અમદાવાદ : ગુજરાત યુનિવર્સિટીના ગેસ્ટ હાઉસમાં યુવતીના આપઘાતનો એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. જે યુવતીએ આપઘાત કર્યો છે તે યુવતીનું નામ મહેશ્વરી ખાચર હોવાનું સામે આવ્યું છે. પ્રાપ્ત માહિતી મુજબ મહેશ્વરી ખાચર ગુજરાત યુનિવર્સિટીના ગેસ્ટ હાઉસમાં રોકાઈ હતી. શહેરના શેલા વિસ્તારમાં શુક્રવારે સાંજે એક હૃદયદ્રાવક ઘટના બની છે. અહીં આવેલી એક રહેણાંક સોસાયટીના 13મા માળેથી પટકાતા એક 49 વર્ષીય વ્યક્તિનું કરુણ મોત નીપજ્યું છે. પ્રાથમિક તપાસમાં આ ઘટના આત્મહત્યા હોવાનું અનુમાન સેવાઈ રહ્યું છે.
પ્રથમ બનાવમાં ગુજરાત યુનિવર્સિટીના ગેસ્ટ હાઉસમાં યુવતી અમદાવાદની એલડી આર્ટ્સ કોલેજમાં અભ્યાસ કરતી હતી અને તે મૂળ બોટાદની વતની હોવાની માહિતી સામે આવી છે. શુક્રવારે 6 ફેબ્રુઆરીએ સાંજે લગભગ 4:15 વાગ્યાની આસપાસ યુવતીએ ગેસ્ટ હાઉસના રૂમની બારી પર દુપટ્ટો બાંધી ગળે ફાંસો ખાધો હોવાનું સામે આવ્યું છે. ઘટનાની જાણ થતાં જ ગુજરાત યુનિવર્સિટી પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.વિદ્યાર્થીનીએ ક્યાં કારણથી આપઘાત કર્યો તેની તપાસ પોલીસે શરૂ કરી છે.
બીજા બનાવમાં શેલા વિસ્તારમાં આવેલી ‘સન એટમોસ્ફિયર’ (Sun Atmosphere) સોસાયટીના ડી-બ્લોકમાં આ ઘટના બની હતી. મૃતકની ઓળખ નિલેશ બાબુલાલ મહેતા (ઉંમર 49 વર્ષ) તરીકે થઈ છે. આજે શુક્રવારે સાંજે તેઓ અચાનક 13મા માળેથી નીચે પટકાયા હતા. જોરદાર અવાજ આવતા સોસાયટીના રહીશો દોડી આવ્યા હતા અને તાત્કાલિક તેમને સોલા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે, હોસ્પિટલ પહોંચતા જ ફરજ પરના ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.પ્રાથમિક તપાસમાં આ ઘટના આત્મહત્યા હોવાનું અનુમાન સેવાઈ રહ્યું છે.
એક જ દિવસમાં અમદાવાદમાં આપઘાતના બે બનાવથી ચકચાર મચી જવા પામી છે. બંને બનાવમાં સ્થાનિક પોલીસે ક્યાં કારણથી આપઘાત કર્યો તેની તપાસ પોલીસે શરૂ કરી છે.


