Tuesday, February 3, 2026

અમદાવાદમાં આ વર્ષે ફ્લાવર શો પાછળ 17 કરોડ ખર્ચ સામે આવક માત્ર 11 કરોડ, ફ્લોપ શો ?

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના સાબરમતી રિવરફ્રન્ટ પર આંતરરાષ્ટ્રીય ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું હતું. 1 જાન્યુઆરીથી 29 જાન્યુઆરી સુધી ફ્લાવર શો યોજવામાં આવ્યો હતો જેમાં ગત વર્ષ કરતાં ચાલુ વર્ષે 2 જેટલા મુલાકાતઓ ઓછા આવ્યા હતા. જેથી, ફ્લાવર શો ફ્લોપ શો બની ગયો હતો.આ વખતનો 29 દિવસનો અત્યાર સુધીનો સૌથી લાંબો ફ્લાવર શો જાણે કે ફ્લોપ રહ્યો હોય તેમ ગત વર્ષની તુલનાએ બે લાખ મુલાકાતી ઘટ્યાં છે. તંત્રએ દિવસો વધારી દીધા હોવા છતાં ફ્લાવર શોને લોકોનો નબળો પ્રતિસાદ મળ્યો હતો.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પહેલી જાન્યુઆરીએ શરૂ થયેલો ફ્લાવર શો 29 જાન્યુઆરી સુધી ચાલ્યો હતો. સતત બે વખત તેની સમયમર્યાદા લંબાવાઈ હોવા છતાં આવકના આંકડા ચોંકવનારા છે. ફલાવર શોમાં 17 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો જેની સામે 11.61 કરોડની આવક થવા પામી હતી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને ટિકિટથી આ ફ્લાવર શોની 8.41 કરોડ રૂપિયાની આવક થઈ હતી. જ્યારે સ્ટોલમાંથી 1.27 કરોડની આવક થઈ હતી. આ વર્ષે ફ્લાવર શોમાં 10.81 લાખ લોકો ઉમટી પડ્યા હતાં. આ વર્ષે વૃક્ષના રોપા મહાનગર પાલિકા દ્વારા વેચાણ અર્થે નહીં આપવામાં આવે. ફ્લાવર શોમાં મુકાયેલા રોપા AMCના બગીચામાં મુકવામાં આવશે.

જેથી, ફ્લાવર શો ફ્લોપ શો સાબિત થયો હતો. ફ્લાવર શોમાં નાગરિકોની મુલાકાતની સંખ્યા ખૂબ ઓછી રહી હતી. ચાલુ વર્ષે માત્ર 10.81 લાખ જેટલા લોકોએ મુલાકાત લીધી હતી. જેનાથી મ્યુનિસિપલ કોર્પોરેશનને 11.61 કરોડની આવક થઈ છે. આંતરરાષ્ટ્રીય ફ્લાવર શો પાછળ રૂ. 17 કરોડનો ખર્ચ કર્યો હતો પરંતુ 6 કરોડ રૂપિયાનું કોર્પોરેશનને નુકસાન ગયું છે. સીઝનલ પ્લાન્ટને વિવિધ બગીચાઓ, ટ્રાફિક જંકશન અને ડિવાઇડરની વચ્ચે લગાવવામાં આવશે.ફ્લાવર શોના સીઝનલ પ્લાન્ટને ડિવાઇડરમાં તેમજ અલગ-અલગ બગીચાઓમાં પ્લાન્ટ કરી વૃક્ષારોપણ કરાશે.

ગત વર્ષે ફ્લાવર શોમાં 13 લાખથી વધારે લોકો આવ્યા હતા અને 13 કરોડ રૂપિયાની આવક થઈ હતી. ગયા વર્ષ કરતાં આ સંખ્યા બે લાખ ઓછી છે જ્યારે આવક પણ ગત વર્ષની આવક કરતા બે કરોડ ઘટી છે એટલે કે ચાલુ વર્ષે 11 કરોડની આવક થઇ છે. ફ્લાવર શોમાં ઉપયોગમાં લેવામાં આવેલા ફુલોને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિવિધ બગીચા, સર્કલ કે પછી સેન્ટ્રલવર્જમાં લગાવવાનું આયોજન કરવામાં આ‌વ્યું છે. ગયા વર્ષની જેમ આ વર્ષે ફુલ છોડ વેચવામાં નહી આવે તેવી સ્પષ્ટતા તંત્ર દ્વારા કરવામાં આવી છે

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...