Saturday, February 14, 2026

RERA બંધ કરી દો, તે ફક્ત બિલ્ડરો માટે જ કામ કરે છે : સુપ્રીમ કોર્ટ

spot_img
Share

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી (RERA)ની કાર્યપ્રણાલી પર ગંભીર સવાલો ઉઠાવતાં જણાવ્યું છે કે સંસ્થા તેના મૂળ હેતુથી ભટકી ગઈ છે અને ઘર ખરીદદારોની જગ્યાએ બિલ્ડરોને મદદ કરતી જણાઈ રહી છે. કોર્ટે અહીં સુધી ટિપ્પણી કરી કે રાજ્યો હવે આ સંસ્થાને ચાલુ રાખવી કે બંધ કરવી તે બાબતે ગંભીર વિચાર કરે. આ ટિપ્પણી ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા સૂર્યકાંત અને જસ્ટિસ જોયમાલ્યા બાગચીની બેન્ચે હિમાચલ પ્રદેશ સરકાર સામે નરેશ શર્મા કેસની સુનાવણી દરમિયાન કરી હતી.

ગુરુવારે એક કેસની સુનાવણી કરતી વખતે, CJI સુર્યકાંતે કહ્યું કે તમામ રાજ્યોએ વિચારવું જોઈએ કે RERA કોના માટે બનાવવામાં આવી હતી. હાલની સ્થિતિ એવી છે કે તે ડિફોલ્ટ કરનાર બિલ્ડરોને રાહત આપવા માટે કામ કરતી જણાય છે. સામાન્ય ખરીદદારોને કોઈ ખાસ ફાયદો મળતો નથી. આવી સંસ્થા રાખવા કરતાં તેને બંધ કરવી વધુ સારી. દેશભરમાં RERA સામે લોકોની ફરિયાદો વધી રહી છે. ઘણા ખરીદદારોનું કહેવું છે કે RERA દ્વારા રાહત મળવાને બદલે તેઓ લાંબી કાનૂની પ્રક્રિયામાં ફસાઈ જાય છે.મુખ્ય ન્યાયાધીશ (CJI) સૂર્યકાંત અને ન્યાયાધીશ જોયમાલિયા બાગચીની બનેલી બેન્ચે, સુનાવણી દરમિયાન RERA સામે ખૂબ જ કડક વલણ અપનાવ્યું.

આ કેસ હિમાચલ પ્રદેશ સરકારે RERAનું મુખ્ય કાર્યાલય શિમલાથી ધર્મશાલા ખસેડવા અંગે બહાર પાડેલા નોટિફિકેશન સાથે જોડાયેલો છે. આ નિર્ણયને હિમાચલ પ્રદેશ હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો અને હાઈકોર્ટે તેના પર રોક લગાવી હતી. હાઈકોર્ટે કહ્યું હતું કે વૈકલ્પિક કાર્યાલય નક્કી કર્યા વગર સ્થળાંતરનો નિર્ણય લેવાથી સંસ્થાનું કામકાજ અટકી શકે છે.

ગુરુવારે, સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના નિર્ણયને ઉલટાવી દીધો, જેનાથી રાજ્ય સરકારને નોંધપાત્ર રાહત મળી. સુપ્રીમ કોર્ટે રાજ્યને RERA ઓફિસને શિમલાથી ધર્મશાળા ખસેડવાની મંજૂરી આપી હતી. જોકે, કોર્ટે ખાતરી કરી હતી કે આ પ્રક્રિયાથી સામાન્ય લોકો અથવા RERAના આદેશોથી પ્રભાવિત લોકોને કોઈ અસુવિધા ન થાય.

 

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...