Saturday, November 8, 2025

અમદાવાદ માટે મંગળવારનો દિવસ ‘અમંગળ’ રહ્યો, ચાર અલગ અલગ અકસ્માતમાં વૃદ્ધ સહિત ચારનાં મોત

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં રોડ અકસ્માતની ઘટનાઓમાં સતત વધારો થતો જાય છે. 18 એપ્રિલ એટલે મંગલવારનો દિવસ અમદાવાદના લોકો માટે અમંગળ રહ્યો હતો કારણ કે, ગઈકાલે અલગ-અલગ જગ્યા પર બનેલી રોડ અકસ્માતની ઘટનામાં વૃદ્ધ સહિત ચારનાં મોત થયા હતા, જેમાં ડમ્પર અને આઇશરના કારણે મોત થયા હોવાના રિપોર્ટ મળી રહ્યા છે. આ સમગ્ર મામલે હાલ તો ટ્રાફિક પોલીસે ગુનો નોંધ્યો છે પરંતુ શહેરની અંદર ફરી રહેલા મોટા વાહનોના કારણે આવા અકસ્માતો સર્જાય તેવી સ્થિતિ થઈ છે.

એક રિપોર્ટ મુજબ અમદાવાદમાં અલગ અલગ વિસ્તારમાં ચાર લોકોના માર્ગ અકસ્માતમાં મોત થયા છે જેમાં વસ્ત્રાપુરમાં સંજીવની હોસ્પિટલ તરફના રોડ, ધરણીધર દેરાસર બીઆરટીએસ બસ સ્ટેન્ડ પાસેથી, અસલાલીથી નારોલ જવાના રોડ પર મહાકાળી ઢાબાની પાસે અને અમરાઈવાડીમાં હિટ એન્ડ રનની ઘટનામાં સગીર, વૃદ્ધ સહિત ચારના મોત નીપજ્યાં હતાં.

ઘટના 1 | વસ્ત્રાપુરમાં રહેતા ભરતભાઈ પટેલનો 13 વર્ષનો પુત્ર વ્રજ પટેલ સાઇકલ લઈને સ્કૂલેથી પરત આવી રહ્યો હતો. તે એનઆઈડી સર્કલથી સંજીવની હોસ્પિટલ તરફના રોડ પર પહોંચ્યો ત્યારે પિકઅપ વાને વ્રજને ટક્કર મારી હતી, જેથી જમીન પર પટકાતાં ગંભીર ઇજાને કારણે તેનું મૃત્યુ
થયું હતું.

ઘટના 2 | બીજી ઘટનામાં નારોલમાં રહેતા 69 વર્ષીય જવાનમલ રાવલ સોમવારે સવારે અસલાલીથી નારોલ જવાના રોડ પર મહાકાળી ઢાબાની પાસેથી રોડ ક્રોસ કરી રહ્યા હતા તે સમયે આઈસરે તેમને અડફેટે લીધા હતા, જેને કારણે જવાનમલ રાવલનું ઘટના સ્થળે જ મોત
નીપજ્યું હતું.

ઘટના 3 | સાણંદમાં રહેતા 52 વર્ષીય મનુભાઈ વાણિયા ધરણીધર દેરાસર બીઆરટીએસ બસ સ્ટેન્ડ પાસેથી ચાલીને જઈ રહ્યા હતા ત્યારે કારચાલકે તેમને ટક્કર મારતા તેઓ રોડ પર પટકાયા હતા. તેમને ઇજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલ લઈ જવાયા હતા, જ્યાં ત્રણ દિવસની સારવાર બાદ તેમનું મૃત્યુ
થયું હતું.

ઘટના 4 | ગોમતીપુરમાં રહેતા 30 વર્ષીય લેબર કોન્ટ્રાક્ટર વિજય પારધી મંગળવારે વહેલી સવારે સુખરામનગર સંત વિનોભા ભાવે નગર પાસેથી ચાલતા પસાર થઈ રહ્યા હતા. તે સમયે એએમસીના ડમ્પર ચાલકે વિજયભાઈને ટક્કર મારી હતી, જેથી તેઓ આઠ ફૂંટ હવામાં ફંગોળાઈને જમીન પર પટકાતાં તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

હવે આંગળીના ટેરવે દારૂની પરમિટ, મોબાઇલ એપ દ્વારા પરમિટની પ્રોસેસ સરળ બનાવવા ભર્યું મોટું પગલું

ગાંધીનગર : પ્રવાસનના નામે ખુદ ગુજરાત સરકાર જ દારૂને પ્રોત્સાહન આપી રહી હોય તેવુ ચિત્ર ઉપસ્યુ છે. દારૂ પર પ્રતિબંધને કારણે, ગુજરાતની મુલાકાત લેતા...

