Saturday, March 7, 2026

અમદાવાદમાં એસટી બસો અને લકઝરી બસને ‘નો એન્ટ્રી‘ નિર્ણય આવકારદાયક, પણ ભારે વાહનોને છૂટો દોર કેમ?

spot_img
Share

અમદાવાદ : શહેરના ટ્રાફિકને હળવો કરવા અને અકસ્માતો ઘટાડવા માટે સરકાર અને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એસટી (જી્) અને લક્ઝરી બસોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવાના ર્નિણયને જનતાએ આવકાર્યો છે. પરંતુ, સિક્કાની બીજી બાજુ એ છે કે જે વાહનો ખરેખર જીવલેણ અકસ્માતો માટે જવાબદાર છે, તેવા ડમ્પર, કન્ટેનર અને મિક્સર મશીનો હજુ પણ શહેરના માર્ગો પર ‘માતેલા સાંઢ‘ની જેમ ફરી રહ્યા છે.

તંત્રના ર્નિણય સામે સવાલ ઉઠી રહ્યો છે કે શું શહેરની ટ્રાફિક સમસ્યા માટે માત્ર મુસાફર બસો જ જવાબદાર છે? આંકડાઓ સાક્ષી છે કે શહેરમાં થતા ગંભીર અકસ્માતોમાં મોટાભાગે રેતી-કપચીના ડમ્પરો, કોર્પોરેશનના કચરાના વાહનો અને વિશાળ કન્ટેનરો સંડોવાયેલા હોય છે. આ વાહનો નો-પાર્કિંગ ઝોનમાં અને જાહેર રોડ પર અડિંગો જમાવીને ઊભા રહે છે, છતાં તેમની સામે કાર્યવાહી કેમ થતી નથી?

‘પરમિશન‘ ના નામે જાેખમી ખેલ
પોલીસ તંત્રનું કહેવું છે કે આ ભારે વાહનો પરમિશન સાથે ફરે છે. પરંતુ અહીં પ્રશ્ન એ થાય છે કે:
શું પરમિશન મળવાથી આ વાહનોની સ્પીડ કે અકસ્માતનું જાેખમ ઘટી જાય છે?
બાંધકામના વાહનો (ત્નઝ્રમ્, ક્રેન, મિક્સર) પીક અવર્સમાં વ્યસ્ત રોડ પર કઈ રીતે ફરી શકે?
જાહેરનામું હોવા છતાં ખાનગી લક્ઝરી બસો કયા ‘વહીવટ‘ને કારણે શહેરમાં બેરોકટોક પ્રવેશે છે?

સામાન્ય નાગરિક મુંઝવણમાં: પરમિશન છે કે નહીં તે કેવી રીતે ઓળખવું?
સામાન્ય જનતા માટે એ ઓળખવું અશક્ય છે કે રસ્તા પર દોડતું ભારે વાહન કાયદેસરની પરમિશન સાથે છે કે ગેરકાયદે.
કોઈ સ્પષ્ટ સ્ટીકર કે ઓળખ નથી: પરમિશન વાળા વાહનો પર કોઈ વિશિષ્ટ માર્કિંગ હોતું નથી.
ડિજિટલ ટ્રેકિંગનો અભાવ: કયા વાહનને કયા રૂટની પરમિશન છે તેની માહિતી જાહેર પ્લેટફોર્મ પર ઉપલબ્ધ નથી.
નિયમોનું ઉલ્લંઘન: ઘણીવાર પરમિશન એક ચોક્કસ સમયની હોય છે, પરંતુ વાહનો આખો દિવસ દોડતા જાેવા મળે છે.

તંત્ર સામેના તીખા સવાલો
કોની મહેરબાની: શું મોટા કોન્ટ્રાક્ટરો અને ટ્રાન્સપોર્ટરો સામે કાર્યવાહી કરતા તંત્રના હાથ ધ્રૂજે છે?
પાર્કિંગ માફિયા: રોડ પર ગેરકાયદે પાર્ક થતા કન્ટેનરો સામે ‘ટોઈંગ‘ની કામગીરી કેમ ઠપ્પ છે?
ભ્રષ્ટાચારની આશંકા: શું ‘પરમિશન‘ ના નામે માત્ર કાગળ પર જ નિયમો ચાલે છે અને વાસ્તવિકતામાં ‘વહીવટ‘ ચાલે છે?

જાે અમદાવાદને ખરેખર સુરક્ષિત બનાવવું હોય, તો માત્ર પેસેન્જર બસોને રોકવાથી કંઈ નહીં વળે. તંત્રએ ડમ્પર, ટેન્કર અને કન્ટેનર જેવા ભારે વાહનો માટે કડક સમયમર્યાદા નક્કી કરવી પડશે અને પરમિશનની પ્રક્રિયાને પારદર્શક બનાવી જાહેર જનતા માટે ઉપલબ્ધ કરાવવી પડશે. અન્યથા, આ ‘મોતના સોદાગરો‘ નિર્દોષ નાગરિકોનો ભોગ લેતા રહેશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...