Thursday, January 8, 2026

નિર્ણયનગરમાં એક જાગૃત નાગરિકે શૈક્ષણિક સ્કૂલ દ્વારા ગેરકાયદે કબજે કરાયેલ ફૂટપાથ મહામહેનતે છોડાવી

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભ્રષ્ટાચારની બોલબાલા તો ખૂબ જ છે. પરંતુ ક્યાંક ને ક્યાંક અધિકારીઓ અને સત્તાધારી પક્ષના લોકો એકબીજાની મીલીભગત હોવાથી તે બહાર આવતો નથી. જયારે સામાન્ય નાગરિકો પોતે પોતાની જાગૃતતા બતાવતા નથી, ત્યારે જાગૃત નાગરિકો કે સામાજીક આગેવાનોએ લોકોની સમસ્યાઓ માટે આગળ આવવું પડે છે.

વાત એમ છે કે નિર્ણયનગર વિસ્તારમાં અર્જુન આશ્રમ જવાના રોડ પર ખાનગી શૈક્ષણિક સ્કૂલ દ્વારા રોડ પરની ફૂટપાથ પર લોખંડની પાઇપો નાખીને સિમેન્ટિંગ કરાવી ફિક્સ કરાવી દીધી હતી.મતલબ કોર્પોરેશનની ફૂટપાથ પર ગેરકાયદે કબ્જો મેળવી લીધો હતો, જેના કારણે લોકોને રોડ પર ચાલવાની ફરજ પડતી હતી. શરૂઆતમાં આ બાબતે આજુબાજુની સોસાયટીઓ દ્વારા ગણગણાટ થયો, પરંતુ શૈક્ષણિક સ્કૂલ મોટા ગજાના લોકોનું હતું જેથી કોઈની પીપુડી વાગી નહિ, આમેય મ્યુ કોર્પોરેશન જ્યાં વહીવટ કે મલાઈની વાત આવે ત્યાં આંખ આડા કાન કરતુ હોય છે જે જગજાહેર છે.વાત અહીં અટકતી નથી, પરંતુ અહીંથી શરૂઆત થાય છે.

અમદાવાદ મ્યુ કોર્પોરેશન દ્વારા બનાવેલ ફૂટપાથના ગેરકાયદે કબજા બાબત એક જાગૃત નાગરિકને ધ્યાને આવતા તેઓએ સૌપ્રથમ તો ટોલ ફ્રી નંબર ફરિયાદ કરી, પરંતુ ટોલ ફ્રી નંબર તેની છાપ મુજબ ફરિયાદનું નિરાકરણ લાવ્યા વગર જ બંધ કરી દેવામાં આવી. ત્યારબાદ જાગૃત નાગરિક દ્વારા મ્યુ કોર્પોરેશનના પશ્ચિમ ઝોનના દબાણ ખાતાના જવાબદાર અધિકારીઓનો સંપર્ક કરીને તેઓને આ બાબત જણાવી કાર્યવાહી કરવાની માંગણી કરી હતી. પરંતુ દબાણ ખાતાના જવાબદાર અધિકારીઓની મીલી ભગતના કારણે ફરિયાદને ધ્યાને લેવામાં આવી નહી.

આખરે આ જાગૃત નાગરિકે સમગ્ર મામલે કમિશ્નરશ્રીની મુલાકાત લઇ ઉપરોક્ત બાબત કમિશ્નરશ્રીને જણાવતા તેઓએ પશ્ચિમ ઝોનના ડેપ્યુટી કમિશ્નરને મળવાનું જણાવતા, તેઓએ તાત્કાલિક પશ્ચિમ ઝોનના દબાણ ખાતાને આ બાબતે કાર્યવાહી કરવાનો આદેશ કરતા આખરે દબાણની ગાડી સાથેનો કાફલો નિર્ણયનગર ખાતે આવી પહોંચ્યો હતો અને ફૂટપાથ ઉપર લાગેલી પાઇપોને તાત્કાલિક ધોરણે હટાવવામાં આવી હતી અને ફૂટપાથ આમ જનતા માટે ખુલ્લી કરવામાં આવી હતી.

