Monday, September 15, 2025

અમદાવાદમાં ‘કાશ્મીર ફાઇલ્સ’નું સ્ક્રિનિંગ: ફિલ્મ જોતા કાશ્મીરી પંડિતોની આંખો આંસુથી છલકાઈ; કહ્યું, ‘મારે મારા ઘરે જવું જ છે, હજુ અમને લાગે છે અમારું ઘર ત્યાં એવું જ હશે’

Share

Share

અમદાવાદ19 મિનિટ પહેલાલેખક: આનંદ મોદી

સિનેમા હોલ હાઉસફુલ થઈ ગયો હતો

કાશ્મીરમાં આર્ટિકલ 370 હટાવવાની જરૂર શા માટે પડી તે આ ફિલ્મ જોઈને ખબર પડશે: પ્રેક્ષકફિલ્મ જોવા આવેલા VIP-VVIPએ એક મિનિટ માટે પણ પોતાની ખુરશી છોડી ન હોતી

હાલ સૌથી વધુ ચર્ચામાં આવેલી વિવેક અગ્નિહોત્રી નિર્દેશિત ‘કાશ્મીર ફાઇલ્સ’ ફિલ્મનું અમદાવાદમાં ફ્રી સ્ક્રીનિંગ યોજવામાં આવ્યું હતું. આ સ્ક્રીનગમાં ગુજરાત અને ગુજરાત બહારના કાશ્મીરી પંડિતો સહિત અનેક લોકોને આમંત્રણ આપવામાં આવ્યું હતું. આ ફિલ્મ જોતા જ અનેક લોકોની આંખો છલકાઈ ગઈ હતી. તેમજ ફિલ્મ જોવા આવેલા કાશ્મીરી પંડિતો હજુ પણ તેમના ઘરે પરત જવા ઈચ્છે છે.

શિક્ષણ મંત્રી સહિતના નેતાઓએ ફિલ્મ જોઈશહેરના આલ્ફા વન મોલમાં આવેલા સિનેપોલિસમાં રવિવારની સાંજે ‘કાશ્મીર ફાઇલ્સ’નું ફ્રી સ્ક્રીનિંગ યોજવામાં આવ્યું હતું. જેમાં શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી, પૂર્વ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયા, રાજકોટ કલેકટર અરુણ મહેશ બાબુ, પૂર્વ IPS અધિકારી ડી.જી.વણઝારા, એરફોર્સના ઉચ્ચ અધિકારી, અન્ય અધિકારીઓ અને તેમના પરિવાર તથા કાશ્મીરી પંડિતો આવ્યા હતા.

ફિલ્મના ઇન્ટરવલમાં પણ લોકો ઉત્સુકતાથી બેસી રહ્યા હતા

ફિલ્મના ઇન્ટરવલમાં પણ લોકો ઉત્સુકતાથી બેસી રહ્યા હતા

કેટલાકે ઉભા ઉભા તો કેટલાકે નીચે બેસી ફિલ્મ જોઈસિનેમા હોલ હાઉસફુલ થઈ જતા કેટલાક લોકોએ ઉભા ઉભા તો કેટલાકે નીચે બેસીને પણ ફિલ્મ જોઈ હતી. ફિલ્મ શરૂ થઈ ત્યારથી કોઈનું ધ્યાન સ્ક્રીન પરથી હટ્યું નહોતું. જ્યારે કેટલાક દર્દનાક અને લાગણીસભ દ્રશ્ય અનેક લોકોનું કાળજું કંપી ઉઠતું હતું. આ સ્ક્રીનિંગમાં અનેક લોકો 1989-90માં કાશ્મીરમાં પણ હતા. જેમની આંખોમાં દ્રશ્યો જોતા આંખમાંથી આવતા આંસુ રોકી શક્યા નહોતા.

