Wednesday, September 17, 2025

અમદાવાદીઓ સાવધાન ! આ બ્રાન્ડની દૂધની બનાવટો અને મેંગો મઠ્ઠાના નમૂના અપ્રમાણિત જાહેર

Share

Share

અમદાવાદ : અમદાવાદના શહેરીજનો ફરી એક વાર સાવધાન થઇ જવાનો વારો આવ્યો છે, જો તમે પેકેટ ડેરી પ્રોડેક્ટ ખરીદતા હોય તો વિચારજો, કારણકે શહેરની છાસવાલામાંથી ગત મહિને લીધેલા દૂધની બનાવટો અને મેંગો મઠ્ઠાના નમૂના અપ્રમાણિત જાહેર થયા છે. ફુડ વિભાગે છાસવાલાની દુકાનોમાં ચેકિંગ દરમિયાન અખાદ્ય ફુડ ઝડપી પાડ્યું હતું.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ ફુડ વિભાગે ગત મહિને શ્યામલ ચાર રસ્તા પાસેની છાસવાલા બ્રાન્ચમાંથી દૂધની બનાવટો અને મેંગો મઠ્ઠાના નમુના લીધા હતા. જેમાં મેંગો મઠ્ઠાના સેમ્પલમાં જંતુ નીકળ્યા હતા. જેને લઈ શહેરના કાલુપુર સ્વામિનારાયણ મંદિર અને પ્રેમ દરવાજા પાસે આવેલી છાસવાલા બ્રાન્ચની પ્રોડક્ટના નમુના લેવાયા હતા. અને આ બંને બ્રાન્ચના નમુના પણ અપ્રમાણિત હોવાનું ખુલ્યું છે. તો બીજી તરફ તંત્ર દ્વારા લેવાયેલા નમુનાના રિપોર્ટ એક મહિના બાદ આવતા ગ્રાહકોમાં પણ ચિંતા પ્રસરી છે કે, એક મહિના સુધી લોકોએ આવા અખાદ્ય પદાર્થ આરોગ્યા છે.

અમદાવાદ શહેરમાં દૂધ અને દૂધની બનાવટો વેચતાં વેપારીઓ સ્વચ્છતા અને ફૂડ સેફ્ટી એક્ટના નિયમોનું પાલન કરતાં હોતા નથી તેના કારણે શહેરીજનોએ સહન કરવાનો વારો આવે છે. આ અગાઉ છાસવાલામાંથી ખરીદવામાં આવેલા મેંગો મઠામાં મરેલા મંકોડા જેવી જીવાત નીકળી હોવાની ફરિયાદને ગંભીરતાથી લઇ મ્યુનિ. ફૂડ વિભાગે નોટિસ પણ ફટકારી હતી.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

શિક્ષણ બોર્ડનો વિદ્યાર્થીલક્ષી નિર્ણય, માર્કશીટ-સર્ટિફિકેટમાં ઓનલાઈન સુધારા શક્ય, હવે QR કોડ-UPIથી થશે ફી ભરવાની પ્રક્રિયા

ગાંધીનગર : ગુજરાત શિક્ષણ બોર્ડે વિદ્યાર્થીઓના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જે અંતર્ગત હવે વિદ્યાર્થીઓ માર્કશીટ અને પ્રમાણપત્રોમાં ઓનલાઈન સુધારા કરી શકશે. આ...

શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મેળવનારા શિક્ષકોને મોટી ભેટ, STની બસોમાં આજીવન નિઃશુલ્ક મુસાફરીનો મળશે લાભ

ગાંધીનગર : ગુજરાતમાં જે શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મળ્યો છે, તેમના માટે રાજ્ય સરકાર મહત્વનો નિર્ણય લીધો છે. ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના નિર્ણય...

ગુજરાતમાં ઈમરજન્સીમાં ડાયલ–112 સેવાનો પ્રારંભ, ‘એક નંબર, અનેક સેવાઓ’

ગાંધીનગર : ગુજરાત સરકારના ‘ડાયલ 112’ પ્રોજેક્ટનો કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે શુભારંભ કર્યો હતો. જેમાં રાજ્યમાં બનતા અપરાધિક બનાવો, માર્ગ અકસ્માતો અને અન્ય...

અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાની તડામાર તૈયારીઓ, વ્યાસવાડી પગપાળા સંઘે મંદિરના શિખર પર ધજા અર્પણ કરી

અંબાજી : ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર સ્થિત શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી મહાકુંભની પૂર્વ સંધ્યાએ ભક્તિમય વાતાવરણ સર્જાયું છે. 51 શક્તિપીઠમાંનું એક એવા આ...

ભાદરવી પૂનમ મહામેળો 2025,અંબાજી મહા મેળામાં પાર્કિંગની ચિંતા હવે દૂર-ઓનલાઇન નિઃશુલ્ક પાર્કિંગ સુવિધા ઉપલબ્ધ

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાનાં કેન્દ્ર એવા અંબાજી ખાતે આગામી તા.1 થી 7 સપ્ટેમ્બર 2025 દરમિયાન ભાદરવી પૂનમ મહામેળો 2025નું આયોજન કરાશે. જિલ્લા...

ગણેશ મહોત્સવમાં શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ યોજાશે, વિજેતાને મળશે આટલા લાખ, જાણો શરતો

ગાંધીનગર : રાજ્યમાં સાંસ્કૃતિક વારસા અને પરંપરાગત લોક સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે ‘શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ની જાહેરાત યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના...

ગાંધીનગરમાં નશામાં ધૂત કાર ચાલકે અનેક લોકોને અડફેટે લીધા, એક મહિલા સહિત ત્રણના મોત

ગાંધીનગર : ગાંધીનગરના રાંદેસણ વિસ્તારમાં આજે (25 જુલાઈ, 2025) સવારે અકસ્માતની એક ગંભીર ઘટના સામે આવી છે. ભાઇજીપુરાથી સિટી પલ્સવાળા સર્વિસ રોડ પર ટાટા...

અમદાવાદ-ગાંધીનગરમાં રહેનારા ખાસ વાંચે, ગાંધીનગરની આ 15 જગ્યાઓ આસપાસ જવા પર પ્રતિબંધ

ગાંધીનગર : ગાંધીનગરમાં કેનાલમાં ડૂબી જવાથી એકનું મોત થયું છે. એકના મોત બાદ વહીવટી તંત્ર સફાળુ જાગ્યું છે. જળાશયો આસપાસ પ્રવેશ કરવા પર મનાઇ...