Thursday, September 17, 2026

સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે ચૈત્રી નવરાત્રિ નિમિત્તે દર્શનના સમયમાં ફેરફાર, જાણો સંપૂર્ણ વિગત

spot_img
Share

પાવાગઢ : પંચમહાલ જિલ્લામાં આવેલું સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ આગામી ચૈત્રી નવરાત્રિ માટે સજ્જ થઈ રહ્યું છે. જગતજનની મા મહાકાળીના ચરણોમાં શીશ ઝુકાવવા માટે દર વર્ષે લાખો ભક્તો અહીં ઉમટી પડતા હોય છે. આ વર્ષે 17 માર્ચથી 2 એપ્રિલ સુધી ચૈત્રી નવરાત્રિની ઉજવણી થનાર છે, જેને ધ્યાનમાં રાખીને શ્રી કાલિકા માતાજી મંદિર ટ્રસ્ટ દ્વારા દર્શનના સમયગાળામાં અને વ્યવસ્થામાં મહત્વના ફેરફાર કરવામાં આવ્યા છે. ભક્તોને કોઈ અગવડતા ન પડે અને સુચારુ રીતે દર્શન થઈ શકે તે માટે મંદિર વહીવટી તંત્ર દ્વારા આયોજનને આખરી ઓપ આપવામાં આવ્યો છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, શ્રી કાલિકા માતાજી મંદિર ટ્રસ્ટ દ્વારા તારીખ 17 માર્ચથી 2 એપ્રિલ સુધીના સમયગાળા માટે દર્શનનું નવું સમયપત્રક જાહેર કરવામાં આવ્યું છે. સામાન્ય દિવસોમાં મંદિર સવારે 6:00 કલાકે મંગળા આરતી બાદ ખુલશે અને રાત્રે 8:00 કલાકે મંગલ થશે, એટલે કે ભક્તો સતત 14 કલાક દર્શન કરી શકશે. જ્યારે એકમ, ચોથ, આઠમ, અગિયારસ અને પૂનમ જેવી વિશેષ તિથિઓ પર ભીડને ધ્યાનમાં રાખીને મંદિર વહેલી સવારે 5:00 કલાકે ખોલી દેવામાં આવશે અને રાત્રે 8:00 વાગ્યા સુધી દર્શન ચાલુ રહેશે.

ભક્તોની સુરક્ષા અને સુવિધાને પ્રાથમિકતા આપતા મંદિર ટ્રસ્ટ દ્વારા નક્કર આયોજન કરવામાં આવ્યું છે. ચૈત્રી નવરાત્રિ દરમિયાન ગરમીનું પ્રમાણ વધુ હોય છે. વહેલી સવારે 5 વાગ્યાથી મંદિર ખુલવાને કારણે પદયાત્રીઓને ડુંગર ચઢવામાં ગરમીનો સામનો ઓછો કરવો પડશે. આ ઉપરાંત ભીડનું વિભાજન યોગ્ય રીતે થવાથી ભક્તોને લાંબી કતારોમાં ઉભા રહેવામાં રાહત મળશે.

મંદિર પરિસર, પગથિયાં માર્ગ અને રોપ-વે જેવી મહત્વની જગ્યાઓ પર CCTV કેમેરા દ્વારા સતત વોચ રાખવામાં આવશે. આ સાથે જ યાત્રાળુઓની સુખાકારી માટે ડુંગર પર ઠેર-ઠેર પીવાના શુદ્ધ પાણીની પરબ અને મેડિકલ કેમ્પની સુવિધા ઉભી કરવામાં આવશે, તેમજ ભીડના અસરકારક નિયંત્રણ અને ભક્તોની સુરક્ષિત અવરજવર માટે ખાસ બેરિકેડ્સ પણ લગાવવામાં આવશે.

પાવાગઢ શક્તિપીઠ ખાતે માત્ર ગુજરાત જ નહીં, પરંતુ રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્ર જેવા પાડોશી રાજ્યોમાંથી પણ હજારો પદયાત્રીઓ અને સંઘો ધજા ચઢાવવા માટે આવે છે. આ આંતરરાજ્ય ભક્તોની સુરક્ષા માટે પંચમહાલ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...