Friday, February 6, 2026

અમદાવાદ માટે મંગળવારનો દિવસ ‘અમંગળ’ રહ્યો, ચાર અલગ અલગ અકસ્માતમાં વૃદ્ધ સહિત ચારનાં મોત

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં રોડ અકસ્માતની ઘટનાઓમાં સતત વધારો થતો જાય છે. 18 એપ્રિલ એટલે મંગલવારનો દિવસ અમદાવાદના લોકો માટે અમંગળ રહ્યો હતો કારણ કે, ગઈકાલે અલગ-અલગ જગ્યા પર બનેલી રોડ અકસ્માતની ઘટનામાં વૃદ્ધ સહિત ચારનાં મોત થયા હતા, જેમાં ડમ્પર અને આઇશરના કારણે મોત થયા હોવાના રિપોર્ટ મળી રહ્યા છે. આ સમગ્ર મામલે હાલ તો ટ્રાફિક પોલીસે ગુનો નોંધ્યો છે પરંતુ શહેરની અંદર ફરી રહેલા મોટા વાહનોના કારણે આવા અકસ્માતો સર્જાય તેવી સ્થિતિ થઈ છે.

એક રિપોર્ટ મુજબ અમદાવાદમાં અલગ અલગ વિસ્તારમાં ચાર લોકોના માર્ગ અકસ્માતમાં મોત થયા છે જેમાં વસ્ત્રાપુરમાં સંજીવની હોસ્પિટલ તરફના રોડ, ધરણીધર દેરાસર બીઆરટીએસ બસ સ્ટેન્ડ પાસેથી, અસલાલીથી નારોલ જવાના રોડ પર મહાકાળી ઢાબાની પાસે અને અમરાઈવાડીમાં હિટ એન્ડ રનની ઘટનામાં સગીર, વૃદ્ધ સહિત ચારના મોત નીપજ્યાં હતાં.

ઘટના 1 | વસ્ત્રાપુરમાં રહેતા ભરતભાઈ પટેલનો 13 વર્ષનો પુત્ર વ્રજ પટેલ સાઇકલ લઈને સ્કૂલેથી પરત આવી રહ્યો હતો. તે એનઆઈડી સર્કલથી સંજીવની હોસ્પિટલ તરફના રોડ પર પહોંચ્યો ત્યારે પિકઅપ વાને વ્રજને ટક્કર મારી હતી, જેથી જમીન પર પટકાતાં ગંભીર ઇજાને કારણે તેનું મૃત્યુ
થયું હતું.

ઘટના 2 | બીજી ઘટનામાં નારોલમાં રહેતા 69 વર્ષીય જવાનમલ રાવલ સોમવારે સવારે અસલાલીથી નારોલ જવાના રોડ પર મહાકાળી ઢાબાની પાસેથી રોડ ક્રોસ કરી રહ્યા હતા તે સમયે આઈસરે તેમને અડફેટે લીધા હતા, જેને કારણે જવાનમલ રાવલનું ઘટના સ્થળે જ મોત
નીપજ્યું હતું.

ઘટના 3 | સાણંદમાં રહેતા 52 વર્ષીય મનુભાઈ વાણિયા ધરણીધર દેરાસર બીઆરટીએસ બસ સ્ટેન્ડ પાસેથી ચાલીને જઈ રહ્યા હતા ત્યારે કારચાલકે તેમને ટક્કર મારતા તેઓ રોડ પર પટકાયા હતા. તેમને ઇજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલ લઈ જવાયા હતા, જ્યાં ત્રણ દિવસની સારવાર બાદ તેમનું મૃત્યુ
થયું હતું.

ઘટના 4 | ગોમતીપુરમાં રહેતા 30 વર્ષીય લેબર કોન્ટ્રાક્ટર વિજય પારધી મંગળવારે વહેલી સવારે સુખરામનગર સંત વિનોભા ભાવે નગર પાસેથી ચાલતા પસાર થઈ રહ્યા હતા. તે સમયે એએમસીના ડમ્પર ચાલકે વિજયભાઈને ટક્કર મારી હતી, જેથી તેઓ આઠ ફૂંટ હવામાં ફંગોળાઈને જમીન પર પટકાતાં તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...