Monday, April 27, 2026

માનવતાનું ઉત્તમ ઉદાહરણ : ચૂંટણી પૂર્ણ થયા બાદ ભાજપની છત્રીઓ જરૂરિયાતમંદોના સહારે

spot_img
Share

અમદાવાદ : ગરમીનો પારો જ્યારે 45 ડિગ્રીને પાર કરી રહ્યો છે, ત્યારે રાજકારણથી ઉપર ઉઠીને માનવતા મહેકાવતો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ‘વેદના સંવેદના એન્વાયરમેન્ટ ટ્રસ્ટ’ના પ્રમુખ જયેશ ગેડીયાએ એક અનોખી પહેલ કરી સમાજને નવી રાહ ચીંધી છે.

વિગતો મુજબ, ગત રોજ પૂર્ણ થયેલી કોર્પોરેશનની ચૂંટણીના પ્રચાર પ્રસાર માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા બુથ પ્રમુખોને કાર્યકરો અને મતદારોના રક્ષણ માટે છત્રીઓ આપવામાં આવી હતી. ચૂંટણીના પડઘમ શાંત થયા બાદ, આ છત્રીઓનો સદુપયોગ કરવાના ઉમદા વિચાર સાથે જયેશ ગેડીયાએ નવા વાડજ વિસ્તારમાં એક પ્રશંસનીય કાર્ય કર્યું છે.

નવા વાડજ વોર્ડમાં આવેલા ઐતિહાસિક અગિયારસ માતાના મંદિર (જ્યાં સ્વયંભૂ અંબે માં અને સોમનાથ મહાદેવ બિરાજમાન છે) ની બહાર ફૂટપાથ પર બેસીને પોતાની આજીવિકા રળતા એક મોચીને જયેશ ગેડીયાએ ભાજપની આ છત્રી અર્પણ કરી હતી. આ કાળઝાળ ગરમીમાં ખુલ્લા આકાશ નીચે કામ કરતા શ્રમિકના ચહેરા પર છત્રી મળતા જ જે સ્મિત જોવા મળ્યું, તે જોઈ ઉપસ્થિત સૌ કોઈ ગદગદિત થઈ ગયા હતા.

“જ્યારે મેં તે જરૂરિયાતમંદ વ્યક્તિના ચહેરા પર ખુશી જોઈ, ત્યારે મન ભરાઈ આવ્યું. જો આપણે કોઈની વેદનાનો અહેસાસ કરી શકીએ, તો જ આપણે સાચા અર્થમાં સજ્જન વ્યક્તિ છીએ.”-જયેશ ગેડીયા (પ્રમુખ, વેદના સંવેદના એન્વાયરમેન્ટ ટ્રસ્ટ)

આ પ્રસંગે જયેશ ગેડીયાએ સોશિયલ મીડિયાના માધ્યમથી ભારતીય જનતા પાર્ટીના તમામ બુથ પ્રમુખોને એક નમ્ર અપીલ કરી છે. તેમણે જણાવ્યું કે: ચૂંટણીમાં મળેલી છત્રીઓનો સંગ્રહ કરવાને બદલે, તે છત્રીઓ તમારા વિસ્તારમાં 45 ડિગ્રીની ધગધગતી ગરમીમાં મજૂરી કરતા જરૂરિયાતમંદોને સ્વેચ્છાએ અર્પણ કરવી જોઈએ.આકરી ગરમીમાં કોઈની વેદના સમજી તેને મદદ કરવી એ જ સાચી ઈશ્વર ભક્તિ છે.

નવા વાડજમાં જ્યાં આ સેવા કાર્ય થયું, તે મંદિર પરિસરમાં આવતા ભક્તોમાં પણ આ ચર્ચાનો વિષય બન્યો હતો. લોકોનું કહેવું છે કે મંદિરની બહાર બેસનારા શ્રમિકોનું ધ્યાન કદાચ શિવ-શક્તિ જ રાખતા હશે, જે કોઈને પ્રેરણા આપીને તેમની વેદના દૂર કરવાનું નિમિત્ત બનાવે છે.આ પહેલ દર્શાવે છે કે જો ઈચ્છાશક્તિ હોય તો રાજકીય સંસાધનોનો ઉપયોગ પણ લોકકલ્યાણ અને માનવતાના કાર્યોમાં કરી શકાય છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...