Tuesday, September 16, 2025

અમદાવાદ માટે મંગળવારનો દિવસ ‘અમંગળ’ રહ્યો, ચાર અલગ અલગ અકસ્માતમાં વૃદ્ધ સહિત ચારનાં મોત

Share

Share

અમદાવાદ : અમદાવાદમાં રોડ અકસ્માતની ઘટનાઓમાં સતત વધારો થતો જાય છે. 18 એપ્રિલ એટલે મંગલવારનો દિવસ અમદાવાદના લોકો માટે અમંગળ રહ્યો હતો કારણ કે, ગઈકાલે અલગ-અલગ જગ્યા પર બનેલી રોડ અકસ્માતની ઘટનામાં વૃદ્ધ સહિત ચારનાં મોત થયા હતા, જેમાં ડમ્પર અને આઇશરના કારણે મોત થયા હોવાના રિપોર્ટ મળી રહ્યા છે. આ સમગ્ર મામલે હાલ તો ટ્રાફિક પોલીસે ગુનો નોંધ્યો છે પરંતુ શહેરની અંદર ફરી રહેલા મોટા વાહનોના કારણે આવા અકસ્માતો સર્જાય તેવી સ્થિતિ થઈ છે.

એક રિપોર્ટ મુજબ અમદાવાદમાં અલગ અલગ વિસ્તારમાં ચાર લોકોના માર્ગ અકસ્માતમાં મોત થયા છે જેમાં વસ્ત્રાપુરમાં સંજીવની હોસ્પિટલ તરફના રોડ, ધરણીધર દેરાસર બીઆરટીએસ બસ સ્ટેન્ડ પાસેથી, અસલાલીથી નારોલ જવાના રોડ પર મહાકાળી ઢાબાની પાસે અને અમરાઈવાડીમાં હિટ એન્ડ રનની ઘટનામાં સગીર, વૃદ્ધ સહિત ચારના મોત નીપજ્યાં હતાં.

ઘટના 1 | વસ્ત્રાપુરમાં રહેતા ભરતભાઈ પટેલનો 13 વર્ષનો પુત્ર વ્રજ પટેલ સાઇકલ લઈને સ્કૂલેથી પરત આવી રહ્યો હતો. તે એનઆઈડી સર્કલથી સંજીવની હોસ્પિટલ તરફના રોડ પર પહોંચ્યો ત્યારે પિકઅપ વાને વ્રજને ટક્કર મારી હતી, જેથી જમીન પર પટકાતાં ગંભીર ઇજાને કારણે તેનું મૃત્યુ
થયું હતું.

ઘટના 2 | બીજી ઘટનામાં નારોલમાં રહેતા 69 વર્ષીય જવાનમલ રાવલ સોમવારે સવારે અસલાલીથી નારોલ જવાના રોડ પર મહાકાળી ઢાબાની પાસેથી રોડ ક્રોસ કરી રહ્યા હતા તે સમયે આઈસરે તેમને અડફેટે લીધા હતા, જેને કારણે જવાનમલ રાવલનું ઘટના સ્થળે જ મોત
નીપજ્યું હતું.

ઘટના 3 | સાણંદમાં રહેતા 52 વર્ષીય મનુભાઈ વાણિયા ધરણીધર દેરાસર બીઆરટીએસ બસ સ્ટેન્ડ પાસેથી ચાલીને જઈ રહ્યા હતા ત્યારે કારચાલકે તેમને ટક્કર મારતા તેઓ રોડ પર પટકાયા હતા. તેમને ઇજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલ લઈ જવાયા હતા, જ્યાં ત્રણ દિવસની સારવાર બાદ તેમનું મૃત્યુ
થયું હતું.

