અમદાવાદ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી તાજેતરની કેબિનેટ બેઠકમાં અનેક મહત્વપૂર્ણ વિકાસ નિર્ણયો લેવામાં આવ્યા. બેઠક પછી માહિતી આપતા અશ્વિની વૈષ્ણવએ જણાવ્યું કે કુલ 12236 કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટોને મંજૂરી આપવામાં આવી છે.આ નિર્ણયોમાં અમદાવાદ મેટ્રોનો વિસ્તરણ પણ સામેલ છે. જે શહેર અને રાજ્ય માટે મહત્વપૂર્ણ પગલું માનવામાં આવે છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સેવા તીર્થમાં આયોજીત કેબિનેટની પ્રથમ બેઠકમાં દેશના વિકાસને નવી ઊંચાઈ બક્ષનારો એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો. બેઠક બાદ કેન્દ્રિય મંત્રી અશ્વિની વૈષ્ણવે પ્રેસ બ્રીફિંગમાં જાણકારી આપી હતી કે કેબિનેટે 12236 કરોડના રોકાણવાળી વિકાસ પરિયોજનાઓ સહિત મોટા નીતિ વિષયક નિર્ણયો પર મોહર મારી છે.
કેબિનેટે અમદાવાદ મેટ્રોના ફેઝ–2B હેઠળ ગિફ્ટ સિટીથી IIT ગાંધીનગર નજીકના શાહપુર સુધી નવો કોરિડોર વિકસાવવાની મંજૂરી આપી છે. આ નવા રૂટની લંબાઈ આશરે 3.3 કિલોમીટર રહેશે અને તે સંપૂર્ણપણે એલિવેટેડ લાઇન તરીકે વિકસાવવામાં આવશે.આ વિસ્તરણ માટે અંદાજિત 1067 કરોડનો ખર્ચ થશે. સરકાર દ્વારા પ્રોજેક્ટ ચાર વર્ષમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે.
આ વિસ્તરણથી ગિફ્ટ સિટી અને ગાંધીનગર વિસ્તાર વચ્ચે મુસાફરી વધુ સરળ અને ઝડપી બનશે. દરરોજ હજારો મુસાફરોને તેનો સીધો લાભ મળશે, તેમજ ટ્રાફિક ભાર ઘટાડવામાં પણ મદદ મળશે. આ નવી લાઇન કાર્યરત થતાં અમદાવાદ અને ગાંધીનગરનું કુલ મેટ્રો નેટવર્ક 71 કિલોમીટરથી વધુ લાંબું બની જશે. જે શહેરી પરિવહન વ્યવસ્થાને વધુ મજબૂત બનાવશે.


