(માનવ જાેષી દ્વારા) અમદાવાદ : પૌરાણિક સમયથી જે જ્ઞાતિઓએ કૃષ્ણ ભગવાનના પશુપાલનના વ્યવસાયને જીવન નિર્વાહ માટે પસંદ કર્યો, તેવા ભરવાડ સમાજ પણ સાંપ્રત સમયમાં શિક્ષણ, કલા રમતગમત તથા સામાજિક ઉત્થાન ક્ષેત્રે ખૂબ જ કાર્યશીલ છે..આ કથનને સાર્થક કરતી એક ઉત્કૃષ્ટ ક્રિકેટ ટુર્નામેન્ટ ભરવાડ સમાજ દ્વારા ભરવાડ સમાજના નિખિલ, ગૌરવ, અક્ષય અને રૂપેશ ભરવાડ જેવા ઉત્સાહી યુવાનોએ સમાજને એકત્ર કરવાનું અને ક્રિકેટના માધ્યમથી સમાજને જાગૃત કરવાનું ઉત્તમ કાર્ય હાથમાં લીધું..અલગ અલગ ગામની 32 ક્રિકેટ ટીમોએ આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લીધો.. દરેક ક્રિકેટ ટીમને આયોજકો તરફથી ટીશર્ટ એક વિશેષ ઓળખ તરીકે વહેંચવામાં આવી..

ફાઈનલમાં નવા વાડજ ગામની ટીમના ભવ્ય વિજય બાદ મોટી સંખ્યામાં સમાજના યુવાનોએ નારણપુરા પ્રગતિનગરથી લઈને નવા વાડજ ગામ સુધી બાઈક રેલી કાઢી ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. 16 દિવસ ચાલેલી આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ખેલદિલીની ઉત્તમ ભાવનાના દર્શન થયા. શ્રી જયંતીભાઈ સુરાભાઈ ભરવાડ, શ્રી કાળુભાઈ ભરવાડ, શ્રી મુકેશભાઈ ભરવાડ તથા આ સિવાય ઘણા સમાજના આગેવાનોએ આ ક્રિકેટ ટુર્નામેન્ટને આર્થિક અને માનસિક પીઠબળ પૂરું પાડ્યું.. ટુર્નામેન્ટની વિજેતા ટીમ વાડજ ગામની ક્રિકેટ ટીમને એક કિલો ચાંદીની ટ્રોફી, તથા મેન ઓફ ધ સિરીઝ બનનાર ખેલાડીને 400 ગ્રામની ચાંદીની ટ્રોફી ઉપસ્થિત આગેવાનો દ્વારા અર્પણ કરવામાં આવી..

ટુર્નામેન્ટના મુખ્ય આયોજક એવા શ્રી નિખિલભાઇ ભરવાડનું કહેવું છે કે,અમારો મુખ્ય ઉદ્દેશ્ય સમાજના યુવાનો ભેગા થાય અને ભવિષ્યમાં ભરવાડ સમાજ ભણતરની સાથે વ્યક્તિત્વ-વિકાસના દરેક પાસાનો વિકાસ કરે એવો હતો.. સમગ્ર ટુર્નામેન્ટના આયોજન, સંચાલન અને પૂર્ણાહુતિ સમયે અમારા ધ્યેયને સાર્થક કરનારો ભાવ સમાજના દરેક વ્યક્તિના ચહેરા પર સ્પષ્ટ છલકાતો હતો..


