Wednesday, July 22, 2026

અમદાવાદમાં એસટી બસો અને લકઝરી બસને ‘નો એન્ટ્રી‘ નિર્ણય આવકારદાયક, પણ ભારે વાહનોને છૂટો દોર કેમ?

spot_img
Share

અમદાવાદ : શહેરના ટ્રાફિકને હળવો કરવા અને અકસ્માતો ઘટાડવા માટે સરકાર અને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એસટી (જી્) અને લક્ઝરી બસોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવાના ર્નિણયને જનતાએ આવકાર્યો છે. પરંતુ, સિક્કાની બીજી બાજુ એ છે કે જે વાહનો ખરેખર જીવલેણ અકસ્માતો માટે જવાબદાર છે, તેવા ડમ્પર, કન્ટેનર અને મિક્સર મશીનો હજુ પણ શહેરના માર્ગો પર ‘માતેલા સાંઢ‘ની જેમ ફરી રહ્યા છે.

તંત્રના ર્નિણય સામે સવાલ ઉઠી રહ્યો છે કે શું શહેરની ટ્રાફિક સમસ્યા માટે માત્ર મુસાફર બસો જ જવાબદાર છે? આંકડાઓ સાક્ષી છે કે શહેરમાં થતા ગંભીર અકસ્માતોમાં મોટાભાગે રેતી-કપચીના ડમ્પરો, કોર્પોરેશનના કચરાના વાહનો અને વિશાળ કન્ટેનરો સંડોવાયેલા હોય છે. આ વાહનો નો-પાર્કિંગ ઝોનમાં અને જાહેર રોડ પર અડિંગો જમાવીને ઊભા રહે છે, છતાં તેમની સામે કાર્યવાહી કેમ થતી નથી?

‘પરમિશન‘ ના નામે જાેખમી ખેલ
પોલીસ તંત્રનું કહેવું છે કે આ ભારે વાહનો પરમિશન સાથે ફરે છે. પરંતુ અહીં પ્રશ્ન એ થાય છે કે:
શું પરમિશન મળવાથી આ વાહનોની સ્પીડ કે અકસ્માતનું જાેખમ ઘટી જાય છે?
બાંધકામના વાહનો (ત્નઝ્રમ્, ક્રેન, મિક્સર) પીક અવર્સમાં વ્યસ્ત રોડ પર કઈ રીતે ફરી શકે?
જાહેરનામું હોવા છતાં ખાનગી લક્ઝરી બસો કયા ‘વહીવટ‘ને કારણે શહેરમાં બેરોકટોક પ્રવેશે છે?

સામાન્ય નાગરિક મુંઝવણમાં: પરમિશન છે કે નહીં તે કેવી રીતે ઓળખવું?
સામાન્ય જનતા માટે એ ઓળખવું અશક્ય છે કે રસ્તા પર દોડતું ભારે વાહન કાયદેસરની પરમિશન સાથે છે કે ગેરકાયદે.
કોઈ સ્પષ્ટ સ્ટીકર કે ઓળખ નથી: પરમિશન વાળા વાહનો પર કોઈ વિશિષ્ટ માર્કિંગ હોતું નથી.
ડિજિટલ ટ્રેકિંગનો અભાવ: કયા વાહનને કયા રૂટની પરમિશન છે તેની માહિતી જાહેર પ્લેટફોર્મ પર ઉપલબ્ધ નથી.
નિયમોનું ઉલ્લંઘન: ઘણીવાર પરમિશન એક ચોક્કસ સમયની હોય છે, પરંતુ વાહનો આખો દિવસ દોડતા જાેવા મળે છે.

તંત્ર સામેના તીખા સવાલો
કોની મહેરબાની: શું મોટા કોન્ટ્રાક્ટરો અને ટ્રાન્સપોર્ટરો સામે કાર્યવાહી કરતા તંત્રના હાથ ધ્રૂજે છે?
પાર્કિંગ માફિયા: રોડ પર ગેરકાયદે પાર્ક થતા કન્ટેનરો સામે ‘ટોઈંગ‘ની કામગીરી કેમ ઠપ્પ છે?
ભ્રષ્ટાચારની આશંકા: શું ‘પરમિશન‘ ના નામે માત્ર કાગળ પર જ નિયમો ચાલે છે અને વાસ્તવિકતામાં ‘વહીવટ‘ ચાલે છે?

જાે અમદાવાદને ખરેખર સુરક્ષિત બનાવવું હોય, તો માત્ર પેસેન્જર બસોને રોકવાથી કંઈ નહીં વળે. તંત્રએ ડમ્પર, ટેન્કર અને કન્ટેનર જેવા ભારે વાહનો માટે કડક સમયમર્યાદા નક્કી કરવી પડશે અને પરમિશનની પ્રક્રિયાને પારદર્શક બનાવી જાહેર જનતા માટે ઉપલબ્ધ કરાવવી પડશે. અન્યથા, આ ‘મોતના સોદાગરો‘ નિર્દોષ નાગરિકોનો ભોગ લેતા રહેશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...