Friday, February 6, 2026

જીવનની કરુણતા : 20 રૂપિયાની લાંચના આરોપમાં 27 વર્ષે નિર્દોષ છૂટેલા પોલીસકર્મીનું કોર્ટના ચુકાદા બાદ ગણતરીના કલાકોમાં જ અવસાન

spot_img
Share

અમદાવાદ : ગુજરાત હાઈકોર્ટના ખાસ ચુકાદા બાદ દુ:ખદ બનાવ સામે આવ્યો છે. 20 રૂપિયાની લાંચના આરોપમાં ફસાયેલા તત્કાલીન પોલીસ કોન્સ્ટેબલને ગુજરાત હાઇકોર્ટે 28 વર્ષ બાદ નિર્દોષ જાહેર કર્યા હતા, પરંતુ દુર્ભાગ્યવશ ચુકાદો મળ્યાના થોડા જ કલાકોમાં તેમનું કુદરતી મોત નિપજ્યું છે. ત્યારે આ દુ:ખદ અવસાનથી મૃત પોલીસ કોન્સ્ટેબલના પરિવારજનોમાં શોક સાથે ભારે રોષની લાગણી છવાઈ છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, વર્ષ 1997માં ACBએ સમગ્ર મામલે કોન્સ્ટેબલ વિરુદ્ધ કાર્યવાહી કરી હતી. શહેરના વેજલપુર વિસ્તારમાં આવેલા વિશાલ જંકશન પાસે ACB (એન્ટી કરપ્શન બ્યુરો) દ્વારા છટકું ગોઠવી રેડ પાડવામાં આવી હતી. તેમાં તત્કાલીન પોલીસ કોન્સ્ટેબલ પર 20 રૂપિયાની લાંચ લેવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. આ મામલે વર્ષ 2004માં અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કોર્ટે તેમને દોષિત ઠરાવી ત્રણ વર્ષની સજા ફટકારી હતી.

ડિસ્ટ્રિક્ટ કોર્ટના આ ચુકાદાને પડકારતા પોલીસકર્મીએ ગુજરાત હાઇકોર્ટમાં અપીલ દાખલ કરી હતી. જેથી લાંબી કાનૂની લડત બાદ આખરે 22 વર્ષ પછી, એટલે કે આરોપ લાગ્યાના કુલ 28 વર્ષ બાદ, ગુજરાત હાઇકોર્ટે તમામ પુરાવાઓ અને દલીલોનું મૂલ્યાંકન કરીને પોલીસકર્મીને નિર્દોષ જાહેર કર્યા હતા. હાઇકોર્ટના ચુકાદામાં પ્રોસિક્યુશન આરોપ સાબિત કરવામાં નિષ્ફળ ગયું હોવાનું નોંધાયું હતું. જે નોંધીને જજે આ મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો હતો.

ગઈકાલે હાઇકોર્ટે ચુકાદો આપતા જ તત્કાલીન પોલીસકર્મી ખૂબ ખુશ હતા. તેઓ પોતાના એડવોકેટ નીતિન ગાંધીની ઓફિસે પહોંચ્યા હતા અને આખા કેસ વિશે વાતચીત કરી હતી. જોકે ગુજરાત હાઇકોર્ટે 28 વર્ષ બાદ નિર્દોષ જાહેર કરેલા તત્કાલીન પોલીસકર્મીનું ચુકાદો આવ્યાના કલાકોમાં જ દુર્ભાગ્યવશ કુદરતી મોત નિપજ્યું છે. ત્યારે આ દુ:ખદ અવસાનથી મૃત પોલીસ કોન્સ્ટેબલના પરિવારજનોમાં શોક સાથે ભારે રોષની લાગણી છવાઈ છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...