Wednesday, April 15, 2026

અમદાવાદમાં T20 વર્લ્ડ કપને લઈને મેચના દિવસે કેટલાક રસ્તા સંપૂર્ણ બંધ રહેશે, જાણો વૈકલ્પિક રૂટ

spot_img
Share

અમદાવાદ : ક્રિકેટ પ્રેમીઓ જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તે T20 વર્લ્ડ કપ 2026ની મેચો હવે અમદાવાદના આંગણે રમાવા જઈ રહી છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ટી20 વર્લ્ડ કપની આગામી દિવસોમાં મેચ રમાવાની છે. જેને લઈને અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ. મલિક દ્વારા જાહેરનામું બહાર પડાયું છે. આ જાહેરનામા અનુસાર, મેચના દિવસોમાં સ્ટેડિયમ આસપાસના કેટલાક માર્ગો પર તમામ પ્રકારના વાહનોની અવર-જવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

વર્લ્ડ કપની મેચો દરમિયાન ટ્રાફિકની સ્થિતિને ધ્યાને રાખીને તંત્ર દ્વારા ખાસ નિયમો લાગુ કરવામાં આવ્યા છે. જે અંતર્ગત 9, 11, 14, 18, 22 અને 26 ફેબ્રુઆરીના રોજ મેચના દિવસોએ બપોરે 3:00 વાગ્યાથી મોડી રાત્રિ સુધી ટ્રાફિક પર પ્રતિબંધ અને નિયમો અમલી રહેશે. વધુમાં, જો 8 માર્ચ, 2026 ના રોજ અમદાવાદમાં ફાઈનલ મેચ રમાશે, તો તે દિવસે પણ આ જ મુજબ ટ્રાફિકના નિયમોનું પાલન કરવાનું રહેશે.

મેચ દરમિયાન જનપથ ટી-જંકશનથી મોટેરા સ્ટેડિયમ મેઈન ગેટ સુધીનો માર્ગ તમામ સામાન્ય વાહનો માટે સંપૂર્ણપણે બંધ રાખવામાં આવશે. આ ઉપરાંત, કૃપા રેસિડેન્સી ટી-જંકશનથી મોટેરા ગામ ટી-જંકશન સુધીના માર્ગ પર પણ વાહનોની અવર-જવર પર પ્રતિબંધ રહેશે. જોકે, આ પ્રતિબંધો વચ્ચે ઇમરજન્સી સેવાઓ, સ્થાનિક રહીશો અને યોગ્ય પરવાનગી ધરાવતા વાહનોને અવર-જવર માટે મુક્તિ આપવામાં આવશે.

વાહન ચાલકો માટે વૈકલ્પિક રૂટ
જો તમારે મેચ દરમિયાન આ વિસ્તારમાંથી પસાર થવાનું હોય, તો પોલીસ દ્વારા સૂચવવામાં આવેલા વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરી શકાય છે. જે અંતર્ગત તપોવન સર્કલ તરફથી આવતા વાહનચાલકો ONGC ચાર રસ્તા, વિસત ટી-જંકશન અને જનપથ ટી-જંકશન થઈ પાવર હાઉસ ચાર રસ્તાથી પ્રબોધ રાવળ સર્કલ તરફ જઈ શકશે. તેવી જ રીતે, કોટેશ્વર અથવા ભાટ તરફથી આવતા લોકો કૃપા રેસિડેન્સી ટી-જંકશનથી શરણ સ્ટેટસ ચાર રસ્તા અને ભાટ કોટેશ્વર રોડ થઈને એપોલો સર્કલ તરફના માર્ગનો ઉપયોગ કરી શકશે.

મેચ સંબંધિત પરવાનગી ધરાવતા વાહનો, ઇમરજન્સી સેવાઓ તેમજ સ્ટેડિયમ આસપાસના સ્થાનિક રહીશો માટે આ પ્રતિબંધ લાગુ નહીં પડે તેમ જાહેરનામામાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે. પોલીસ તંત્ર દ્વારા મેચ દરમિયાન સુચારૂ ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પૂરતી પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...