Wednesday, September 17, 2025

અમદાવાદમાં રાત્રે નીકળવું સુરક્ષિત નથી ? ન્યુ રાણીપમાં બની એક ચોકાવનારી ફિલ્મી ઘટના

Share

Share

અમદાવાદ : શિયાળો ધીમે ધીમે જામી રહ્યો છે, અમદાવાદમાં મોડી રાત્રે નીકળવું અસુરક્ષિત હોય તેવું લાગે છે. એક યુવક રાત્રે ઘરે જતો હતો ત્યારે ત્રણેક લોકોએ તેને રોક્યો હતો. બાદમાં ફોનની લૂંટ કરી હતી અને યુવક પાસે પાસવર્ડ માંગ્યો હતો. યુવકે પાસવર્ડ ન આપતા પર્સ લૂંટી ફરાર થઇ ગયા હતા અને છરીઓ ના ઘા ઝીકયા હતા.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ અમદાવાદના ન્યુ રાણીપ વિસ્તારમાં રહેતા હેમીલ કુમાર ભટ્ટ તેમના પરિવાર સાથે રહે છે અને સાણંદ ખાતે આવેલા ટાટા મોટર્સ કંપનીમાં એપ્રેન્ટીસ કરે છે. ગઈકાલે તેઓ બપોરે એપ્રેન્ટીસ કરવા માટે ગયા હતા અને પરત ઘરે આવવા માટે નીકળ્યા હતા. ત્યારે રાત્રે એકાદ વાગ્યાના સુમારે ન્યુ રાણીપના આર્ય વિલા ફ્લેટ આગળ પહોંચતા એક બાઈક સાઈડમાં પાર્ક હતું અને તેની પાસે ત્રણ શખ્સો ઉભા હતા. મારતા મારતા આ ત્રણેય શખ્સોએ તેને બાઈક ઉપર થી ખેંચી રોડની સાઈડમાં ખુલ્લી જગ્યામાં લઈ જઈ ફરી વાર મારવા લાગ્યા હતા.આ ત્રણ શખ્સોમાંથી એક શખ્સે હેમિલ કુમારના પેન્ટના ખિસ્સામાં હાથ નાખી પાકીટ અને મોબાઈલ ફોન લઈ લીધો હતો.

બાદમાં આ શખ્સો એ હેમિલ કુમારને મોબાઈલ ફોનનો પાસવર્ડનું પૂછતાં પાસવર્ડ આપવાની ના પાડી હતી. જેથી બે શખ્સોએ હેમિલ કુમારને પકડી રાખ્યા અને એક શખ્સે ધારદાર છરાથી ઘા મારી દીધા હતા. બાદમાં આ શખ્સો મોબાઈલનો પાસવર્ડ ન આપતા મોબાઈલ ફોન ત્યાં જ ફેંકી પાકીટ લઈ જતા રહ્યા હતા. પાકીટમાં પાંચથી છ હજાર રૂપિયા તથા અન્ય ડોક્યુમેન્ટ ની લૂંટ કરી શખ્સો ફરાર થઈ જતા ફેમિલે સારવાર માટે ગયો હતા. બાદમાં સાબરમતી પોલીસને જાણ કરતા પોલીસે આ અંગે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

શિક્ષણ બોર્ડનો વિદ્યાર્થીલક્ષી નિર્ણય, માર્કશીટ-સર્ટિફિકેટમાં ઓનલાઈન સુધારા શક્ય, હવે QR કોડ-UPIથી થશે ફી ભરવાની પ્રક્રિયા

ગાંધીનગર : ગુજરાત શિક્ષણ બોર્ડે વિદ્યાર્થીઓના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જે અંતર્ગત હવે વિદ્યાર્થીઓ માર્કશીટ અને પ્રમાણપત્રોમાં ઓનલાઈન સુધારા કરી શકશે. આ...

શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મેળવનારા શિક્ષકોને મોટી ભેટ, STની બસોમાં આજીવન નિઃશુલ્ક મુસાફરીનો મળશે લાભ

ગાંધીનગર : ગુજરાતમાં જે શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મળ્યો છે, તેમના માટે રાજ્ય સરકાર મહત્વનો નિર્ણય લીધો છે. ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના નિર્ણય...

ગુજરાતમાં ઈમરજન્સીમાં ડાયલ–112 સેવાનો પ્રારંભ, ‘એક નંબર, અનેક સેવાઓ’

ગાંધીનગર : ગુજરાત સરકારના ‘ડાયલ 112’ પ્રોજેક્ટનો કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે શુભારંભ કર્યો હતો. જેમાં રાજ્યમાં બનતા અપરાધિક બનાવો, માર્ગ અકસ્માતો અને અન્ય...

અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાની તડામાર તૈયારીઓ, વ્યાસવાડી પગપાળા સંઘે મંદિરના શિખર પર ધજા અર્પણ કરી

અંબાજી : ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર સ્થિત શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી મહાકુંભની પૂર્વ સંધ્યાએ ભક્તિમય વાતાવરણ સર્જાયું છે. 51 શક્તિપીઠમાંનું એક એવા આ...

ભાદરવી પૂનમ મહામેળો 2025,અંબાજી મહા મેળામાં પાર્કિંગની ચિંતા હવે દૂર-ઓનલાઇન નિઃશુલ્ક પાર્કિંગ સુવિધા ઉપલબ્ધ

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાનાં કેન્દ્ર એવા અંબાજી ખાતે આગામી તા.1 થી 7 સપ્ટેમ્બર 2025 દરમિયાન ભાદરવી પૂનમ મહામેળો 2025નું આયોજન કરાશે. જિલ્લા...

ગણેશ મહોત્સવમાં શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ યોજાશે, વિજેતાને મળશે આટલા લાખ, જાણો શરતો

ગાંધીનગર : રાજ્યમાં સાંસ્કૃતિક વારસા અને પરંપરાગત લોક સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે ‘શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ની જાહેરાત યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના...

ગાંધીનગરમાં નશામાં ધૂત કાર ચાલકે અનેક લોકોને અડફેટે લીધા, એક મહિલા સહિત ત્રણના મોત

ગાંધીનગર : ગાંધીનગરના રાંદેસણ વિસ્તારમાં આજે (25 જુલાઈ, 2025) સવારે અકસ્માતની એક ગંભીર ઘટના સામે આવી છે. ભાઇજીપુરાથી સિટી પલ્સવાળા સર્વિસ રોડ પર ટાટા...

અમદાવાદ-ગાંધીનગરમાં રહેનારા ખાસ વાંચે, ગાંધીનગરની આ 15 જગ્યાઓ આસપાસ જવા પર પ્રતિબંધ

ગાંધીનગર : ગાંધીનગરમાં કેનાલમાં ડૂબી જવાથી એકનું મોત થયું છે. એકના મોત બાદ વહીવટી તંત્ર સફાળુ જાગ્યું છે. જળાશયો આસપાસ પ્રવેશ કરવા પર મનાઇ...