Friday, February 6, 2026

આરોગ્ય ક્ષેત્રે મોટી ક્રાંતિ! અમદાવાદ સહિત આ 14 સેન્ટરો પર હવે MRI કરાવવું બનશે સરળ અને સસ્તું, સરકારે લીધો મોટો નિર્ણય

spot_img
Share

અમદાવાદ : રાજ્યના દર્દીઓને ઘરઆંગણે ઝડપી અને સચોટ નિદાન મળી રહે તે માટે ગુજરાત સરકાર દ્વારા આધુનિક તબીબી સાધનોની સુવિધામાં મોટો વધારો કરવામાં આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા કુલ ₹178.54 કરોડના ખર્ચે 14 નવા અદ્યતન MRI મશીનોની ખરીદી કરવામાં આવી છે. આ મશીનો રાજ્યની વિવિધ સિવિલ અને GMERS હોસ્પિટલોમાં કાર્યરત કરવામાં આવશે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, રાજ્ય સરકાર દ્વારા કુલ ₹178.54 કરોડના ખર્ચે 14 નવા અદ્યતન અત્યંત આધુનિક 1.5 ટેસ્લા ટેકનોલોજી વાળા MRI મશીનોની ખરીદી કરવામાં આવી છે.આ ટેકનોલોજીની મદદથી દર્દીઓના રોગનું નિદાન વધુ ઝડપી અને ગુણવત્તાયુક્ત રીતે થઈ શકશે. એક MRI મશીનની અંદાજિત કિંમત ₹12.75 કરોડ છે.આ મશીનો અમદાવાદ, સુરત, વડોદરા અને જામનગરની સિવિલ હોસ્પિટલોમાં કાર્યરત થશે. આ ઉપરાંત, ધારપુર (પાટણ), વડનગર, વલસાડ, જૂનાગઢ, નવસારી, રાજપીપળા, ગોધરા, પોરબંદર, મોરબી અને વિસનગરની GMERS હોસ્પિટલોમાં પણ દર્દીઓને MRI ની સુવિધા મળી રહેશે.

સામાન્ય રીતે ખાનગી સેન્ટરોમાં MRI રિપોર્ટ કરાવવો મધ્યમ અને ગરીબ વર્ગ માટે ખર્ચાળ હોય છે. હવે સરકારી હોસ્પિટલોમાં આ અદ્યતન મશીનો મુકાતા ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓને રાહત દરે અથવા મફતમાં નિદાનની સુવિધા મળશે. તેનાથી નિદાનમાં થતો વિલંબ ઘટશે અને દર્દીઓની સારવાર સમયસર શરૂ કરી શકાશે.જેના કારણે રાજ્યના વિવિધ જિલ્લાઓના દર્દીઓને હવે MRI કરાવવા માટે ખાનગી લેબોરેટરી કે અન્ય શહેરોમાં ધક્કા નહીં ખાવા પડે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...