Monday, March 9, 2026

સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે ચૈત્રી નવરાત્રિ નિમિત્તે દર્શનના સમયમાં ફેરફાર, જાણો સંપૂર્ણ વિગત

spot_img
Share

પાવાગઢ : પંચમહાલ જિલ્લામાં આવેલું સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ આગામી ચૈત્રી નવરાત્રિ માટે સજ્જ થઈ રહ્યું છે. જગતજનની મા મહાકાળીના ચરણોમાં શીશ ઝુકાવવા માટે દર વર્ષે લાખો ભક્તો અહીં ઉમટી પડતા હોય છે. આ વર્ષે 17 માર્ચથી 2 એપ્રિલ સુધી ચૈત્રી નવરાત્રિની ઉજવણી થનાર છે, જેને ધ્યાનમાં રાખીને શ્રી કાલિકા માતાજી મંદિર ટ્રસ્ટ દ્વારા દર્શનના સમયગાળામાં અને વ્યવસ્થામાં મહત્વના ફેરફાર કરવામાં આવ્યા છે. ભક્તોને કોઈ અગવડતા ન પડે અને સુચારુ રીતે દર્શન થઈ શકે તે માટે મંદિર વહીવટી તંત્ર દ્વારા આયોજનને આખરી ઓપ આપવામાં આવ્યો છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, શ્રી કાલિકા માતાજી મંદિર ટ્રસ્ટ દ્વારા તારીખ 17 માર્ચથી 2 એપ્રિલ સુધીના સમયગાળા માટે દર્શનનું નવું સમયપત્રક જાહેર કરવામાં આવ્યું છે. સામાન્ય દિવસોમાં મંદિર સવારે 6:00 કલાકે મંગળા આરતી બાદ ખુલશે અને રાત્રે 8:00 કલાકે મંગલ થશે, એટલે કે ભક્તો સતત 14 કલાક દર્શન કરી શકશે. જ્યારે એકમ, ચોથ, આઠમ, અગિયારસ અને પૂનમ જેવી વિશેષ તિથિઓ પર ભીડને ધ્યાનમાં રાખીને મંદિર વહેલી સવારે 5:00 કલાકે ખોલી દેવામાં આવશે અને રાત્રે 8:00 વાગ્યા સુધી દર્શન ચાલુ રહેશે.

ભક્તોની સુરક્ષા અને સુવિધાને પ્રાથમિકતા આપતા મંદિર ટ્રસ્ટ દ્વારા નક્કર આયોજન કરવામાં આવ્યું છે. ચૈત્રી નવરાત્રિ દરમિયાન ગરમીનું પ્રમાણ વધુ હોય છે. વહેલી સવારે 5 વાગ્યાથી મંદિર ખુલવાને કારણે પદયાત્રીઓને ડુંગર ચઢવામાં ગરમીનો સામનો ઓછો કરવો પડશે. આ ઉપરાંત ભીડનું વિભાજન યોગ્ય રીતે થવાથી ભક્તોને લાંબી કતારોમાં ઉભા રહેવામાં રાહત મળશે.

મંદિર પરિસર, પગથિયાં માર્ગ અને રોપ-વે જેવી મહત્વની જગ્યાઓ પર CCTV કેમેરા દ્વારા સતત વોચ રાખવામાં આવશે. આ સાથે જ યાત્રાળુઓની સુખાકારી માટે ડુંગર પર ઠેર-ઠેર પીવાના શુદ્ધ પાણીની પરબ અને મેડિકલ કેમ્પની સુવિધા ઉભી કરવામાં આવશે, તેમજ ભીડના અસરકારક નિયંત્રણ અને ભક્તોની સુરક્ષિત અવરજવર માટે ખાસ બેરિકેડ્સ પણ લગાવવામાં આવશે.

પાવાગઢ શક્તિપીઠ ખાતે માત્ર ગુજરાત જ નહીં, પરંતુ રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્ર જેવા પાડોશી રાજ્યોમાંથી પણ હજારો પદયાત્રીઓ અને સંઘો ધજા ચઢાવવા માટે આવે છે. આ આંતરરાજ્ય ભક્તોની સુરક્ષા માટે પંચમહાલ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...