અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના સાબરમતી રિવરફ્રન્ટ પર આંતરરાષ્ટ્રીય ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું હતું. 1 જાન્યુઆરીથી 29 જાન્યુઆરી સુધી ફ્લાવર શો યોજવામાં આવ્યો હતો જેમાં ગત વર્ષ કરતાં ચાલુ વર્ષે 2 જેટલા મુલાકાતઓ ઓછા આવ્યા હતા. જેથી, ફ્લાવર શો ફ્લોપ શો બની ગયો હતો.આ વખતનો 29 દિવસનો અત્યાર સુધીનો સૌથી લાંબો ફ્લાવર શો જાણે કે ફ્લોપ રહ્યો હોય તેમ ગત વર્ષની તુલનાએ બે લાખ મુલાકાતી ઘટ્યાં છે. તંત્રએ દિવસો વધારી દીધા હોવા છતાં ફ્લાવર શોને લોકોનો નબળો પ્રતિસાદ મળ્યો હતો.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પહેલી જાન્યુઆરીએ શરૂ થયેલો ફ્લાવર શો 29 જાન્યુઆરી સુધી ચાલ્યો હતો. સતત બે વખત તેની સમયમર્યાદા લંબાવાઈ હોવા છતાં આવકના આંકડા ચોંકવનારા છે. ફલાવર શોમાં 17 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો જેની સામે 11.61 કરોડની આવક થવા પામી હતી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને ટિકિટથી આ ફ્લાવર શોની 8.41 કરોડ રૂપિયાની આવક થઈ હતી. જ્યારે સ્ટોલમાંથી 1.27 કરોડની આવક થઈ હતી. આ વર્ષે ફ્લાવર શોમાં 10.81 લાખ લોકો ઉમટી પડ્યા હતાં. આ વર્ષે વૃક્ષના રોપા મહાનગર પાલિકા દ્વારા વેચાણ અર્થે નહીં આપવામાં આવે. ફ્લાવર શોમાં મુકાયેલા રોપા AMCના બગીચામાં મુકવામાં આવશે.
જેથી, ફ્લાવર શો ફ્લોપ શો સાબિત થયો હતો. ફ્લાવર શોમાં નાગરિકોની મુલાકાતની સંખ્યા ખૂબ ઓછી રહી હતી. ચાલુ વર્ષે માત્ર 10.81 લાખ જેટલા લોકોએ મુલાકાત લીધી હતી. જેનાથી મ્યુનિસિપલ કોર્પોરેશનને 11.61 કરોડની આવક થઈ છે. આંતરરાષ્ટ્રીય ફ્લાવર શો પાછળ રૂ. 17 કરોડનો ખર્ચ કર્યો હતો પરંતુ 6 કરોડ રૂપિયાનું કોર્પોરેશનને નુકસાન ગયું છે. સીઝનલ પ્લાન્ટને વિવિધ બગીચાઓ, ટ્રાફિક જંકશન અને ડિવાઇડરની વચ્ચે લગાવવામાં આવશે.ફ્લાવર શોના સીઝનલ પ્લાન્ટને ડિવાઇડરમાં તેમજ અલગ-અલગ બગીચાઓમાં પ્લાન્ટ કરી વૃક્ષારોપણ કરાશે.
ગત વર્ષે ફ્લાવર શોમાં 13 લાખથી વધારે લોકો આવ્યા હતા અને 13 કરોડ રૂપિયાની આવક થઈ હતી. ગયા વર્ષ કરતાં આ સંખ્યા બે લાખ ઓછી છે જ્યારે આવક પણ ગત વર્ષની આવક કરતા બે કરોડ ઘટી છે એટલે કે ચાલુ વર્ષે 11 કરોડની આવક થઇ છે. ફ્લાવર શોમાં ઉપયોગમાં લેવામાં આવેલા ફુલોને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિવિધ બગીચા, સર્કલ કે પછી સેન્ટ્રલવર્જમાં લગાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. ગયા વર્ષની જેમ આ વર્ષે ફુલ છોડ વેચવામાં નહી આવે તેવી સ્પષ્ટતા તંત્ર દ્વારા કરવામાં આવી છે