આ અંગે જાગૃત નાગરિક પિયુષભાઇ સુથાર સાથે વાત કરતા જણાવ્યું હતું કે, કાયદેસરનું કામ કરાવવા માટે હું કર્મચારીઓ-અધિકારીઓ પાછળ પાછળ ફર્યો. પરંતુ તેઓના દ્વારા દર વખતે કંઈકને કંઈક બહાના કરવામાં આવતા નાછૂટકે કમિશ્નરશ્રીને મળવું પડ્યું.તેઓએ સમગ્ર મામલે જણાવ્યું હતું કે કર્મચારીઓ-અધિકારીઓ અમદાવાદમાં આવી અનેક જગ્યાઓ છે કે દબાણકર્તા લોકો માટે ગુલામ બનીને જ નોકરી કરતા હોય એવું લાગ્યું. આમ જનતા માટે નોકરી કરતા હોય એવું એક પણ લક્ષણ દેખાયું ન હતું.

અંતમાં તેઓએ લોકોને અપીલ કરતા જણાવ્યું હતું કે, જો તમારા વિસ્તારમાં પણ આ પ્રકારે કોઇ સમસ્યા હોય તો તમે પણ આગળ આવો અને રજુઆત કરો, ના સાંભળે તો ઉપરી અધિકારીઓ સુધી જાઓ પરંતુ સૌ એ એક થઇ આગળ આવવું જોઈએ.તેઓએ સમગ્ર મામલે કાર્યવાહી કરવા બદલ અમદાવાદ મ્યુ કમિશ્નરશ્રી અને ડે મ્યુ કમિશ્નરશ્રીનો આભાર માન્યો હતો.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...

પ્રદેશ ભાજપના નવા માળખાની જાહેરાત, 10 ઉપપ્રમુખ, 4 મહામંત્રી અને 10 મંત્રી સહિતના પદો જાહેર, જુઓ સંપૂર્ણ યાદી

ગાંધીનગર : ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માની જાહેરાત કરાયા બાદ શનિવારે મોડી રાત્રે તેમની ટીમની પણ જાહેરાત કરી દેવામાં આવી છે. ગુજરાત...

અંબાજી શક્તિપીઠમાં ઈતિહાસ બદલાયો: હવે આઠમની મહાપૂજાના દર્શન તમામ ભક્તો કરી શકશે!

અંબાજી : શક્તિપીઠ અંબાજી મંદિરને લઇ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. અંબાજી મંદિર સ્થાપના બાદનો અત્યાર સુધીનો સૌથી મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે....

ગિફ્ટ સિટીમાં દારૂના નિયમોમાં મોટો ફેરફાર, વિદેશી પ્રવાસીઓ તથા અન્ય રાજ્યના ઓળખપત્ર બતાવી મેળવી શકશે દારૂ

ગાંધીનગર : ગિફ્ટ સિટીના મુલાકાતીઓ અને કર્મચારીઓને ક્રિસમસ અને નવા વર્ષની શાનદાર ભેટ સમાન નિર્ણયમાં રાજ્ય સરકારે દારૂબંધીના નિયમમાં વધુ રાહત આપતું જાહેરનામું બહાર...

GSRTCની નવી પહેલ, હવે ST બસમાં મુસાફરી દરમિયાન મળશે ગરમાગરમ ભોજન, જાણો કઈ રીતે કરશો ઓર્ડર

ગાંધીનગર : ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ (GSRTC) દ્વારા મુસાફરોની સુવિધામાં ઉત્તરોત્તર વધારો કરવામાં આવી રહ્યો છે. હાઈ-ટેક બસો બાદ હવે નિગમે મુસાફરોની જઠરાગ્નિ...

ઇમ્પેક્ટ ફીની મુદતમાં પાંચમી વખત છ માસનો વધારો, ગેરકાયદેસર બાંધકામ થઈ જશે કાયદેસર

ગાંધીનગર : ગુજરાત અનધિકૃત વિકાસ નિયમિત કાયદા 2022 હેઠળ રાજ્ય સરકાર દ્વારા ઇમ્પેક્ટ ફી ભરીને ગેરકાયદેસર બાંધકામને કાયદેસર કરવા માટેની સમયમર્યાદા આગામી 6 મહિના...

મોંઘવારીનો વધુ એક માર, વાહનોનું PUC કઢાવવું હવે મોંઘું થશે ! ટુ-વ્હીલર, ફોર-વ્હીલરના નવા ભાવ જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકારે વાહનો માટે પીયુસીના દરમાં વધારો કર્યો છે. વાહનો માટે ફરજિયાત પોલ્યુશન અન્ડર કંટ્રોલ સર્ટિફિકેટ (પીયુસી) મેળવવા હવે વાહન માલિકોને વધુ...