કોચિંગ કલાસો 16 વર્ષથી ઓછી વયના બાળકોને પ્રવેશ નહિ આપી શકે, વટહુકમની તૈયારી

ગાંધીનગર : ગુજરાત વિધાનસભાના શિયાળુ સત્ર દરમિયાન કોચિંગ ક્લાસિસની નોંધણી, સલામતી વિદ્યાર્થીઓની પ્રવેશ અને કામકાજના કલાકો સહિતના વિવિધ પાસાઓને નિયંત્રિત કરવા માટે વટહુકમ બહાર...

ગિરનારની લીલી પરિક્રમા બંધ છતાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું, એક જ દિવસની છૂટ આપો

જૂનાગઢ : હિંદુ ધર્મમાં આસ્થાનું કેન્દ્ર અને લાખો ભાવિકોની ભક્તિ સમાન ગિરનારની લીલી પરિક્રમા કમોસમી વરસાદને કારણે બંધ છતાં જૂનાગઢમાં લાખો ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું...

ગિરનારથી મોટી ખબર, આ વર્ષે નહિ થાય લીલી પરિક્રમા, આ કારણે સ્થગિત કરવાનો નિર્ણય લેવાયો

જુનાગઢ : ગિરનારની લીલી પરિક્રમા અંગે સૌથી મોટા સમાચાર આવ્યા છે. આખરે ગિરનાર લીલી પરિક્રમા સ્થગિત કરાઈ છે. વરસાદને કારણે પરિક્રમા રૂટ ખરાબ હોવાથી...

જન્મ-મરણના દાખલાને લઈને મોટો આદેશ, ડિજિટલ સિગ્નેચર ધરાવતા પ્રમાણપત્રો પુરાવા તરીકે માન્ય

ગાંધીનગર : રાજ્યમાં કાર્યરત તમામ સરકારી, અર્ધ-સરકારી અને અન્ય કચેરીઓએ ડિજિટલ સિગ્નેચર ધરાવતા જન્મ-મરણના પ્રમાણપત્રનો તમામ પ્રકારની કાર્યવાહી માટે માન્ય પુરાવા તરીકે ફરજીયાત સ્વીકારવા...

I-PRAGATI ફરિયાદીને પોતાના કેસની અપડેટ હવે ઘરે બેઠા મળશે, પોલીસ સ્ટેશનના ચક્કરમાંથી મળી મુક્તિ

ગાંધીનગર : રાજ્યના નાગરિકોને પોતાના પોલીસ કેસ સંદર્ભે થયેલી પ્રગતિના અપડેટ મેળવવા માટે વારંવાર પોલીસ સ્ટેશનના ચક્કર ન લગાવવા પડે તેવા ઉદ્દેશ્ય સાથે રાજ્યના...

નવા મંત્રીમંડળની શપથવિધિ સંપન્ન, કયા મંત્રીઓને કેબિનેટ, રાજ્યકક્ષા અને સ્વતંત્ર હવાલો સોંપાયો? જાણો વિગતે

ગાંધીનગર : ગુજરાતના રાજકારણમાં આજે એક મહત્વનો દિવસ રહ્યો, જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાની હેઠળના મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું. ગાંધીનગરના મહાત્મા મંદિરમાં યોજાયેલા ભવ્ય...

ગુજરાતના નવા મંત્રીઓની યાદી આવી સામે, 26 ધારાસભ્યોને મળ્યું મંત્રીમંડળમાં સ્થાન, જુઓ આ રહી યાદી ?

ગાંધીનગર : આજે ગુજરાતમાં ભુપેન્દ્ર પટેલ સરકારની નવી કેબિનેટનું ગઠન થઇ ગયું છે. જુના મંત્રીઓમાંથી મોટા ભાગના લોકોને પડતા મૂકી અને હવે નવા ચહેરાઓને...