Sunday, November 2, 2025

દિવાળી નિમિતે યુથ કોંગ્રેસ દ્વારા જરૂરિયાત મંદ 400 બાળકોને કપડાં,મીઠાઈ અને ફટાકડાનું વિતરણ

Share

અમદાવાદ : દિવાળીના તહેવાર નિમિતે યુથ કોંગ્રેસ દ્વારા શહેરના કેટલાક વિસ્તારમાં જરૂરિયાતમંદ બાળકોને કપડાં,મીઠાઈ અને ફટાકડાનું વિના મૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. અમદાવાદના એસ.જી.હાઇવે, સરખેજ,ખોખરા,મણીનગર સહિત કેટલાક વિસ્તારમાં ગરીબ જરૂરિયાતમંદ લોકોના નિવાસ સ્થાને અને નાના ભૂલકાઓના ચેહરા પર હાસ્યની લહેરખી આવે તેવા ઉમદા ભાવ સાથે કપડા મીઠાઈ અને ફટાકડાનું વિતરણ કરવામાં આવ્યું હતું.આ ઉપરાંત યુથ કોંગ્રેસના કાર્યકરોએ રાતે આ બાળકો સાથે જ ફટાકડા ફોડી દિવાળી ઉજવવામાં આવી હતી.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ યુથ કોંગ્રેસના મહામંત્રી ગૌરાંગ મકવાણા અને તેમના સાથી કાર્યકરોએ દિવાળીના તહેવાર નિમિતે જરૂરિયાતમંદ બાળકો જે અન્ય બાળકોની જેમ નવા કપડાં,ફટાકડા કે મીઠાઈ ખરીદીને દિવાળી નથી ઉજવી શકતા તેવા બાળકોને શોધીને તેમને વિના મુકયે ફટાકડા,મીઠાઈ અને કપડાં આપવામાં આવ્યા હતા.શહેરના અલગ અલગ વિસ્તારમાં 400 થી વધુ બાળકોને વિતરણ કરવામાં આવ્યું હતું.આ સાથે દિવાળીની રાતે પણ યુથ કોંગ્રેસના કેટલાક કાર્યકરોએ આ બાળકો સાથે ફટાકડા ફોડી દિવાળીની ઉજવણી કરી હતી.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગિરનારની લીલી પરિક્રમા બંધ છતાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું, એક જ દિવસની છૂટ આપો

જૂનાગઢ : હિંદુ ધર્મમાં આસ્થાનું કેન્દ્ર અને લાખો ભાવિકોની ભક્તિ સમાન ગિરનારની લીલી પરિક્રમા કમોસમી વરસાદને કારણે બંધ છતાં જૂનાગઢમાં લાખો ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું...

ગિરનારથી મોટી ખબર, આ વર્ષે નહિ થાય લીલી પરિક્રમા, આ કારણે સ્થગિત કરવાનો નિર્ણય લેવાયો

જુનાગઢ : ગિરનારની લીલી પરિક્રમા અંગે સૌથી મોટા સમાચાર આવ્યા છે. આખરે ગિરનાર લીલી પરિક્રમા સ્થગિત કરાઈ છે. વરસાદને કારણે પરિક્રમા રૂટ ખરાબ હોવાથી...

જન્મ-મરણના દાખલાને લઈને મોટો આદેશ, ડિજિટલ સિગ્નેચર ધરાવતા પ્રમાણપત્રો પુરાવા તરીકે માન્ય

ગાંધીનગર : રાજ્યમાં કાર્યરત તમામ સરકારી, અર્ધ-સરકારી અને અન્ય કચેરીઓએ ડિજિટલ સિગ્નેચર ધરાવતા જન્મ-મરણના પ્રમાણપત્રનો તમામ પ્રકારની કાર્યવાહી માટે માન્ય પુરાવા તરીકે ફરજીયાત સ્વીકારવા...

I-PRAGATI ફરિયાદીને પોતાના કેસની અપડેટ હવે ઘરે બેઠા મળશે, પોલીસ સ્ટેશનના ચક્કરમાંથી મળી મુક્તિ

ગાંધીનગર : રાજ્યના નાગરિકોને પોતાના પોલીસ કેસ સંદર્ભે થયેલી પ્રગતિના અપડેટ મેળવવા માટે વારંવાર પોલીસ સ્ટેશનના ચક્કર ન લગાવવા પડે તેવા ઉદ્દેશ્ય સાથે રાજ્યના...

નવા મંત્રીમંડળની શપથવિધિ સંપન્ન, કયા મંત્રીઓને કેબિનેટ, રાજ્યકક્ષા અને સ્વતંત્ર હવાલો સોંપાયો? જાણો વિગતે

ગાંધીનગર : ગુજરાતના રાજકારણમાં આજે એક મહત્વનો દિવસ રહ્યો, જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાની હેઠળના મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું. ગાંધીનગરના મહાત્મા મંદિરમાં યોજાયેલા ભવ્ય...

ગુજરાતના નવા મંત્રીઓની યાદી આવી સામે, 26 ધારાસભ્યોને મળ્યું મંત્રીમંડળમાં સ્થાન, જુઓ આ રહી યાદી ?

ગાંધીનગર : આજે ગુજરાતમાં ભુપેન્દ્ર પટેલ સરકારની નવી કેબિનેટનું ગઠન થઇ ગયું છે. જુના મંત્રીઓમાંથી મોટા ભાગના લોકોને પડતા મૂકી અને હવે નવા ચહેરાઓને...

ગિરનારની લીલી પરિક્રમાની તૈયારી પૂરજોશમાં, પદયાત્રીઓને અપાઈ મહત્વની સૂચના, આવું ન કરતા !

જુનાગઢ : જૂનાગઢના ગિરનારની લીલી પરિક્રમાની તૈયારીઓની વ્યવસ્થાને ધ્યાન રાખીને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સાધુ-સંતો ઉતારા મંડળ અને...

દિવાળીના તહેવારોમાં એસ.ટી.ના મુસાફરોને રાહત, CM એ નવી 201 બસોને બતાવી લીલી ઝંડી

ગાંધીનગર : ગુજરાતમાં દિવાળીના તહેવારોને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે એસ.ટી.બસનો ઉપયોગ કરતા પ્રવાસીઓ માટે સારા સમાચાર આવ્યા છે. જેમાં આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર...