Saturday, March 7, 2026

AMCની અનોખી પહેલ ‘ટ્રી બસ સ્ટેશન’: ઝાડ કાપ્યા વગર બનશે હાઈટેક સ્ટોપ, મુસાફરોને ગરમીમાં મળશે ઠંડક

spot_img
Share

અમદાવાદ : અમદાવાદની ગરમીમાં બસની રાહ જોતા મુસાફરો માટે હવે રાહતના સમાચાર આવ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા શહેરના પર્યાવરણને જાળવવા અને મુસાફરોને કુદરતી ઠંડક આપવા માટે એક અનોખો પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. AMTS ટ્રાન્સપોર્ટ કમિટીએ હવે ‘ટ્રી બસ સ્ટેશન’ બનાવવાની મંજૂરી આપી દીધી છે, જે અંતર્ગત હયાત વૃક્ષોને કાપવાને બદલે તેની આસપાસ જ આધુનિક બસ સ્ટોપ તૈયાર કરવામાં આવશે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, AMC દ્વારા શહેરમાં નવી પહેલરૂપે ટ્રી બસ સ્ટેશન બનાવવાની યોજના હાથ ધરવામાં આવી છે. આ યોજના માટે AMTS દ્વારા ઝાડની આસપાસ ખાસ ડિઝાઇન સાથે બસ સ્ટેશન વિકસાવવામાં આવશે.શહેરના ચાંદખેડા વિસ્તારમાં અમદાવાદનું પ્રથમ ‘ટ્રી બસ સ્ટોપ’ આકાર લેવા જઈ રહ્યું છે. AMTS કમિટીના નિર્ણય મુજબ, આ બસ સ્ટોપ કોઈ સામાન્ય કોંક્રિટનું માળખું નહીં હોય, પરંતુ રસ્તા પર આવેલા ઘટાદાર વૃક્ષની આસપાસ જ તેને ડિઝાઇન કરવામાં આવશે. આ પ્રોજેક્ટ પાછળ અંદાજે રૂ. 5.72 લાખનો ખર્ચ કરવામાં આવનાર છે. વૃક્ષના છાંયડામાં બેસીને મુસાફરો બસની રાહ જોઈ શકશે.

અમદાવાદમાં ઉનાળાની કાળઝાળ ગરમી જાણીતી છે, ત્યારે આ ટ્રી બસ સ્ટેશનમાં મુસાફરોને વિશેષ રાહત આપવા માટે ‘મિસ્ટ સ્પ્રિંકલર’ લગાવવામાં આવશે. આ સ્પ્રિંકલરમાંથી ઉડતી પાણીની બારીક બુંદો વાતાવરણમાં ઠંડક પ્રસરાવશે, જેનાથી બસની રાહ જોતા લોકોએ પરસેવે રેબઝેબ નહીં થવું પડે. આ ઉપરાંત સ્ટેશન પર આરામદાયક ચેર અને બાંકડાની વ્યવસ્થા પણ કરવામાં આવશે, જેથી વૃદ્ધો અને દિવ્યાંગોને પણ સરળતા રહે.

AMCની ટ્રાન્સપોર્ટ કમિટીમાં પાયલોટ પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી છે. પાયલોટ પ્રોજેક્ટ છે. અત્યારે દરેક ઝોનમાં શરૂઆતમાં 2-2 સ્ટેશન પર આ રીતે કામ કરવામાં આવશે. મ્યુનિસિપલ કોર્પોરેશનનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે વિકાસના નામે રસ્તા પરના હયાત ઝાડ કાપવા ન પડે અને કુદરતી છાંયડાનો મહત્તમ ઉપયોગ કરી શકાય. જો આ પ્રયોગ સફળ રહેશે, તો આગામી સમયમાં સમગ્ર શહેરમાં આવા ‘ટ્રી બસ સ્ટોપ્સ’ જોવા મળી શકે છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...