Friday, April 24, 2026

નારણપુરામાં રીડેવલપમેન્ટને કારણે સ્થળાંતર થયેલ મતદારોના વોટ ભાજપ માટે ચિંતાનો વિષય

spot_img
Share

અમદાવાદ : શહેરના નારણપુરા વિસ્તારમાં એક મોટો વિસ્તાર જે જેમાં હાઉસિંગ બોર્ડની કોલોનીઓ અને સોસાયટીઓ આવેલ છે, તેમાં અનેક સોસાયટીઓ રીડેવલ્પમેન્ટમાં ગયેલ છે, જેના કારણે નારણપુરા વોર્ડમાં રીડેવલપમેન્ટ એક એવો મુદ્દો બની ગયો છે જે ભાજપની પરંપરાગત વોટબેંકમાં ગાબડું પાડી શકે છે. નારણપુરા એ ભાજપનો સૌથી સુરક્ષિત ગઢ માનવામાં આવે છે, પરંતુ આ વખતે સ્થિતિ થોડી અલગ છે.

પ્રાપ્ત વિગતો મુજબ, નારણપુરાના અનેક જૂના ફ્લેટ્સ અને સોસાયટીઓ (પ્રગતિનગર આસપાસ અને સોલા વિસ્તારોમાં) રીડેવલપમેન્ટમાં ગયા છે. તેના કારણે હજારો પરિવારો અત્યારે ભાડાના મકાનમાં અન્ય વિસ્તારોમાં રહેવા ગયા છે. એટલે કે સ્થળાંતરીત થયેલ મતદારો મતદાનના દિવસે નારણપુરા સુધી વોટ આપવા આવશે કે કેમ? જો મતદાનની ટકાવારી ઘટશે, તો તેની સીધી અસર ભાજપના વિજયના માર્જિન પર પડશે.

નારણપુરામાં આ મધ્યમ વર્ગીય મતદારો જે વર્ષોથી ભાજપને વોટ આપતા આવ્યા છે, તેઓ અત્યારે પોતાની હાલાકી માટે શાસક પક્ષની નીતિઓને જવાબદાર ગણાવી રહ્યા છે. જૂના રહીશો દૂર ગયા છે અને નવા રહીશો હજુ પૂરેપૂરા સ્થાયી થયા નથી, જેના કારણે ભાજપના ‘પેજ પ્રમુખ’ માટે દરેક મતદાર સુધી પહોંચવું મુશ્કેલ બન્યું છે.

સાથે સાથે કોંગ્રેસ અને અન્ય અપક્ષ ઉમેદવારો આ મુદ્દાને હાઈલાઈટ કરી રહ્યા છે. તેઓ મતદારોને સમજાવી રહ્યા છે કે ભાજપના નેતાઓ માત્ર બિલ્ડરોના હિતમાં કામ કરે છે અને સામાન્ય રહીશોને વિસ્થાપિત કરી દીધા છે. જોકે ભાજપ અહીં મજબૂત સ્થિતિમાં જણાય છે, પરંતુ જો હાઉસિંગ બોર્ડના રહીશોની નારાજગી મતમાં પરિવર્તિત થાય, તો જીતનું માર્જિન ઘટી શકે છે.

નારણપુરામાં ભાજપ માટે હારવું મુશ્કેલ છે, પરંતુ રીડેવલપમેન્ટના કારણે વિસ્થાપિત થયેલા મતો જો વિરોધમાં જાય અથવા મતદાન ન કરે, તો ભાજપની લીડમાં મોટો ઘટાડો થઈ શકે છે. પક્ષના આંતરિક અહેવાલો મુજબ, નારણપુરાના કાર્યકરોને ખાસ જવાબદારી સોંપવામાં આવી છે કે જેઓ બહાર ગયા છે તેમને મતદાનના દિવસે વાહનોની સુવિધા આપીને પણ મતદાન મથક સુધી લાવવામાં આવે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...