Wednesday, February 4, 2026

અમદાવાદનું 17,018 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ, શહેરમાં 11 નવા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, 5 રેલવે ઓવરબ્રિજ બનશે

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું વર્ષ 2026- 27નું ડ્રાફ્ટ બજેટ આજે (4 ફેબ્રુઆરી)મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની દ્વારા રજૂ કરવામાં આવ્યું છે. આ બજેટ રૂ. 17018 કરોડનું છે. ચાલુ વર્ષે બજેટમાં સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં માટે 6 સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અને 5 મિનિ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવામાં આવશે.જેમાં અનેક મોટી જાહેરાતો કરવામાં આવી છે.

પ્રાપ્ત વિગતો મુજબ, આગામી વર્ષે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીઓ યોજાવાની હોવાથી કમિશનર દ્વારા રજૂ કરવામાં આવનારા ડ્રાફ્ટ બજેટમાં કોઈ નવા વેરા ઝીંકવામાં આવ્યા નથી. જેના કારણે બજેટમાં લોકપ્રિય જાહેરાતો પર વધુ ભાર મૂકવામાં આવી છે.

અમદાવાદમાં હેરિટેજ માટે રૂ.49 કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું છે. હેરિટેજ પોળ અને ગેટ રીસ્ટોરેશન માટે 15 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. ખાડિયા વોર્ડમાં આવતી સાંકડી શેરીને 10 કરોડ રૂપિયાના ખર્ચે ડેવલોપમેન્ટ કરવામાં આવશે. સર્વ વિસ્તારમાં દાદા હરિની વાવ અને માત્ર ભવાનીની વાવની આસપાસના વિસ્તારને પણ 10 કરોડના ખર્ચે વિકસાવવામાં આવશે. 4.50 કરોડના ખર્ચે પ્રેમ દરવાજાને દરીયાપુર દરવાજા વિસ્તારમાં પ્રીસીન્ટ અને જંકશન ડેવલોપમેન્ટ કરાશે. ખાન જહાન અને ચાંદ શહીદ ફોર્ટ વોલગેટનું 2.50 કરોડ પણ રીસ્ટોરેશન થશે.

ચાલુ વર્ષે બજેટમાં મ્યુનિસિપલ કમિશનર દ્વારા મહિલાઓ માટે નવા 25 જેટલા પિંક ટોઇલેટની જાહેરાત કરવામાં આવી છે. પશ્ચિમ વિસ્તારમાં 11 અને પૂર્વ વિસ્તારમાં 14 જેટલા પિંક ટોયલેટ બનાવવામાં આવશે. જોધપુર વિસ્તારમાં મહિલા જીમની પણ જાહેરાત કરવામાં આવી છે. 5 ઘોડિયા ઘર બનાવવામાં આવશે. બાળકો માટે 50 માર્ક્સ અને નવી 100 આંગણવાડી પણ બનાવવામાં આવનાર છે.

બોપલ રીંગરોડથી ઘુમા સુધી અને નહેરુનગરથી શિવરંજની થઈ સેટેલાઈટ રામદેવનગરથી ઇસ્કોન સુધી એલિવેટેડ કોરીડોર બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. પાંચ રેલવે ઓવરબ્રિજ અને ત્રણ ફ્લાય ઓવરબ્રિજ બનાવવાની પણ જાહેરાત કરવામાં આવી છે.

ચાલુ વર્ષે કરવેરામાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી. દર વર્ષે ટેક્સમાં બે ટકા ટેકસમાં વધારો કરવા અંગેની જોગવાઈ બે વર્ષ પહેલાના બજેટમાં થઈ ચૂકી હતી જેથી હવે દર વર્ષે ટેક્સમાં વધારો કરવાની કોઈ જાહેરાત કરવામાં આવતી નથી. ઓટોમેટીક બે ટકા ટેક્સમાં વધારો થઈ જાય છે.

અમદાવાદને શું નવું મળશે ?

1000 કરોડના ખર્ચે બે એલિવેટેડ કોરિડોર બનશે. નેહરુનગરથી ઈસ્કોન તથા બોપલ રીંગ રોડથી ઘુમા સુધી કોરિડોર બનશે.
700 કરોડના ખર્ચે 200 કિમીના રોડ બનશે. જે યુટિલિટી માટે ડક્ટ લાઈન સાથે ડસ્ટ ફ્રી હશે.
46 કરોડના ખર્ચે 16 નવા બગીચા બનશે તથા 26 બગીચાનું નવીનીકરણ થશે
31 કરોડના ખર્ચે 24 લેક ગાર્ડનનું ડેવલપમેન્ટ કરાશે
એસજી હાઈવેનું 600 કરોડ રૂપિયા ખર્ચે આઈકોનિક ડેવલપમેન્ટ થશે
શહેરના 8 રસ્તાને 250 કરોડના ખર્ચે આઈકોનિક રોડ બનાવાશે
શહેરના 13 રસ્તાને 250 કરોડના ખર્ચે મોડેલ રોડ બનાવાશે
રીંગરોડ પર 980 કરોડના ખર્ચે 4 મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ હબ બનશે
આઉટર રીંગ રોડ પર 630 કરોડના ખર્ચે બસ પોર્ટ બનશે
સિટી એન્ટ્રી ગેટ માટે 50 કરોડ રૂપિયા
સિંધુ ભવન રોડ પર સિટી સ્કવેર માટે 692 કરોડ રૂપિયા
નાના ચીલોડાથી સનાથલ સુધી 660 કરોડના ખર્ચે 26.6 કિમીનો નોર્થ સાઉથ કોરીડોર બનશે
775 કરોડ રૂપિયાના ખર્ચે 5 રેલવે ઓવર બ્રીજ બનશે
225 કરોડ રૂપિયાના ખર્ચે 3 ફ્લાયઓવર બનશે
272 કરોડ રૂપિયાના ખર્ચે સુભાષબ્રિજના નવીનીકરણ થશે.
શહેરને વાયર ફ્રી બનાવવા માટે 100 કરોડ ખર્ચાશે. અન્ડરગ્રાઉન્ડ યુટિલિટી ડક્ટ નખાશે.
100 કરોડના ખર્ચે AIથી ચાલતી સ્માર્ટ સ્ટ્રીટ લાઈટિંગ સિસ્ટમ નખાશે
26 સ્મશાનગૃહમાં 5 કરોડના ખર્ચે એર પ્યુરીફિકેશન સિસ્ટમ (ચીમની) લગાવાશે
899 કરોડના ખર્તે એડેપ્ટીવ ટ્રાફિક કન્ટ્રોલ સિસ્ટમ
રોડ માર્કિંગ, રોડ સાઈનેજીસ અને સાઈન બોર્ડ માટે 36 કરોડ રૂપિયા
100 ટ્રાફિક જંક્શનની ડિઝાઈન માટે 10 કરોડ રૂપિયા
30 નવા ટ્રાફિક જંક્શન બનાવવા માટે 7.50 કરોડ રૂપિયા

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...