અમદાવાદ : અમદાવાદમાં નિવૃત્ત પોલીસ ઈન્સ્પેક્ટર (PI) દ્વારા આપઘાતની ઘટનાએ ચકચાર મચાવી છે. SRPમાં ફરજ બજાવનાર નિવૃત્ત PI જ્યંતિભાઈ પરમારે 24 માર્ચે સવારે ચાંદલોડિયા વિસ્તારમાં પોતાની બોલેરો પીકઅપમાં ઝેર પી આત્મહત્યા કરી લીધી હોવાનું સામે આવ્યું છે. આ મામલે સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે અને તપાસ શરૂ કરવામાં આવી છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, SRPમાં ફરજ બજાવનાર નિવૃત્ત PI જયંતી પરમાર જ્યારે પોલીસની સર્વિસમાં હતા ત્યારે બધું સામાન્ય હતું, પરંતુ નિવૃત્તિ બાદ તેમના જ ઘરમાં તેમની સ્થિતિ બદલાઈ ગઈ હતી. નિવૃત્ત થયા પછી તે હવે કોઈ કામના નથી તેમ કહીને તેમની પત્ની અને સાળી દ્વારા અવારનવાર માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. તેને ઘરમાંથી કાઢી મૂકવા માટે સતત મેણા-ટોણા મારવામાં આવતા હતા, જેના કારણે નિવૃત્ત PI ભારે માનસિક દબાણમાં રહેતા હતા.
મૃતકના ભાઈનો આક્ષેપ છે કે જમવાનું પણ આપતા નહોતા. તેમનો નાનો પુત્ર પણ તેને માર મારતો હતો. એટલું જ નહીં પેન્શનની રકમ પણ આપી દેવા માટે દબાણ કરતા હતા. અવારનવાર અપમાનિત કરીને તેઓને ઘરમાંથી કાઢી મૂકતા મૃતક તેમના ભાઈના ત્યાં પણ રહેવા માટે જતા રહેતા હતા. 18મી માર્ચના દિવસે રાત્રિના સાડા અગિયાર વાગ્યાની આસપાસ મૃતકનો નાનો દીકરો મનોજ દારૂ પીને આવ્યો હતો. ‘માસીના વીસ લાખ રૂપિયા ખાઈ ગયો છે’ તેવા આક્ષેપો કરીને માર મારવા લાગ્યો હતો. જ્યારે તેમના સાળીએ કેરેક્ટર સંબંધિત ખોટા આક્ષેપો કર્યા હતા.
જ્યારે સાળી મૃતકના ઘરમાં ચઢામણી કરીને તેમના કેરેક્ટર બાબતે ખોટા આક્ષેપો કરીને અવારનવાર ઝઘડા-તકરાર કરાવીને ઘરમાંથી કાઢી મૂકતા હતા. તેમનો નાનો દીકરો પણ અવારનવાર દારૂ પીને તેમની સાથે મારઝૂડ કરતો હતો. મૃતકે જેની જાણ પોલીસને અને તેમના પરિવારજનોને પણ કરી હતી.આમ કંટાળીને મૃતક જયંતીભાઈ 25મી માર્ચના દિવસે ઘરેથી નીકળીને સસાઇડ નોટ લખી ઝેરી દવા પી આત્મહત્યા કરી લીધી હતી.હાલમાં પોલીસે સુસાઇડ નોટના આધારે મૃતકની પત્ની, સાળી અને નાના પુત્ર વિરુદ્ધમાં ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.


