Tuesday, February 17, 2026

AMCની સ્વચ્છતાને લઈને મોટી પહેલ : હવે માત્ર એક ફોન કોલ પર તંત્ર ઘરે આવી લઈ જશે બાંધકામનો કચરો

spot_img
Share

અમદાવાદ: અમદાવાદ શહેરને વધુ સ્વચ્છ અને સુરક્ષિત પર્યાવરણ આપવાના હેતુ સાથે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગે કન્સ્ટ્રક્શન એન્ડ ડિમોલિશન (C&D) વેસ્ટના સંચાલન માટે સુવ્યવસ્થિત અને સુવિધાસભર વ્યવસ્થા અમલમાં મૂકી છે. શહેરમાં રહેણાંક કે વ્યાવસાયિક એકમોમાં થતી રિપેરિંગ, રિનોવેશન, મરામત અથવા નવા બાંધકામ દરમિયાન ઊભો થતો માટી-પુરણી તથા બિલ્ડિંગ ડેબ્રિજનો હવે યોગ્ય નિકાલ સુનિશ્ચિત કરવામાં આવશે. નાગરિકો માત્ર એક ફોન કોલ દ્વારા પોતાના વિસ્તારના ઝોન કંટ્રોલ રૂમનો સંપર્ક કરી કચરો ઉઠાવવાની સેવા મેળવી શકશે.

નાગરિકો દ્વારા તેમના મકાનોનું રિપેરિંગ, રિનોવેશન, મરામત કે નવા બાંધકામ વગેરે કારણસર ઉત્પન્ન થતા માટી-પુરણી, બિલ્ડિંગ ડેબ્રિજ વગેરે જાહેર માર્ગો/સ્થળ કે અન્ય કોઈપણ જગ્યાએ નિકાલ ન કરતા શહેરનાં 07 ઝોનમાં નક્કી કરવામાં આવેલા કુલ 25 જેટલા પ્લોટો, લોકેશન, જગ્યાઓ પર નાગરિકો પોતાનાં સ્વખર્ચે નિકાલ કરી શકશે. જેમાં પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ, મધ્ય, ઉત્તર-પશ્ચિમ અને દક્ષિણ-પશ્ચિમ ઝોનનો સમાવેશ થાય છે. આ અંગે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોઈ જ ચાર્જ વસૂલ કરવામાં આવશે નહીં.

જો નાગરિકો પોતાના ઘરેથી કચરો ઉઠાવવા માંગતા હોય, તો સોલિડ વેસ્ટ મેનેજમેન્ટની ટીમ નજીવી ફી લઈને આ સેવા પૂરી પાડશે. આ માટે સવારે 08:00 થી સાંજે 06:00 વાગ્યા સુધી નીચે મુજબના ઝોન વાઈઝ નંબર પર સંપર્ક કરી શકાશે:

મધ્ય ઝોન: 6357516301
ઉત્તર ઝોન: 6357516302
દક્ષિણ ઝોન: 6357516303
પૂર્વ ઝોન: 6357516304
પશ્ચિમ ઝોન: 6357516305
ઉત્તર-પશ્ચિમ ઝોન: 6357516306
દક્ષિણ-પશ્ચિમ ઝોન: 6357516307

શહેરની એર ક્વોલિટી સુધારવા માટે AMCએ આધુનિક કલેક્શન સેન્ટરો તૈયાર કર્યા છે. આ સેન્ટરોમાં ‘મિસ્ટ સિસ્ટમ’ દ્વારા પાણીનો છંટકાવ કરવામાં આવશે, જેથી કચરો ઠાલવતી વખતે ધૂળ અને રજકણો હવામાં ન ઉડે. આ વૈજ્ઞાનિક અભિગમથી પ્રદૂષણમાં મોટો ઘટાડો થશે.

જાહેર માર્ગો, ખુલ્લા પ્લોટ કે બિન-નિર્ધારિત સ્થળોએ C&D વેસ્ટ ફેંકનારાઓ સામે લાલ આંખ કરવામાં આવી છે. AMC દ્વારા ખાસ ‘સ્વચ્છતા સ્ક્વોડ’ની રચના કરવામાં આવી છે જે સતત ચેકિંગ કરશે. જો કોઈ ગેરકાયદેસર રીતે ડેબ્રિજ ફેંકતા પકડાશે, તો તેમની પાસેથી ભારે પેનલ્ટી વસૂલવામાં આવશે અને જરૂર જણાયે વાહન પણ જપ્ત કરવામાં આવશે. કોર્પોરેશને નાગરિકોને અપીલ કરી છે કે તેઓ આ વ્યવસ્થાનો લાભ લે અને અમદાવાદને સ્વચ્છ બનાવવામાં સહભાગી બને.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...