Saturday, March 14, 2026

નિર્ણયનગરમાં એક જાગૃત નાગરિકે શૈક્ષણિક સ્કૂલ દ્વારા ગેરકાયદે કબજે કરાયેલ ફૂટપાથ મહામહેનતે છોડાવી

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભ્રષ્ટાચારની બોલબાલા તો ખૂબ જ છે. પરંતુ ક્યાંક ને ક્યાંક અધિકારીઓ અને સત્તાધારી પક્ષના લોકો એકબીજાની મીલીભગત હોવાથી તે બહાર આવતો નથી. જયારે સામાન્ય નાગરિકો પોતે પોતાની જાગૃતતા બતાવતા નથી, ત્યારે જાગૃત નાગરિકો કે સામાજીક આગેવાનોએ લોકોની સમસ્યાઓ માટે આગળ આવવું પડે છે.

વાત એમ છે કે નિર્ણયનગર વિસ્તારમાં અર્જુન આશ્રમ જવાના રોડ પર ખાનગી શૈક્ષણિક સ્કૂલ દ્વારા રોડ પરની ફૂટપાથ પર લોખંડની પાઇપો નાખીને સિમેન્ટિંગ કરાવી ફિક્સ કરાવી દીધી હતી.મતલબ કોર્પોરેશનની ફૂટપાથ પર ગેરકાયદે કબ્જો મેળવી લીધો હતો, જેના કારણે લોકોને રોડ પર ચાલવાની ફરજ પડતી હતી. શરૂઆતમાં આ બાબતે આજુબાજુની સોસાયટીઓ દ્વારા ગણગણાટ થયો, પરંતુ શૈક્ષણિક સ્કૂલ મોટા ગજાના લોકોનું હતું જેથી કોઈની પીપુડી વાગી નહિ, આમેય મ્યુ કોર્પોરેશન જ્યાં વહીવટ કે મલાઈની વાત આવે ત્યાં આંખ આડા કાન કરતુ હોય છે જે જગજાહેર છે.વાત અહીં અટકતી નથી, પરંતુ અહીંથી શરૂઆત થાય છે.

અમદાવાદ મ્યુ કોર્પોરેશન દ્વારા બનાવેલ ફૂટપાથના ગેરકાયદે કબજા બાબત એક જાગૃત નાગરિકને ધ્યાને આવતા તેઓએ સૌપ્રથમ તો ટોલ ફ્રી નંબર ફરિયાદ કરી, પરંતુ ટોલ ફ્રી નંબર તેની છાપ મુજબ ફરિયાદનું નિરાકરણ લાવ્યા વગર જ બંધ કરી દેવામાં આવી. ત્યારબાદ જાગૃત નાગરિક દ્વારા મ્યુ કોર્પોરેશનના પશ્ચિમ ઝોનના દબાણ ખાતાના જવાબદાર અધિકારીઓનો સંપર્ક કરીને તેઓને આ બાબત જણાવી કાર્યવાહી કરવાની માંગણી કરી હતી. પરંતુ દબાણ ખાતાના જવાબદાર અધિકારીઓની મીલી ભગતના કારણે ફરિયાદને ધ્યાને લેવામાં આવી નહી.

આખરે આ જાગૃત નાગરિકે સમગ્ર મામલે કમિશ્નરશ્રીની મુલાકાત લઇ ઉપરોક્ત બાબત કમિશ્નરશ્રીને જણાવતા તેઓએ પશ્ચિમ ઝોનના ડેપ્યુટી કમિશ્નરને મળવાનું જણાવતા, તેઓએ તાત્કાલિક પશ્ચિમ ઝોનના દબાણ ખાતાને આ બાબતે કાર્યવાહી કરવાનો આદેશ કરતા આખરે દબાણની ગાડી સાથેનો કાફલો નિર્ણયનગર ખાતે આવી પહોંચ્યો હતો અને ફૂટપાથ ઉપર લાગેલી પાઇપોને તાત્કાલિક ધોરણે હટાવવામાં આવી હતી અને ફૂટપાથ આમ જનતા માટે ખુલ્લી કરવામાં આવી હતી.

આ અંગે જાગૃત નાગરિક પિયુષભાઇ સુથાર સાથે વાત કરતા જણાવ્યું હતું કે, કાયદેસરનું કામ કરાવવા માટે હું કર્મચારીઓ-અધિકારીઓ પાછળ પાછળ ફર્યો. પરંતુ તેઓના દ્વારા દર વખતે કંઈકને કંઈક બહાના કરવામાં આવતા નાછૂટકે કમિશ્નરશ્રીને મળવું પડ્યું.તેઓએ સમગ્ર મામલે જણાવ્યું હતું કે કર્મચારીઓ-અધિકારીઓ અમદાવાદમાં આવી અનેક જગ્યાઓ છે કે દબાણકર્તા લોકો માટે ગુલામ બનીને જ નોકરી કરતા હોય એવું લાગ્યું. આમ જનતા માટે નોકરી કરતા હોય એવું એક પણ લક્ષણ દેખાયું ન હતું.

અંતમાં તેઓએ લોકોને અપીલ કરતા જણાવ્યું હતું કે, જો તમારા વિસ્તારમાં પણ આ પ્રકારે કોઇ સમસ્યા હોય તો તમે પણ આગળ આવો અને રજુઆત કરો, ના સાંભળે તો ઉપરી અધિકારીઓ સુધી જાઓ પરંતુ સૌ એ એક થઇ આગળ આવવું જોઈએ.તેઓએ સમગ્ર મામલે કાર્યવાહી કરવા બદલ અમદાવાદ મ્યુ કમિશ્નરશ્રી અને ડે મ્યુ કમિશ્નરશ્રીનો આભાર માન્યો હતો.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...