Sunday, February 15, 2026

અમદાવાદમાં ઝાડ સાથે ધડાકાભેર અથડાઈ કાર, ચાલકનું ઘટનાસ્થળે મોત ; CCTVમાં કેદ થયો અકસ્માત

spot_img
Share

અમદાવાદ : શહેરમાં માર્ગ અકસ્માતોની વધતી ઘટનાઓ વચ્ચે વધુ એક દુઃખદ બનાવ સામે આવ્યો છે. નરોડા નજીકના રિંગ રોડ વિસ્તારમાં મોડીરાત્રે એક કાર અકસ્માત સર્જાયો હતો. પ્રાથમિક માહિતી મુજબ, કાર તેજ ગતિએ દોડી રહી હતી ત્યારે ચાલકે અચાનક સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો. આકાશ ગોસ્વામી નામનો યુવક સાસરીમાં પત્નીને લેવા જઈ રહ્યો હતો, આ દરમિયાન અકસ્માત થયો હતો.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, ગાંધીનગરના વાવોલમાં રહેતો આકાશ ગોસ્વામી નામનો યુવક ચાંગોદરમાં આવેલી એક ખાનગી કંપનીમાં નોકરી કરે છે. આકાશની પત્ની બારેજડી ખાતે પિયરમાં ગઈ હતી. 12 ફેબ્રુઆરીના રોજ આકાશ તેના ઘરેથી પિયર પત્નીને લેવા જઈ રહ્યો હતો. આકાશ પૂર ઝડપે એસન્ટ કાર લઈને વટવા જીઆઇડીસી રોડ પરથી જઈ રહ્યો હતો. આ દરમિયાન સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવતાં ગાડી ઝાડ સાથે અથડાઈ હતી.

કારની ટક્કર એટલી જોરદાર હતી કે કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. સ્થાનિક લોકો અને પસાર થતા વાહનચાલકો તરત જ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને યુવકને બચાવવાના પ્રયાસ કર્યો હતો, પરંતુ તેનું ઘટનાસ્થળે જ મોત થઈ ગયું હતું.અને તેના પરિવારને આ ઘટનાની જાણ કરી દેવામાં આવી છે.સમગ્ર મામલે જે ડિવિઝન ટ્રાફિક-પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આ ઘટના ફરી એક વખત રોડ સેફ્ટીના મુદ્દાને ચર્ચામાં લાવી છે. ગુજરાતમાં છેલ્લા કેટલાક મહિનાઓમાં અકસ્માતના કેસોમાં વધારો જોવા મળ્યો છે, જેમાં મોટા ભાગના કિસ્સાઓમાં ઝડપી વાહન ચલાવવું, ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન અને બેદરકારી મુખ્ય કારણો છે. પોલીસ વિભાગ દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે કે વાહન ચલાવતી વખતે ઝડપનું ધ્યાન રાખો અને ટ્રાફિક નિયમોનું પાલન કરો, જેથી આવી દુખદ ઘટનાઓને અટકાવી શકાય.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...