Tuesday, March 24, 2026

હર્ષ સંઘવીએ કહ્યું, પેટ્રોલ-ડીઝલની અછત એ માત્ર અફવા ! અફવાથી દૂર રહેવા ‘મિર્ચી ન્યુઝ’ની અપીલ

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ સહિતના શહેરોમાં સવારના સમયે કેટલાક પેટ્રોલપંપ બંધ જોવા મળ્યા હતા. જેના કારણે પેટ્રોલ મળતું બંધ થઈ જશે તેવા ડરના કારણે વાહનચાલકો પેટ્રોલ પંપ પર પહોંચવા લાગ્યા હતા. સાંજ પડતા જ અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ સહિતના શહેરોના પેટ્રોલ પંપ પર લાંબી કતારો લાગતા ટ્રાફિકજામના દૃશ્યો જોવા મળ્યા.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ,નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલની અછત માત્ર અફવા છે. રાજ્યમાં પેટ્રોલ-ડીઝલનો પુરતો જથ્થો ઉપલબ્ધ છે. તેમજ લોકોએ અફવામાં ન આવવા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ અપીલ કરી છે. પેટ્રોલ પંપ પર કોઈ પણ પ્રકારની લાઈન ન લગાવો. લોકોએ ભાગદોડ કરવાની કોઈ જરૂર નથી. જથ્થા અને સપ્લાય બાબતે રાજ્ય સરકાર દરરોજ રિવ્યું કરે છે. હાથ જોડીને વિનંતી કરૂ છું કે સોશિયલ મીડિયામાં અફવા ન ફેલાવો ખોટી અફવા ફેલાવનાર સામે પગલા ભરવામાં આવશે. તેમજ તમામ શહેરમાં પેટ્રોલ-ડીઝલનો પુરતો જથ્થો મળે તે માટેની વ્યવસ્થા કરવામાં આવશે. કાળા બજારીયાઓ વિરૂદ્ધ આકરી કાર્યવાહી કરવામાં આવશે.

તેમજ પેટ્રોલ ખુટવાની અફવા વચ્ચે પેટ્રોલ એસોસિએશનના પ્રમુખ અરવિંદ ઠક્કરે સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે, પેટ્રોલ કંપનીઓ પાસે પુરતો જથ્થો ઉપલબ્ધ છે. પેટ્રોલ કે ડીઝલ ઓછું વેચવાનો કોઈ આદેશ મળ્યો નથી. અમદાવાદમાં અત્યારે 210 પેટ્રોલ પંપ છે. માત્ર 2 કે 3 પેટ્રોલ પંપમાં પેટ્રોલ નથી. પેટ્રોલ-ડીઝલ ખુટવાની અફવાથી દૂર રહેવાની જરૂર છે. સામાન્ય જનતાને પેટ્રોલ પંપ પર લાઈન ન લગાવવા અપીલ કરી છે.

અમદાવાદમાં વિવિધ પેટ્રોલ પંપ પર લાંબી લાઈનો લાગી છે. શહેરના ડ્રાઈવ ઈન રોડ પર આવેલા પેટ્રોલ પંપ પર લાઈનો લાગી છે. પેટ્રોલ-ડીઝલ ન મળવાની અફવા ફેલાતા લાંબી લાઈનો લાગી છે. શહેરમાં પેટ્રોલ-ડીઝલનો જથ્થો ન હોવાની અફવા ફેલાઈ રહી છે. ડ્રાઈવ ઈન રોડ પર પેટ્રોલ પંપ પર લોકો ઉમટી પડ્યા છે. પેટ્રોલ-ડીઝલ માટે અફવા ન ફેલાવવા MIrchiNews ની અપીલ છે.

 

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...