ફિલ્મ જોઈ લોકોની આંખો આંસુથી છલકાઈ ગઈ હતીફિલ્મના ઇન્ટરવલમાં પણ લોકો ઉત્સુકતાથી બેસી રહ્યા હતા. ફિલ્મ જોવા આવેલા VIP-VVIP એ પણ એક મિનિટ માટે પોતાની ખુરશી છોડી નહોતી. શરૂઆતથી લઈને અંત સુધી આખી ફિલ્મ ખૂબ જ શાંતિથી નિહાળી હતી. અંતમાં આવેલા દ્રશ્યોથી મોટા ભાગના લોકોનો ડૂમો ભરાય ગયો હતો અને અનેક લોકોની આંખો આંસુથી છલકાઈ ગઈ હતી. લોકો એકબીજાને ભેટી પડ્યા હતા અને પોતાના સ્વજનોને યાદ કરી રહ્યા હતા.

પ્રેક્ષકો આંખમાંથી આવતા આંસુ રોકી શક્યા ન હોતા

પ્રેક્ષકો આંખમાંથી આવતા આંસુ રોકી શક્યા ન હોતા

કાશ્મીરી પંડિતો આજે પણ પોતાના ઘર જોવા તડપે છેઆ ફિલ્મ જોવા આવેલા અનેક કાશ્મીરી પંડિતોના ઘર હજુ કાશ્મીરમાં છે જે પોતાના ઘરની એક ઝલક નિહાળવા તડપી રહ્યા છે સાથે તેમના મનમાં ડર પણ છે.આજે આ ફિલ્મથી તેમની સાથે બનેલ હાદસા પણ સામે આવ્યા જે તેઓ ક્યારેય શબ્દોમાં વર્ણવી શકતા નહોતા. તેઓ બીજાને પણ એ જ અપીલ કરી છે કે, એકવાર ફિલ્મ જોવી તો ખબર પડશે કે, 1989-90માં કાશ્મીરી પંડિતોની શુ સ્થિતિ હતી.

ફિલ્મ જોવા આવેલા પ્રેક્ષકો

ફિલ્મ જોવા આવેલા પ્રેક્ષકો

કાશ્મીરી પંડિતોએ જે ભોગવ્યું છે તે ખૂબ જ હદય દ્રાવ્ય હતું: અનાર મહેતાસ્ક્રીનિંગનું આયોજનમાં ભાગ લેનાર અનાર મહેતાએ જણાવ્યું હતું કે, આ ફિલ્મનું સ્ક્રીનિગ એટલા માટે રાખવામાં આવ્યું કે, કાશ્મીરી પંડિતોની સાથે બનાવની હકીકત બધાની સામે આવે. કાશ્મીરી પંડિતોએ જે ભોગવ્યું છે તે ખૂબ જ હદય દ્રાવ્ય હતું જેથી તમામ લોકો આ ફિલ્મ જોવે. કોણ સાચું છે અને કોણ ખોટું છે તે પણ લોકોને ખબર પડે. આર્ટિકલ 370 હટાવવાની જરૂર શા માટે પડી તે પણ આ ફિલ્મ જોઈને લોકોને ખબર પડશે.

આ ફિલ્મ નથી આ અમારી લાગણી છે: ભરતભાઈમૂળ કાશ્મીરી પંડિત ભરત ભાઈએ જણાવ્યું હતું કે, હું અમદાવાદમાં 2008થી રહું છું પરંતુ કાશ્મીરથી અમારે આજે પણ સબંધ છે. અમારી લાગણીઓ ત્યાં જોડાયેલી છે. આ ફિલ્મ નથી આ અમારી લાગણી છે.આ મૂવીમાં 5% ન દ્રશ્યો બતાવ્યા છે. ઓછા સમયમાં આખી વાત ન બતાવી શકાય. હું અને મારો પરિવાર કાશ્મીર જવા ઇચ્છીએ છીએ. ફિલ્મ જોઈને અમારા બાળકો પણ હવે ત્યાં જવા ઈચ્છે છે. અત્યારે કાશ્મીરમાં પંડિત ના બરોબર છે. અમે હજુ પરત જવા ઇચ્છીએ છીએ. ઘર માટે અમે કોમ્પરોમાઇસ નહિ કરીએ, અત્યારે પણ અમારું ઘર છે ત્યાં અમને હજુ એવું જ છે કે ઘર એવું જ હશે.

