૂ કરી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...