Saturday, February 21, 2026

ડિફેન્સ એક્સપો-૨૦૨૨ને લઈને તા.૧૮ થી ૨૨ ઓક્ટો સુધી રિવરફ્રન્ટ ઇસ્ટ અને વેસ્ટ બંધ રહેશે, આ વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરી શકાશે

spot_img
Share

અમદાવાદ : સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આગામી ૧૮થી ૨૨મી ઓક્ટોબર દરમિયાન ડિફેન્સ એક્સપો-૨૦૨૨નું આયોજન કરવામાં આવ્યું છે. જેને લઈને સાબરમતી રિવરફ્રન્ટ વેસ્ટ અને ઇસ્ટનો પાંચ દિવસ દરમિયાન કેટલાંક કલાકો દરમિયાન બંધ રહેશે. આ દરમિયાન વાહનચાલકોમે વૈકલ્પિક રસ્તાનો ઉપયોગ કરવા માટે સુચના આપવામાં આવી છે. આ સાથે એક્સપોમાં આવવા માટે ઇ ટિકીટ રાખવામાં આવી છે. વેબસાઇટ પર રજીસ્ટ્રેશન કરીને ડાઉનલોડ કરી શકાશે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ડિફેન્સ એક્સપો-૨૦૨૨નું આયોજન કરાયું હોવાથી૧૮થી ૨૨મી ઓક્ટોબર સુધી રિવરફ્રન્ટઇસ્ટ અને વેસ્ટનો રસ્તો બંધ રહેશે. આ અંગે પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે બહાર પાડેલા નોટીફિકેશનના મુજબ રિવરફ્રન્ટ વેસ્ટનો રસ્તો બપોરના ત્રણ વાગ્યાથી રાતના નવ વાગ્યા સુધી બંધ રહેશે. આ દરમિયાન વાહનચાલકોને વાડજ સર્કલથી આશ્રમ રોડનો ઉપયોગ કરવાનો રહેશે. જ્યારે રિવરફ્રન્ટ ઇસ્ટનો રસ્તો સવારે આઠ વાગ્યાથી રાતના નવ વાગ્યા સુધી બંધ રહેશે. જે દરમિયાન વાહનચાલકોએ ડફનાળાથી શાહીબાગ અંડર પાસ થઇને દિલ્હી દરવાજા તેમજ લાલ દરવાજા તરફ આવવાનું રહેશે.

જ્યારે ડિફેન્સ એક્સોમાં આવનાર મુલાકાતીઓને ટિકિટ માટે કોઇ ફી ચુકવવી નહી પડે પરંતુ, માત્ર ઇ ટિકીટ દ્વારા જ તમામને પ્રવેશ આપવામાં આવશે. તેમજ ઇ ટિકીટમાં દર્શાવવામાં આવેલા દિવસ અને સમયે જ પ્રદર્શન નિહાળી શકાશે. આ માટે eventreg.in/registration/visitor વેબસાઇટ પરથી ટિકીટ લઇ શકાશે. તેમજ તેમાં દર્શાવવામાં આવેલા ક્યઆર કોડને ફરજિયાત સ્કેન કરી શકાશે. આ સાથે આધાર કાર્ડ, ડ્રાઇવીંગ લાયસન્સ જેવા પુરાવા સાથે રાખવાના રહેશે. તેમજ કોઇપણ પ્રકારની ખાદ્ય ચીજવસ્તુઓ પણ લઇ જવાની પરવાનગી આપવામાં નથી આવી.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...