Wednesday, April 15, 2026

જાહેરમાર્ગોને નુકસાન ન થાય તે રીતે હોળી પ્રગટાવવા AMCની જાહેર જનતાને અપીલ

spot_img
Share

અમદાવાદ : હોળીના પવિત્ર તહેવારને લઈને શહેરમાં ઉત્સાહનો માહોલ છે, પરંતુ હોળી પ્રગટાવવાની પરંપરામાં થતી કેટલીક અયોગ્ય પ્રવૃત્તિઓ શહેરના રસ્તાઓને ભારે નુકસાન પહોંચાડી રહી છે. સામાન્ય રીતે નાગરિકો રસ્તા વચ્ચે ખાડા ખોદીને અથવા સીધા ડામરના રસ્તા પર હોળી પ્રગટાવે છે, જેના કારણે રસ્તાની સપાટીને મોટું નુકસાન થાય છે. ખાડા પાડવાથી ડામરના ભાગમાં પોલાણ સર્જાય છે અને ચોમાસાની ઋતુ દરમિયાન તેમાં વરસાદનું પાણી ઉતરવાની શક્યતા વધી જાય છે. પરિણામે રસ્તાની નીચેની સરફેસ નબળી પડે છે અને અનેક સ્થળોએ રસ્તા બેસી જવા અથવા તૂટવાની સમસ્યા ઉભી થાય છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા આ મુદ્દે નાગરિકોને મહત્વપૂર્ણ અનુરોધ કરવામાં આવ્યો છે. કોર્પોરેશનના જણાવ્યા મુજબ, હોળી રસ્તાની વચ્ચે પ્રગટાવવાને બદલે રસ્તાની એક બાજુ ઇંટો અથવા પેવર બ્લોક ગોઠવી તેના ઉપર રેતી પાથરીને હોળી પ્રગટાવવી જોઈએ. આ રીતે રસ્તાને થતું નુકસાન અટકાવી શકાય અને શહેરના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને લાંબા સમય સુધી સુરક્ષિત રાખી શકાય.

સામાન્ય રીતે લોકો જાહેર રસ્તાઓના જંકશન પર, સોસાયટીઓના આંતરિક રોડ અને માર્ગો પર સીધા ડામર રોડ પર લાકડાં છાણા વગેરે એકઠા કરીને હોળી પ્રગટાવે છે. આમ કરવાથી હોળીની જ્વાળાઓની પ્રખર ગરમીથી રોડનો ડામર પીગળી જાય છે, અને રોગ ને નુકસાન થાય છે, તૂટી જાય છે .જેથી ફરી રિપેર કરવા ખર્ચ કરવો પડે છે, અને રોડ તૂટી જવાથી લોકોને પણ તકલીફ પડે છે.

આ ઉપરાંત, AMCએ નાગરિકોને ઝાડની નીચે તેમજ ઇલેક્ટ્રિક અને અન્ય કેબલની ઓવરહેડ લાઈનોની નીચે હોળી ન પ્રગટાવવાની સૂચના આપી છે. ઝાડની નીચે હોળી પ્રગટાવવાથી વૃક્ષો અને તેમાં વસતા પક્ષીઓને નુકસાન થવાની શક્યતા રહે છે, જ્યારે ઓવરહેડ લાઈનની નજીક આગ લગાવવાથી વીજળી સંબંધિત અકસ્માતો અને ગંભીર નુકસાન થવાનો ખતરો રહે છે.

કોર્પોરેશને નાગરિકોને તેમના વિસ્તારની વોર્ડ ઓફિસનો સંપર્ક કરીને યોગ્ય સ્થળ અને વ્યવસ્થા અંગે માર્ગદર્શન લેવા પણ અપીલ કરી છે. હોળીનો તહેવાર આનંદ અને ભાઈચારોનું પ્રતિક છે, પરંતુ સાથે સાથે જાહેર સંપત્તિ અને પર્યાવરણનું રક્ષણ કરવું પણ દરેક નાગરિકની જવાબદારી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...