Friday, March 6, 2026

અમદાવાદમાં ‘કાશ્મીર ફાઇલ્સ’નું સ્ક્રિનિંગ: ફિલ્મ જોતા કાશ્મીરી પંડિતોની આંખો આંસુથી છલકાઈ; કહ્યું, ‘મારે મારા ઘરે જવું જ છે, હજુ અમને લાગે છે અમારું ઘર ત્યાં એવું જ હશે’

spot_img
Share

અમદાવાદ19 મિનિટ પહેલાલેખક: આનંદ મોદી

સિનેમા હોલ હાઉસફુલ થઈ ગયો હતો

કાશ્મીરમાં આર્ટિકલ 370 હટાવવાની જરૂર શા માટે પડી તે આ ફિલ્મ જોઈને ખબર પડશે: પ્રેક્ષકફિલ્મ જોવા આવેલા VIP-VVIPએ એક મિનિટ માટે પણ પોતાની ખુરશી છોડી ન હોતી

હાલ સૌથી વધુ ચર્ચામાં આવેલી વિવેક અગ્નિહોત્રી નિર્દેશિત ‘કાશ્મીર ફાઇલ્સ’ ફિલ્મનું અમદાવાદમાં ફ્રી સ્ક્રીનિંગ યોજવામાં આવ્યું હતું. આ સ્ક્રીનગમાં ગુજરાત અને ગુજરાત બહારના કાશ્મીરી પંડિતો સહિત અનેક લોકોને આમંત્રણ આપવામાં આવ્યું હતું. આ ફિલ્મ જોતા જ અનેક લોકોની આંખો છલકાઈ ગઈ હતી. તેમજ ફિલ્મ જોવા આવેલા કાશ્મીરી પંડિતો હજુ પણ તેમના ઘરે પરત જવા ઈચ્છે છે.

શિક્ષણ મંત્રી સહિતના નેતાઓએ ફિલ્મ જોઈશહેરના આલ્ફા વન મોલમાં આવેલા સિનેપોલિસમાં રવિવારની સાંજે ‘કાશ્મીર ફાઇલ્સ’નું ફ્રી સ્ક્રીનિંગ યોજવામાં આવ્યું હતું. જેમાં શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી, પૂર્વ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયા, રાજકોટ કલેકટર અરુણ મહેશ બાબુ, પૂર્વ IPS અધિકારી ડી.જી.વણઝારા, એરફોર્સના ઉચ્ચ અધિકારી, અન્ય અધિકારીઓ અને તેમના પરિવાર તથા કાશ્મીરી પંડિતો આવ્યા હતા.

ફિલ્મના ઇન્ટરવલમાં પણ લોકો ઉત્સુકતાથી બેસી રહ્યા હતા

ફિલ્મના ઇન્ટરવલમાં પણ લોકો ઉત્સુકતાથી બેસી રહ્યા હતા

કેટલાકે ઉભા ઉભા તો કેટલાકે નીચે બેસી ફિલ્મ જોઈસિનેમા હોલ હાઉસફુલ થઈ જતા કેટલાક લોકોએ ઉભા ઉભા તો કેટલાકે નીચે બેસીને પણ ફિલ્મ જોઈ હતી. ફિલ્મ શરૂ થઈ ત્યારથી કોઈનું ધ્યાન સ્ક્રીન પરથી હટ્યું નહોતું. જ્યારે કેટલાક દર્દનાક અને લાગણીસભ દ્રશ્ય અનેક લોકોનું કાળજું કંપી ઉઠતું હતું. આ સ્ક્રીનિંગમાં અનેક લોકો 1989-90માં કાશ્મીરમાં પણ હતા. જેમની આંખોમાં દ્રશ્યો જોતા આંખમાંથી આવતા આંસુ રોકી શક્યા નહોતા.

