Thursday, March 12, 2026

અમદાવાદમાં AMC ચૂંટણીમાં ભાજપમાં ફરી ‘નો રિપીટ‘ થીયરીની શક્યતા..!!

spot_img
Share

અમદાવાદ : ગુજરાતમાં આગામી સમયમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે રાજકીય પારો અત્યારથી જ ઉંચકાયો છે. રાજ્ય ચૂંટણી પંચ અને સરકાર દ્વારા વહીવટી તૈયારીઓ તેજ કરી દેવામાં આવી છે ત્યારે સત્તાધારી પક્ષ ભાજપે ઉમેદવારોના પસંદગીના માપદંડોને લઈને અત્યંત મહત્વનો ર્નિણય લીધો છે. ગત મ્યુ ચુંટણીઓ દરમિયાન ભાજપ દ્વારા લાગુ કરાયેલ આ વખતે પણ પોતાની કડક ‘નો-રિપીટ‘ થીયરી ચાલુ રાખશે, જેના કારણે અનેક દિગ્ગજ નેતાઓના પત્તા કપાય તેવી પૂરેપૂરી શક્યતા છે.

ભાજપના આંતરિક સૂત્રોના જણાવ્યા અનુસાર, પક્ષે આ વખતે યુવાઓને મેદાનમાં ઉતારવા પર વધુ ભાર મૂક્યો છે. ભાજપે ર્નિણય લીધો છે કે જે નેતાઓ ત્રણ ટર્મથી વધુ સમયથી ચૂંટણી લડ્યા છે અથવા જેઓની વય 60 વર્ષથી વધુ છે, તેમને આ વખતે ટિકિટ આપવામાં આવશે નહીં. આ આકરા ર્નિણયને કારણે વર્ષોથી સત્તામાં રહેલા અનેક ‘જૂના જાેગીઓ‘ માં ફફડાટ વ્યાપી ગયો છે. ખાસ કરીને અમદાવાદ મહાનગરપાલિકાની વાત કરીએ તો, હાલમાં એવા 32 જેટલા કોર્પોરેટરો છે જેઓ કાં તો ત્રણ ટર્મ પૂરી કરી ચૂક્યા છે અથવા વયમર્યાદાના કારણે ભાજપના નવા ધારાધોરણોમાં ફિટ બેસતા નથી. પરિણામે, અમદાવાદમાં જ મોટાપાયે નવા ચહેરાઓને તક મળી શકે છે.

બીજી તરફ, મુખ્ય વિરોધ પક્ષ કોંગ્રેસે પણ પોતાની રણનીતિ બદલી છે. કોંગ્રેસ હવે જૂના નેતાઓના સ્થાને પક્ષના કાર્યક્રમોમાં સક્રિય રહેનારા યુવા કાર્યકરો પર મદાર બાંધી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, બદલાયેલા સમીકરણોમાં કોંગ્રેસ પરિવારવાદને પણ મહત્વ આપી શકે છે અને અમદાવાદના પશ્ચિમ વિસ્તારોમાં ભાજપને ટક્કર આપવા માટે ‘આયાતી‘ (અન્ય વિસ્તારના સક્ષમ) ઉમેદવારોને મેદાનમાં ઉતારવાની તૈયારી કરી રહી છે.આગામી દિવસોમાં જ્યારે સંગઠન દ્વારા ચૂંટણીલક્ષી કામગીરી શરૂ કરવામાં આવશે, ત્યારે ટિકિટ વાંચ્છુઓની દોડધામમાં વધારો થવો નિશ્ચિત છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...