Thursday, March 26, 2026

વાડજ પોલીસે બોલાવ્યો સપાટો, પગાર વસૂલી મામલે સુપરવાઈઝરનું ફિલ્મી ઢબે અપહરણ, 2 સગીર સહિત 7 ઝડપાયા

spot_img
Share

અમદાવાદ: અમદાવાદના વાડજ વિસ્તારમાં પગારનો વિવાદ અપહરણ અને અત્યાચારમાં ફેરવાયો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં હાઉસ કીપિંગ કંપનીમાં કામ કરતા કર્મચારીઓએ પગાર બાકી રહેતા પોતાના જ ફિલ્ડ સુપરવાઈઝરનું ફિલ્મી અંદાજમાં અપહરણ કર્યું હતું. આરોપીઓએ સુપરવાઈઝરને ગાડીમાં બેસાડી અલગ-અલગ સ્થળોએ લઈ જઈ બેરહેમીથી માર માર્યો હતો.જોકે મામલો પોલીસ સ્ટેશને પહોંચાતા હાલ વાડજ પોલીસે આ મામલે ગુનો નોંધી બે સગીર સહિત સાત આરોપીઓની ધરપકડ કરી છે.

પ્રાપ્ત વિગતો મુજબ, અમદાવાદના નવરંગપુરામાં આવેલી હાઉસ કીપિંગ કંપનીમાં ફિલ્ડ ઓફિસર તરીકે રાજ બારોટ કામ કરતો હતો.જ્યાં પિન્ટુ મકવાણા, હર્ષ અને નયન સહિતના લોકો તેની સાથે કામ કરે છે એટલે કે આ તમામ લોકોને પગાર આપવાનું કામ ફિલ્ડ ઓફિસર રાજ બારોટની જવાબદારીમાં આવે છે. જોકે છેલ્લા બે મહિનાનો પગાર ન મળ્યો હોવાના આરોપો લગાવી પિન્ટુ મકવાણા, હર્ષ અને નયન સહિત 7 કર્મચારીઓએ તેનું અપહરણની ઘટનાને અંજામ આપ્યો છે.

ઘટનાને દિવસે તારીખ 24 માર્ચ 2026 અને સાંજનો સમયે ભોગ બનનાર રાજ બારોટ ઓફિસેથી છૂટીને ઘરે જઈ રહ્યો હતો. દરમિયાન ભીમજીપુરા ચાર રસ્તા પાસે આવેલ સંજીવની હોસ્પિટલ પાસે બોલાવીને પિન્ટુ મકવાણા, હર્ષ અને નયન સહિતના સાત શખ્સોએ ભેગા મળીને એક સફેદ ક્રેટા કારમાં તેનું અપહરણ કર્યું હતું. અપહરણ કર્યા બાદ તેને ચાંદલોડિયા રેલવે સ્ટેશન પાસેની અવાવરું જગ્યાએ લઈ જવામાં આવ્યો હતો. ત્યાં આ શખ્સોએ તેને ગંભીર રીતે માર મારી તેનો મોબાઈલ પણ ઝૂંટવી લીધો હતો અને તેની પાસે માફી મંગાવી આખી ઘટનાનો વીડિયો બનાવ્યો હતો.

બાદમાં આ મામલો પોલીસ સ્ટેશને પહોંચતા વાડજ પોલીસે વિવિધ ટીમો બનાવી પિન્ટુ મકવાણા, હર્ષ અને નયન સહિતના સાત શખ્સોને પકડવા તમામ દિશામાં ચક્રોગતિમાન કર્યા હતા ત્યારે પોલીસે હાલ તમામ 7 આરોપીઓની ધરપકડ કરી લીધી છે અને તેમની પૂછપરછમાં તેઓનો પગાર બાકી હોવાને કારણે આ કૃત્યને અંજામ આપ્યું હોવાની કબૂલાત કરી છે. વાડજ પોલીસે આરોપીઓને ઘટના સ્થળે લઈ જઈ આખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું.

પોલીસ પકડમાં આવેલા આ આરોપીઓનો દાવો હતો કે, છેલ્લા બે મહિનાથી તેમનો પગાર બાકી હતો. વારંવારની રજૂઆત છતાં પરિણામ શૂન્ય આવતા તેઓએ આ ખૌફનાક પ્લાન ઘડ્યો હતો. તેઓની ભોગ બનનાર રાજ બારોટ સાથે પહેલા ફોન પર ગાળાગાળી થઈ હતી અને બાદમાં તેઓએ સાથે મળીને કારમાં અપહરણ કરી આખી ઘટનાને અંજામ આપ્યો હતો.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...