Sunday, November 9, 2025

મહેમદાવાદ સિદ્ધિવિનાયક ટ્રસ્ટનું ભગીરથ કાર્ય, 501 દીકરીઓને દત્તક લઇ 25 વર્ષ સુધી તમામ ખર્ચ ઉપાડશે

spot_img
Share

મહેમદાવાદ : મહેમદાવાદ સિદ્ધિવિનાયક મંદિર ટ્રસ્ટ દ્વારા અંતિમ 2 વર્ષમાં 350 જેટલી જરૂરિયાતમંદ દીકરીઓને દત્તક લેવામાં આવી હતી, પરંતુ મંદિરના 9માં પાટોત્સવ નિમિત્તે વધુ 501 દીકરીઓને દત્તક લેવામાં આવશે. 5 વર્ષની દીકરીથી લઈને 25 વર્ષ સુધીનો તમામ ખર્ચ સિદ્ધિ વિનાયક ટ્રસ્ટ ઉપાડશે.ટ્રસ્ટ દ્વારા નક્કી કરાયું છે, આસપાસના વિસ્તારના કોઈ દીકરી શિક્ષણથી વંચિત ન રહે તે માટે ટ્રસ્ટ દ્વારા દીકરીઓ દત્તક લેવાનું નક્કી કરાયું છે.

એક રિપોર્ટ મુજબ સિદ્ધિવિનાયક મંદિરના ટ્રસ્ટી નરેદ્ર પુરોહિતના જણાવ્યા અનુસાર મંદિરના 9માં પાટોત્સવ નિમિત્તે વધુ 501 દીકરીઓને દત્તક લેવામાં આવશે.આ તમામ દીકરીઓને સિદ્ધિ વિનાયક ટ્રસ્ટ તમામ પ્રકારની જરૂરિયાતો પૂરી પાડવામાં આવશે. 5 વર્ષની દીકરીથી લઈને 25 વર્ષ સુધીનો તમામ ખર્ચ સિદ્ધિ વિનાયક ટ્રસ્ટ ઉપાડશે. કોઈ વધુ જરૂરિયાતમંદ દીકરી હોય અને તેને વિદેશમાં ભણવા માટે જરૂરિયાત હશે તો પણ સંસ્થા દ્વારા તમામ પ્રકારની જરૂરિયાત પૂરી કરવામાં આવશે.

9માં પાટોત્સવ નિમિત્તે દત્તક લેવામાં આવનારી 501 દિકરીઓમાંથી કેટલીક દિકરીઓને મંદિરમાં બોલાવીને પૂજન કરી ધાબળા વિતરણ પણ કરાયું છે. ટ્રસ્ટ દ્વારા નક્કી કરાયું છે, કે મંદિરમાં કોઈ પણ મોટો પ્રસંગ હશે તો તમામ દત્તક દીકરીઓને પોતાના માતા-પિતા સહિત આમંત્રણ આપવામાં આવશે.દર મહિને મંદિર ખાતે યોજાતી મહાઆરતીમાં પણ દત્તક લીધેલી દીકરીઓને આમંત્રિત કરાય છે. તેની સાથે ગણેશ ચતુર્થી નિમિત્તે મંદિરમાં ભક્તોને વ્યસન મુક્તિ અંગેના શપથ પણ લેવડાવામાં આવે છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગરમાં 3 પેટ્રોલ પંપના માલિકની બે દીકરીઓના મૃતદેહ કેનાલમાંથી મળ્યા, પિતા હજુ ગુમ

ગાંધીનગર : ગાંધીનગરથી મોટા સમાચાર સામે આવ્યા છે. ૩ પેટ્રોલ પંપ માલિકે પોતાની બે માસુમ દીકરીઓ સાથે કેનાલમાં કૂદીનો આપઘાત કરી લીધો છે. દીકરીઓના...

હવે આંગળીના ટેરવે દારૂની પરમિટ, મોબાઇલ એપ દ્વારા પરમિટની પ્રોસેસ સરળ બનાવવા ભર્યું મોટું પગલું

ગાંધીનગર : પ્રવાસનના નામે ખુદ ગુજરાત સરકાર જ દારૂને પ્રોત્સાહન આપી રહી હોય તેવુ ચિત્ર ઉપસ્યુ છે. દારૂ પર પ્રતિબંધને કારણે, ગુજરાતની મુલાકાત લેતા...

કોચિંગ કલાસો 16 વર્ષથી ઓછી વયના બાળકોને પ્રવેશ નહિ આપી શકે, વટહુકમની તૈયારી

ગાંધીનગર : ગુજરાત વિધાનસભાના શિયાળુ સત્ર દરમિયાન કોચિંગ ક્લાસિસની નોંધણી, સલામતી વિદ્યાર્થીઓની પ્રવેશ અને કામકાજના કલાકો સહિતના વિવિધ પાસાઓને નિયંત્રિત કરવા માટે વટહુકમ બહાર...

ગિરનારની લીલી પરિક્રમા બંધ છતાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું, એક જ દિવસની છૂટ આપો

જૂનાગઢ : હિંદુ ધર્મમાં આસ્થાનું કેન્દ્ર અને લાખો ભાવિકોની ભક્તિ સમાન ગિરનારની લીલી પરિક્રમા કમોસમી વરસાદને કારણે બંધ છતાં જૂનાગઢમાં લાખો ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું...

ગિરનારથી મોટી ખબર, આ વર્ષે નહિ થાય લીલી પરિક્રમા, આ કારણે સ્થગિત કરવાનો નિર્ણય લેવાયો

જુનાગઢ : ગિરનારની લીલી પરિક્રમા અંગે સૌથી મોટા સમાચાર આવ્યા છે. આખરે ગિરનાર લીલી પરિક્રમા સ્થગિત કરાઈ છે. વરસાદને કારણે પરિક્રમા રૂટ ખરાબ હોવાથી...

જન્મ-મરણના દાખલાને લઈને મોટો આદેશ, ડિજિટલ સિગ્નેચર ધરાવતા પ્રમાણપત્રો પુરાવા તરીકે માન્ય

ગાંધીનગર : રાજ્યમાં કાર્યરત તમામ સરકારી, અર્ધ-સરકારી અને અન્ય કચેરીઓએ ડિજિટલ સિગ્નેચર ધરાવતા જન્મ-મરણના પ્રમાણપત્રનો તમામ પ્રકારની કાર્યવાહી માટે માન્ય પુરાવા તરીકે ફરજીયાત સ્વીકારવા...

I-PRAGATI ફરિયાદીને પોતાના કેસની અપડેટ હવે ઘરે બેઠા મળશે, પોલીસ સ્ટેશનના ચક્કરમાંથી મળી મુક્તિ

ગાંધીનગર : રાજ્યના નાગરિકોને પોતાના પોલીસ કેસ સંદર્ભે થયેલી પ્રગતિના અપડેટ મેળવવા માટે વારંવાર પોલીસ સ્ટેશનના ચક્કર ન લગાવવા પડે તેવા ઉદ્દેશ્ય સાથે રાજ્યના...

નવા મંત્રીમંડળની શપથવિધિ સંપન્ન, કયા મંત્રીઓને કેબિનેટ, રાજ્યકક્ષા અને સ્વતંત્ર હવાલો સોંપાયો? જાણો વિગતે

ગાંધીનગર : ગુજરાતના રાજકારણમાં આજે એક મહત્વનો દિવસ રહ્યો, જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાની હેઠળના મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું. ગાંધીનગરના મહાત્મા મંદિરમાં યોજાયેલા ભવ્ય...