ફિલ્મ જોઈ લોકોની આંખો આંસુથી છલકાઈ ગઈ હતીફિલ્મના ઇન્ટરવલમાં પણ લોકો ઉત્સુકતાથી બેસી રહ્યા હતા. ફિલ્મ જોવા આવેલા VIP-VVIP એ પણ એક મિનિટ માટે પોતાની ખુરશી છોડી નહોતી. શરૂઆતથી લઈને અંત સુધી આખી ફિલ્મ ખૂબ જ શાંતિથી નિહાળી હતી. અંતમાં આવેલા દ્રશ્યોથી મોટા ભાગના લોકોનો ડૂમો ભરાય ગયો હતો અને અનેક લોકોની આંખો આંસુથી છલકાઈ ગઈ હતી. લોકો એકબીજાને ભેટી પડ્યા હતા અને પોતાના સ્વજનોને યાદ કરી રહ્યા હતા.

પ્રેક્ષકો આંખમાંથી આવતા આંસુ રોકી શક્યા ન હોતા

પ્રેક્ષકો આંખમાંથી આવતા આંસુ રોકી શક્યા ન હોતા

કાશ્મીરી પંડિતો આજે પણ પોતાના ઘર જોવા તડપે છેઆ ફિલ્મ જોવા આવેલા અનેક કાશ્મીરી પંડિતોના ઘર હજુ કાશ્મીરમાં છે જે પોતાના ઘરની એક ઝલક નિહાળવા તડપી રહ્યા છે સાથે તેમના મનમાં ડર પણ છે.આજે આ ફિલ્મથી તેમની સાથે બનેલ હાદસા પણ સામે આવ્યા જે તેઓ ક્યારેય શબ્દોમાં વર્ણવી શકતા નહોતા. તેઓ બીજાને પણ એ જ અપીલ કરી છે કે, એકવાર ફિલ્મ જોવી તો ખબર પડશે કે, 1989-90માં કાશ્મીરી પંડિતોની શુ સ્થિતિ હતી.

ફિલ્મ જોવા આવેલા પ્રેક્ષકો

ફિલ્મ જોવા આવેલા પ્રેક્ષકો

કાશ્મીરી પંડિતોએ જે ભોગવ્યું છે તે ખૂબ જ હદય દ્રાવ્ય હતું: અનાર મહેતાસ્ક્રીનિંગનું આયોજનમાં ભાગ લેનાર અનાર મહેતાએ જણાવ્યું હતું કે, આ ફિલ્મનું સ્ક્રીનિગ એટલા માટે રાખવામાં આવ્યું કે, કાશ્મીરી પંડિતોની સાથે બનાવની હકીકત બધાની સામે આવે. કાશ્મીરી પંડિતોએ જે ભોગવ્યું છે તે ખૂબ જ હદય દ્રાવ્ય હતું જેથી તમામ લોકો આ ફિલ્મ જોવે. કોણ સાચું છે અને કોણ ખોટું છે તે પણ લોકોને ખબર પડે. આર્ટિકલ 370 હટાવવાની જરૂર શા માટે પડી તે પણ આ ફિલ્મ જોઈને લોકોને ખબર પડશે.

આ ફિલ્મ નથી આ અમારી લાગણી છે: ભરતભાઈમૂળ કાશ્મીરી પંડિત ભરત ભાઈએ જણાવ્યું હતું કે, હું અમદાવાદમાં 2008થી રહું છું પરંતુ કાશ્મીરથી અમારે આજે પણ સબંધ છે. અમારી લાગણીઓ ત્યાં જોડાયેલી છે. આ ફિલ્મ નથી આ અમારી લાગણી છે.આ મૂવીમાં 5% ન દ્રશ્યો બતાવ્યા છે. ઓછા સમયમાં આખી વાત ન બતાવી શકાય. હું અને મારો પરિવાર કાશ્મીર જવા ઇચ્છીએ છીએ. ફિલ્મ જોઈને અમારા બાળકો પણ હવે ત્યાં જવા ઈચ્છે છે. અત્યારે કાશ્મીરમાં પંડિત ના બરોબર છે. અમે હજુ પરત જવા ઇચ્છીએ છીએ. ઘર માટે અમે કોમ્પરોમાઇસ નહિ કરીએ, અત્યારે પણ અમારું ઘર છે ત્યાં અમને હજુ એવું જ છે કે ઘર એવું જ હશે.

અન્ય સમાચારો પણ છે…

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...