અમદાવાદ : આગામી કોમનવેલ્થ ગેમ્સ 2030 અમદાવાદ મહાનગરમાં યોજાવવા માટે જઈ રહી છે ત્યારે અમદાવાદની ઓળખ સમાન એસ.જી હાઈવેને આઈકોનિક રોડ બનાવવામાં આવશે.એસ જી હાઈવેની આજુબાજુના સર્વિસ રોડ પર ટ્રી પ્લાન્ટેશન અને વોક વે સહિતની સુવિધા સાથે બ્યુટિફિકેશન કરવાનું છે. જેમાં પ્રથમ તબક્કામાં ઈસ્કોનથી પકવાન સુધીનો રોડ ડેવલોપ કરવામાં આવ્યો છે.
સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનના જણાવ્યા મુજબ, ‘પહેલા સનાથલ સર્કલથી શરૂ કરી ગાંધીનગરના જી-7 સર્કલ સુધીનો રોડ ડેવલોપ કરવા માટેનો લગભગ 30 કિમીનો રોડ છે, જેને એરપોર્ટથી ઈન્દિરાબ્રિજ જે રીતે આઈકોનિક રોડ બનાવવામાં આવ્યો એવી જ રીતે સનાથલથી ગાંધીનગર સુધીનો એસ.જી હાઈવે નેશનલ હાઈવે ઓથોરિટી, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, ઔડા, ગુડા, ગાંધીનગર મહાનગરપાલિકાએ માટે આજના તાકીદના કામની અંદર યુએન મહેતા ફાઉન્ડેશન દ્વારા ડેવલોપ કરવામાં આવશે અને કન્સલટન્સીનો તમામ ખર્ચ યુએન મહેતા ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવશે. પરિણામે આવનારા સમયગાળા દરમિયાન લેન્ડસ્કેપિંગ તદઉપરાંત વાત કરીએ તો ગઝીબો, ઈસ્કોનથી પકવાન સુધીનો રોડ ડેવલોપ કરવામાં આવ્યો એવો નવતર 30 કિમીનો રોડ એસ.જી હાઈવે બ્યુટિફિકેશન સાથે તૈયાર થશે.’
અમદાવાદ-ગાંધીનગર વચ્ચેના વિકાસ માટે નવી કંપનીની રચના અમદાવાદના સનાથલ સર્કલથી ગાંધીનગરના ‘જ’ સર્કલ સુધીના એસ.જી. હાઈવેના સર્વાંગી વિકાસ માટે ગુજરાત સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ હેઠળ રાષ્ટ્રીય ધોરીમાર્ગ, રિંગ રોડ અને અન્ય મેજર પ્રોજેક્ટ્સના સંકલન માટે ‘ગુજરાત અર્બન ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કંપની લિમિટેડ’ (GUIDCL) ની સ્થાપના કરવામાં આવી છે. આ કંપની હાઈવેની આસપાસના શહેરી વિકાસ અને આધુનિક માળખાગત સુવિધાઓ પર દેખરેખ રાખશે.
નિષ્ણાતોની ટીમ અને ‘નો કોસ્ટ બેઝિસ’ પર કામગીરી હાઈવેના સુંદરતા અને ડિઝાઈનિંગ માટે યુ.એન.એમ. ફાઉન્ડેશનની નિમણૂક કરવામાં આવી છે. આ ફાઉન્ડેશન આર્કિટેક્ટ, લેન્ડસ્કેપિંગ, અને લાઈટિંગ જેવા વિવિધ નિષ્ણાત કન્સલ્ટન્ટ્સની સેવાઓ ‘નો કોસ્ટ બેઝિસ’ પર પૂરી પાડશે, એટલે કે આ માટે કોઈ પણ કન્સલ્ટન્સી ફી ચૂકવવાની રહેશે નહીં. પ્રાથમિક સર્વેની કામગીરી પૂર્ણ કરી લેવામાં આવી છે અને હવે આધુનિક ગાર્ડનિંગ અને બ્યુટીફિકેશન પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.


