Thursday, March 19, 2026

અમદાવાદમાં ‘લાલ પ્લેટવાળી’ ફોર્ચ્યુનર કારને રોકતાં 2 કરોડથી કિંમતની બનાવટી ચલણી નોટોનો કાંડ ખુલ્યો!

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ગત મોડી રાતે એક મોટા ઓપરેશનમાં અમરાઈવાડી વિસ્તારમાંથી રૂપિયા 2 કરોડથી વધુની કિંમતની બનાવટી ચલણી નોટો સાથે 6 શખ્સોની ધરપકડ કરી છે. આ તમામ નોટો 500 રૂપિયાના દરની છે. સુરતમાં નકલી નોટો બની હતી અને અમદાવાદમાં હેરફેર માટે આવી હતી. હાલ પોલીસે તમામની ધરપકડ કરી આ બનાવટી ચલણી નોટો મામલે વધુ તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી કે, નકલી નોટો સાથે કેટલાક લોકો ગાડીમાં અમરાઇવાડી વિસ્તારમાંથી પસાર થઇ રહ્યા છે. બાતમીના આધારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે વોચ ગોઠવી હતી. અમરાઇવાડી વિસ્તારમાંથી એક ફોર્ચ્યુનર કાર પસાર થઇ રહી હતી, ત્યારે તેને રોકીને તપાસ કરતાં કારમાં એક મહિલા સહિત છ લોકો સવાર હતા. આ તમામ લોકોની પૂછપરછ કરવામાં આવી હતી.

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે એક મોટા ઓપરેશનમાં અમરાઈવાડી વિસ્તારમાંથી 2 કરોડની કિંમતની બનાવટી ચલણી નોટો સાથે છ શખ્સોની ધરપકડ કરી છે, જેમાં એક મહિલા પણ સામેલ છે. આ તમામ નોટો 500ના દરની છે. હાલ પોલીસે તમામની ધરપકડ કરી આ બનાવટી ચલણી નોટો મામલે વધુ તપાસ હાથ ધરી છે. હવે આ મામલે મોટો ખુલાસો થયો છે. શ્રી સત્યમ યોગ ફાઉન્ડેશન લખેલી ગાડીમાં આ નોટોની હેરાફેરી થતી હતી. નોટોની હેરાફેરી માટે આયુશ મંત્રાલય લખેલી કારનો ઉપયોગ કરાતો હતો. આ સાથે ગાડી પર “ગવર્મેન્ટ ઓફ ઈન્ડિયા” પણ લખેલું જોવા મળે છે.

કારમાં તપાસ કરતાં રૂપિયા 500ના દરની બનાવટી ચલણી નોટો મળી આવી હતી. જેની ગણતરી કરતાં આશરે 2 કરોડ અને 10 લાખની નકલી ચલણી નોટો મળી આવી છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, આ ચલણી નોટોના તાર સુરત સુધી લંબાયેલા છે. એટલે કે સુરતમાં નકલી નોટો છાપીને તેને અમદાવાદ ખાતે લાવવામાં આવી રહી હતી.

સુરતમાં પણ આ અંગે તપાસ કરવામાં આવી હતી. વરાછામાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી હતી. જ્યાંથી એક પ્રિન્ટર મશીન મળી આવ્યું હતું. સુરતમાંથી 80 લાખની નકલી નોટો પણ કબ્જે કરાઈ છે. ધરપકડ કરાયેલા લોકોમાં સદગુરુ પ્રદીપજીનો પણ સામેલ છે. જે નકલી નોટો છાપવાનું રેકેટ ચલાવતો હતો. આ માટે સુરતમાં એક બંગલો ભાડે રાખવામાં આવ્યો હતો. જ્યાં નોટો છાપ્યા બાદ તેને સુરત ખાતેના આશ્રમ લઈ જવામાં આવતી હતી.

પોલીસ તપાસ મુજબ, આ આરોપી ચીનથી હાઈ ક્વૉલિટી પેપર લાવીને નકલી ચલણી નોટો બનાવતા. આ તમામ નોટોનો ઉપયોગ તેઓ જમીન સોદામાં વટાવતા. આ માટે તેઓ આંગડિયાનો પણ ઉપયોગ કરતા. આ પહેલા પણ આરોપીઓ અમદાવાદમાં ત્રણથી ચાર નાણાકીય વ્યવહાર કરી ચૂક્યા છે, જે દિશામાં હાલ તપાસ ચાલી રહી છે. આ નોટો ત્યાં સુધી નથી પકડી શકાતી, જ્યાં સુધી બેંકના ટેબલ પર તેનું સ્કેનિંગ ના થાય.

પોલીસ તપાસમાં સામે આવેલી પ્રાથમિક વિગત મુજબ, આ પ્રકરણમાં ઝડપાયેલો પ્રદીપ ગુરુજી અગાઉ રાજકોટમાં રહેતો હતો. પ્રદીપ ગુરુજી રાજકોટમાં પટેલ ફાઉન્ડેશનના નામથી યોગ ક્લાસ ચલાવતો હતો. જે બાદ થોડા વર્ષોથી પ્રદીપ ગુરુજી સુરતમાં યોગ આશ્રમ શરૂ કર્યો હતો.

 

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...