Thursday, February 19, 2026

અમદાવાદમાં રાત્રે નીકળવું સુરક્ષિત નથી ? ન્યુ રાણીપમાં બની એક ચોકાવનારી ફિલ્મી ઘટના

spot_img
Share

અમદાવાદ : શિયાળો ધીમે ધીમે જામી રહ્યો છે, અમદાવાદમાં મોડી રાત્રે નીકળવું અસુરક્ષિત હોય તેવું લાગે છે. એક યુવક રાત્રે ઘરે જતો હતો ત્યારે ત્રણેક લોકોએ તેને રોક્યો હતો. બાદમાં ફોનની લૂંટ કરી હતી અને યુવક પાસે પાસવર્ડ માંગ્યો હતો. યુવકે પાસવર્ડ ન આપતા પર્સ લૂંટી ફરાર થઇ ગયા હતા અને છરીઓ ના ઘા ઝીકયા હતા.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ અમદાવાદના ન્યુ રાણીપ વિસ્તારમાં રહેતા હેમીલ કુમાર ભટ્ટ તેમના પરિવાર સાથે રહે છે અને સાણંદ ખાતે આવેલા ટાટા મોટર્સ કંપનીમાં એપ્રેન્ટીસ કરે છે. ગઈકાલે તેઓ બપોરે એપ્રેન્ટીસ કરવા માટે ગયા હતા અને પરત ઘરે આવવા માટે નીકળ્યા હતા. ત્યારે રાત્રે એકાદ વાગ્યાના સુમારે ન્યુ રાણીપના આર્ય વિલા ફ્લેટ આગળ પહોંચતા એક બાઈક સાઈડમાં પાર્ક હતું અને તેની પાસે ત્રણ શખ્સો ઉભા હતા. મારતા મારતા આ ત્રણેય શખ્સોએ તેને બાઈક ઉપર થી ખેંચી રોડની સાઈડમાં ખુલ્લી જગ્યામાં લઈ જઈ ફરી વાર મારવા લાગ્યા હતા.આ ત્રણ શખ્સોમાંથી એક શખ્સે હેમિલ કુમારના પેન્ટના ખિસ્સામાં હાથ નાખી પાકીટ અને મોબાઈલ ફોન લઈ લીધો હતો.

બાદમાં આ શખ્સો એ હેમિલ કુમારને મોબાઈલ ફોનનો પાસવર્ડનું પૂછતાં પાસવર્ડ આપવાની ના પાડી હતી. જેથી બે શખ્સોએ હેમિલ કુમારને પકડી રાખ્યા અને એક શખ્સે ધારદાર છરાથી ઘા મારી દીધા હતા. બાદમાં આ શખ્સો મોબાઈલનો પાસવર્ડ ન આપતા મોબાઈલ ફોન ત્યાં જ ફેંકી પાકીટ લઈ જતા રહ્યા હતા. પાકીટમાં પાંચથી છ હજાર રૂપિયા તથા અન્ય ડોક્યુમેન્ટ ની લૂંટ કરી શખ્સો ફરાર થઈ જતા ફેમિલે સારવાર માટે ગયો હતા. બાદમાં સાબરમતી પોલીસને જાણ કરતા પોલીસે આ અંગે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...