Friday, February 27, 2026

અમદાવાદના જ્વેલર્સના વિશ્વાસુ નોકરનું કારસ્તાન, ભેળસેળયુક્ત સોનાની ચેઇન ગીરવે મૂકીને લાખો કમાતો

spot_img
Share

અમદાવાદ: ગુજરાતીમાં એક કહેવત છે ખાય એનું ખોદે. આ કહેવતને સાર્થક સાબિત કરતો કિસ્સો શહેરના વટવા વિસ્તારમાં બન્યો છે. જ્વેલર્સમાં કામ કરતો કર્મચારી અન્ય સાગરીતો સાથે મળીને ભેળસેળવાળી સોનાની ચેઇન ગીરવે મૂકીને રોકડી કરતો હતો. જોકે જ્વેલર્સ માલિકને આ અંગેની જાણ થતા પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, પોલીસે આરોપી જગદીશ માળી અને સંજય ઠાકોરની ધરપકડ કરી છે. જગદીશ માળી વટવા સ્થિત ઝાંઝર જ્વેલર્સમાં નોકરી કરતો હતો. પરંતુ તેની દાનત બગડી અને તેણે માલિક સાથે જ ગદ્દારી કરવાનું શરૂ કર્યું. જગદીશ પોતે બનાવટી ગ્રાહકો ઊભા કરતો અને તેમને ભેળસેળ વાળી સોનાની ચેઈન આપી જ્વેલર્સમાં જ ગીરવે મૂકવા મોકલતો હતો. ગ્રાહકના સ્વાંગમાં આવેલા શખ્સો ચેઈન મૂકી લાખો રૂપિયાની લોન લઈ જતા અને ત્યારબાદ ક્યારેય વ્યાજ ભરવા કે ચેઈન લેવા ડોકાતા પણ નહોતા. જોકે, માલિકને શંકા જતા આખો ખેલ ઉઘાડો પડ્યો. અંતે બંને શખ્સો પોલીસ હવાલે થયા છે.

આરોપી જગદીશ માળીએ અત્યાર સુધીમાં જુદા જુદા ગ્રાહકો મોકલીને ત્રણેક વખત ચેઇન ગીરવે મૂકીને રૂપિયા 7 લાખ જેટલી રોકડ રકમ મેળવી છે. જેના બદલામાં ઊભા કરેલા બનાવટી ગ્રાહકને કમિશન ચૂકવતો હતો. આરોપી જગદીશ પહેલા ગ્રાહકને વિશ્વાસમાં લેતો હતો. તે ગ્રાહકને જણાવતો હતો કે, તે જ્વેલર્સમાં ચેઇન મૂકવા જશે તો જ્વેલર્સના માલિક તેના પરિવારને જાણ કરી દેશે. તેને રૂપિયાની જરૂર હોવાથી મદદ કરવાના બહાને લોકોને વિશ્વાસમાં લઈ ગ્રાહકના સ્વાંગમાં જ્વેલર્સમાં મોકલતો હતો.

આરોપીની પૂછપરછમાં વધુ એક આરોપીનું નામ સામે આવ્યું છે. જે આ ગુનાનો માસ્ટર માઇન્ડ છે. ફરાર આરોપી આ રીતે ચેઇનની વ્યવસ્થા કરી આપતો હતો. જોકે તે ભેળસેળવાળી સોનાની ચેઇન ક્યાંથી લાવતો હતો અને અત્યાર સુધીમાં તેણે આ રીતે અન્ય કોઈ જ્વેલર્સ સાથે છેતરપિંડી કરી છે કે કેમ તે અંગે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. ગુનાના મુખ્ય આરોપીની ધરપકડ બાદ હજી પણ અન્ય ગુનાનો ભેદ ઉકેલાય તેવી શક્યતા છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...