Thursday, March 26, 2026

સોલામાં નિવૃત્ત PIનો આપઘાત, કામનો નથી, કાઢી મૂકો,’ પત્ની-સાળી અને પુત્રના ત્રાસનો આક્ષેપ

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં નિવૃત્ત પોલીસ ઈન્સ્પેક્ટર (PI) દ્વારા આપઘાતની ઘટનાએ ચકચાર મચાવી છે. SRPમાં ફરજ બજાવનાર નિવૃત્ત PI જ્યંતિભાઈ પરમારે 24 માર્ચે સવારે ચાંદલોડિયા વિસ્તારમાં પોતાની બોલેરો પીકઅપમાં ઝેર પી આત્મહત્યા કરી લીધી હોવાનું સામે આવ્યું છે. આ મામલે સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે અને તપાસ શરૂ કરવામાં આવી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, SRPમાં ફરજ બજાવનાર નિવૃત્ત PI જયંતી પરમાર જ્યારે પોલીસની સર્વિસમાં હતા ત્યારે બધું સામાન્ય હતું, પરંતુ નિવૃત્તિ બાદ તેમના જ ઘરમાં તેમની સ્થિતિ બદલાઈ ગઈ હતી. નિવૃત્ત થયા પછી તે હવે કોઈ કામના નથી તેમ કહીને તેમની પત્ની અને સાળી દ્વારા અવારનવાર માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. તેને ઘરમાંથી કાઢી મૂકવા માટે સતત મેણા-ટોણા મારવામાં આવતા હતા, જેના કારણે નિવૃત્ત PI ભારે માનસિક દબાણમાં રહેતા હતા.

મૃતકના ભાઈનો આક્ષેપ છે કે જમવાનું પણ આપતા નહોતા. તેમનો નાનો પુત્ર પણ તેને માર મારતો હતો. એટલું જ નહીં પેન્શનની રકમ પણ આપી દેવા માટે દબાણ કરતા હતા. અવારનવાર અપમાનિત કરીને તેઓને ઘરમાંથી કાઢી મૂકતા મૃતક તેમના ભાઈના ત્યાં પણ રહેવા માટે જતા રહેતા હતા. 18મી માર્ચના દિવસે રાત્રિના સાડા અગિયાર વાગ્યાની આસપાસ મૃતકનો નાનો દીકરો મનોજ દારૂ પીને આવ્યો હતો. ‘માસીના વીસ લાખ રૂપિયા ખાઈ ગયો છે’ તેવા આક્ષેપો કરીને માર મારવા લાગ્યો હતો. જ્યારે તેમના સાળીએ કેરેક્ટર સંબંધિત ખોટા આક્ષેપો કર્યા હતા.

જ્યારે સાળી મૃતકના ઘરમાં ચઢામણી કરીને તેમના કેરેક્ટર બાબતે ખોટા આક્ષેપો કરીને અવારનવાર ઝઘડા-તકરાર કરાવીને ઘરમાંથી કાઢી મૂકતા હતા. તેમનો નાનો દીકરો પણ અવારનવાર દારૂ પીને તેમની સાથે મારઝૂડ કરતો હતો. મૃતકે જેની જાણ પોલીસને અને તેમના પરિવારજનોને પણ કરી હતી.આમ કંટાળીને મૃતક જયંતીભાઈ 25મી માર્ચના દિવસે ઘરેથી નીકળીને સસાઇડ નોટ લખી ઝેરી દવા પી આત્મહત્યા કરી લીધી હતી.હાલમાં પોલીસે સુસાઇડ નોટના આધારે મૃતકની પત્ની, સાળી અને નાના પુત્ર વિરુદ્ધમાં ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...