ઘટના 4 | ગોમતીપુરમાં રહેતા 30 વર્ષીય લેબર કોન્ટ્રાક્ટર વિજય પારધી મંગળવારે વહેલી સવારે સુખરામનગર સંત વિનોભા ભાવે નગર પાસેથી ચાલતા પસાર થઈ રહ્યા હતા. તે સમયે એએમસીના ડમ્પર ચાલકે વિજયભાઈને ટક્કર મારી હતી, જેથી તેઓ આઠ ફૂંટ હવામાં ફંગોળાઈને જમીન પર પટકાતાં તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

શિક્ષણ બોર્ડનો વિદ્યાર્થીલક્ષી નિર્ણય, માર્કશીટ-સર્ટિફિકેટમાં ઓનલાઈન સુધારા શક્ય, હવે QR કોડ-UPIથી થશે ફી ભરવાની પ્રક્રિયા

ગાંધીનગર : ગુજરાત શિક્ષણ બોર્ડે વિદ્યાર્થીઓના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જે અંતર્ગત હવે વિદ્યાર્થીઓ માર્કશીટ અને પ્રમાણપત્રોમાં ઓનલાઈન સુધારા કરી શકશે. આ...

શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મેળવનારા શિક્ષકોને મોટી ભેટ, STની બસોમાં આજીવન નિઃશુલ્ક મુસાફરીનો મળશે લાભ

ગાંધીનગર : ગુજરાતમાં જે શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મળ્યો છે, તેમના માટે રાજ્ય સરકાર મહત્વનો નિર્ણય લીધો છે. ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના નિર્ણય...

ગુજરાતમાં ઈમરજન્સીમાં ડાયલ–112 સેવાનો પ્રારંભ, ‘એક નંબર, અનેક સેવાઓ’

ગાંધીનગર : ગુજરાત સરકારના ‘ડાયલ 112’ પ્રોજેક્ટનો કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે શુભારંભ કર્યો હતો. જેમાં રાજ્યમાં બનતા અપરાધિક બનાવો, માર્ગ અકસ્માતો અને અન્ય...

અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાની તડામાર તૈયારીઓ, વ્યાસવાડી પગપાળા સંઘે મંદિરના શિખર પર ધજા અર્પણ કરી

અંબાજી : ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર સ્થિત શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી મહાકુંભની પૂર્વ સંધ્યાએ ભક્તિમય વાતાવરણ સર્જાયું છે. 51 શક્તિપીઠમાંનું એક એવા આ...

ભાદરવી પૂનમ મહામેળો 2025,અંબાજી મહા મેળામાં પાર્કિંગની ચિંતા હવે દૂર-ઓનલાઇન નિઃશુલ્ક પાર્કિંગ સુવિધા ઉપલબ્ધ

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાનાં કેન્દ્ર એવા અંબાજી ખાતે આગામી તા.1 થી 7 સપ્ટેમ્બર 2025 દરમિયાન ભાદરવી પૂનમ મહામેળો 2025નું આયોજન કરાશે. જિલ્લા...

ગણેશ મહોત્સવમાં શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ યોજાશે, વિજેતાને મળશે આટલા લાખ, જાણો શરતો

ગાંધીનગર : રાજ્યમાં સાંસ્કૃતિક વારસા અને પરંપરાગત લોક સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે ‘શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ની જાહેરાત યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના...

ગાંધીનગરમાં નશામાં ધૂત કાર ચાલકે અનેક લોકોને અડફેટે લીધા, એક મહિલા સહિત ત્રણના મોત

ગાંધીનગર : ગાંધીનગરના રાંદેસણ વિસ્તારમાં આજે (25 જુલાઈ, 2025) સવારે અકસ્માતની એક ગંભીર ઘટના સામે આવી છે. ભાઇજીપુરાથી સિટી પલ્સવાળા સર્વિસ રોડ પર ટાટા...

અમદાવાદ-ગાંધીનગરમાં રહેનારા ખાસ વાંચે, ગાંધીનગરની આ 15 જગ્યાઓ આસપાસ જવા પર પ્રતિબંધ

ગાંધીનગર : ગાંધીનગરમાં કેનાલમાં ડૂબી જવાથી એકનું મોત થયું છે. એકના મોત બાદ વહીવટી તંત્ર સફાળુ જાગ્યું છે. જળાશયો આસપાસ પ્રવેશ કરવા પર મનાઇ...