Monday, March 2, 2026

મહેમદાવાદ સિદ્ધિવિનાયક ટ્રસ્ટનું ભગીરથ કાર્ય, 501 દીકરીઓને દત્તક લઇ 25 વર્ષ સુધી તમામ ખર્ચ ઉપાડશે

spot_img
Share

મહેમદાવાદ : મહેમદાવાદ સિદ્ધિવિનાયક મંદિર ટ્રસ્ટ દ્વારા અંતિમ 2 વર્ષમાં 350 જેટલી જરૂરિયાતમંદ દીકરીઓને દત્તક લેવામાં આવી હતી, પરંતુ મંદિરના 9માં પાટોત્સવ નિમિત્તે વધુ 501 દીકરીઓને દત્તક લેવામાં આવશે. 5 વર્ષની દીકરીથી લઈને 25 વર્ષ સુધીનો તમામ ખર્ચ સિદ્ધિ વિનાયક ટ્રસ્ટ ઉપાડશે.ટ્રસ્ટ દ્વારા નક્કી કરાયું છે, આસપાસના વિસ્તારના કોઈ દીકરી શિક્ષણથી વંચિત ન રહે તે માટે ટ્રસ્ટ દ્વારા દીકરીઓ દત્તક લેવાનું નક્કી કરાયું છે.

એક રિપોર્ટ મુજબ સિદ્ધિવિનાયક મંદિરના ટ્રસ્ટી નરેદ્ર પુરોહિતના જણાવ્યા અનુસાર મંદિરના 9માં પાટોત્સવ નિમિત્તે વધુ 501 દીકરીઓને દત્તક લેવામાં આવશે.આ તમામ દીકરીઓને સિદ્ધિ વિનાયક ટ્રસ્ટ તમામ પ્રકારની જરૂરિયાતો પૂરી પાડવામાં આવશે. 5 વર્ષની દીકરીથી લઈને 25 વર્ષ સુધીનો તમામ ખર્ચ સિદ્ધિ વિનાયક ટ્રસ્ટ ઉપાડશે. કોઈ વધુ જરૂરિયાતમંદ દીકરી હોય અને તેને વિદેશમાં ભણવા માટે જરૂરિયાત હશે તો પણ સંસ્થા દ્વારા તમામ પ્રકારની જરૂરિયાત પૂરી કરવામાં આવશે.

9માં પાટોત્સવ નિમિત્તે દત્તક લેવામાં આવનારી 501 દિકરીઓમાંથી કેટલીક દિકરીઓને મંદિરમાં બોલાવીને પૂજન કરી ધાબળા વિતરણ પણ કરાયું છે. ટ્રસ્ટ દ્વારા નક્કી કરાયું છે, કે મંદિરમાં કોઈ પણ મોટો પ્રસંગ હશે તો તમામ દત્તક દીકરીઓને પોતાના માતા-પિતા સહિત આમંત્રણ આપવામાં આવશે.દર મહિને મંદિર ખાતે યોજાતી મહાઆરતીમાં પણ દત્તક લીધેલી દીકરીઓને આમંત્રિત કરાય છે. તેની સાથે ગણેશ ચતુર્થી નિમિત્તે મંદિરમાં ભક્તોને વ્યસન મુક્તિ અંગેના શપથ પણ લેવડાવામાં આવે છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...