અન્ય સમાચારો પણ છે…

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

શિક્ષણ બોર્ડનો વિદ્યાર્થીલક્ષી નિર્ણય, માર્કશીટ-સર્ટિફિકેટમાં ઓનલાઈન સુધારા શક્ય, હવે QR કોડ-UPIથી થશે ફી ભરવાની પ્રક્રિયા

ગાંધીનગર : ગુજરાત શિક્ષણ બોર્ડે વિદ્યાર્થીઓના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જે અંતર્ગત હવે વિદ્યાર્થીઓ માર્કશીટ અને પ્રમાણપત્રોમાં ઓનલાઈન સુધારા કરી શકશે. આ...

શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મેળવનારા શિક્ષકોને મોટી ભેટ, STની બસોમાં આજીવન નિઃશુલ્ક મુસાફરીનો મળશે લાભ

ગાંધીનગર : ગુજરાતમાં જે શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મળ્યો છે, તેમના માટે રાજ્ય સરકાર મહત્વનો નિર્ણય લીધો છે. ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના નિર્ણય...

ગુજરાતમાં ઈમરજન્સીમાં ડાયલ–112 સેવાનો પ્રારંભ, ‘એક નંબર, અનેક સેવાઓ’

ગાંધીનગર : ગુજરાત સરકારના ‘ડાયલ 112’ પ્રોજેક્ટનો કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે શુભારંભ કર્યો હતો. જેમાં રાજ્યમાં બનતા અપરાધિક બનાવો, માર્ગ અકસ્માતો અને અન્ય...

અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાની તડામાર તૈયારીઓ, વ્યાસવાડી પગપાળા સંઘે મંદિરના શિખર પર ધજા અર્પણ કરી

અંબાજી : ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર સ્થિત શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી મહાકુંભની પૂર્વ સંધ્યાએ ભક્તિમય વાતાવરણ સર્જાયું છે. 51 શક્તિપીઠમાંનું એક એવા આ...

ભાદરવી પૂનમ મહામેળો 2025,અંબાજી મહા મેળામાં પાર્કિંગની ચિંતા હવે દૂર-ઓનલાઇન નિઃશુલ્ક પાર્કિંગ સુવિધા ઉપલબ્ધ

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાનાં કેન્દ્ર એવા અંબાજી ખાતે આગામી તા.1 થી 7 સપ્ટેમ્બર 2025 દરમિયાન ભાદરવી પૂનમ મહામેળો 2025નું આયોજન કરાશે. જિલ્લા...

ગણેશ મહોત્સવમાં શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ યોજાશે, વિજેતાને મળશે આટલા લાખ, જાણો શરતો

ગાંધીનગર : રાજ્યમાં સાંસ્કૃતિક વારસા અને પરંપરાગત લોક સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે ‘શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ની જાહેરાત યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના...

ગાંધીનગરમાં નશામાં ધૂત કાર ચાલકે અનેક લોકોને અડફેટે લીધા, એક મહિલા સહિત ત્રણના મોત

ગાંધીનગર : ગાંધીનગરના રાંદેસણ વિસ્તારમાં આજે (25 જુલાઈ, 2025) સવારે અકસ્માતની એક ગંભીર ઘટના સામે આવી છે. ભાઇજીપુરાથી સિટી પલ્સવાળા સર્વિસ રોડ પર ટાટા...

અમદાવાદ-ગાંધીનગરમાં રહેનારા ખાસ વાંચે, ગાંધીનગરની આ 15 જગ્યાઓ આસપાસ જવા પર પ્રતિબંધ

ગાંધીનગર : ગાંધીનગરમાં કેનાલમાં ડૂબી જવાથી એકનું મોત થયું છે. એકના મોત બાદ વહીવટી તંત્ર સફાળુ જાગ્યું છે. જળાશયો આસપાસ પ્રવેશ કરવા પર મનાઇ...