અમદાવાદ : અમદાવાદ સહિતના શહેરોમાં સવારના સમયે કેટલાક પેટ્રોલપંપ બંધ જોવા મળ્યા હતા. જેના કારણે પેટ્રોલ મળતું બંધ થઈ જશે તેવા ડરના કારણે વાહનચાલકો પેટ્રોલ પંપ પર પહોંચવા લાગ્યા હતા. સાંજ પડતા જ અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ સહિતના શહેરોના પેટ્રોલ પંપ પર લાંબી કતારો લાગતા ટ્રાફિકજામના દૃશ્યો જોવા મળ્યા.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ,નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલની અછત માત્ર અફવા છે. રાજ્યમાં પેટ્રોલ-ડીઝલનો પુરતો જથ્થો ઉપલબ્ધ છે. તેમજ લોકોએ અફવામાં ન આવવા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ અપીલ કરી છે. પેટ્રોલ પંપ પર કોઈ પણ પ્રકારની લાઈન ન લગાવો. લોકોએ ભાગદોડ કરવાની કોઈ જરૂર નથી. જથ્થા અને સપ્લાય બાબતે રાજ્ય સરકાર દરરોજ રિવ્યું કરે છે. હાથ જોડીને વિનંતી કરૂ છું કે સોશિયલ મીડિયામાં અફવા ન ફેલાવો ખોટી અફવા ફેલાવનાર સામે પગલા ભરવામાં આવશે. તેમજ તમામ શહેરમાં પેટ્રોલ-ડીઝલનો પુરતો જથ્થો મળે તે માટેની વ્યવસ્થા કરવામાં આવશે. કાળા બજારીયાઓ વિરૂદ્ધ આકરી કાર્યવાહી કરવામાં આવશે.
તેમજ પેટ્રોલ ખુટવાની અફવા વચ્ચે પેટ્રોલ એસોસિએશનના પ્રમુખ અરવિંદ ઠક્કરે સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે, પેટ્રોલ કંપનીઓ પાસે પુરતો જથ્થો ઉપલબ્ધ છે. પેટ્રોલ કે ડીઝલ ઓછું વેચવાનો કોઈ આદેશ મળ્યો નથી. અમદાવાદમાં અત્યારે 210 પેટ્રોલ પંપ છે. માત્ર 2 કે 3 પેટ્રોલ પંપમાં પેટ્રોલ નથી. પેટ્રોલ-ડીઝલ ખુટવાની અફવાથી દૂર રહેવાની જરૂર છે. સામાન્ય જનતાને પેટ્રોલ પંપ પર લાઈન ન લગાવવા અપીલ કરી છે.
અમદાવાદમાં વિવિધ પેટ્રોલ પંપ પર લાંબી લાઈનો લાગી છે. શહેરના ડ્રાઈવ ઈન રોડ પર આવેલા પેટ્રોલ પંપ પર લાઈનો લાગી છે. પેટ્રોલ-ડીઝલ ન મળવાની અફવા ફેલાતા લાંબી લાઈનો લાગી છે. શહેરમાં પેટ્રોલ-ડીઝલનો જથ્થો ન હોવાની અફવા ફેલાઈ રહી છે. ડ્રાઈવ ઈન રોડ પર પેટ્રોલ પંપ પર લોકો ઉમટી પડ્યા છે. પેટ્રોલ-ડીઝલ માટે અફવા ન ફેલાવવા MIrchiNews ની અપીલ છે.


