Saturday, December 6, 2025

અમદાવાદ માટે મંગળવારનો દિવસ ‘અમંગળ’ રહ્યો, ચાર અલગ અલગ અકસ્માતમાં વૃદ્ધ સહિત ચારનાં મોત

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં રોડ અકસ્માતની ઘટનાઓમાં સતત વધારો થતો જાય છે. 18 એપ્રિલ એટલે મંગલવારનો દિવસ અમદાવાદના લોકો માટે અમંગળ રહ્યો હતો કારણ કે, ગઈકાલે અલગ-અલગ જગ્યા પર બનેલી રોડ અકસ્માતની ઘટનામાં વૃદ્ધ સહિત ચારનાં મોત થયા હતા, જેમાં ડમ્પર અને આઇશરના કારણે મોત થયા હોવાના રિપોર્ટ મળી રહ્યા છે. આ સમગ્ર મામલે હાલ તો ટ્રાફિક પોલીસે ગુનો નોંધ્યો છે પરંતુ શહેરની અંદર ફરી રહેલા મોટા વાહનોના કારણે આવા અકસ્માતો સર્જાય તેવી સ્થિતિ થઈ છે.

એક રિપોર્ટ મુજબ અમદાવાદમાં અલગ અલગ વિસ્તારમાં ચાર લોકોના માર્ગ અકસ્માતમાં મોત થયા છે જેમાં વસ્ત્રાપુરમાં સંજીવની હોસ્પિટલ તરફના રોડ, ધરણીધર દેરાસર બીઆરટીએસ બસ સ્ટેન્ડ પાસેથી, અસલાલીથી નારોલ જવાના રોડ પર મહાકાળી ઢાબાની પાસે અને અમરાઈવાડીમાં હિટ એન્ડ રનની ઘટનામાં સગીર, વૃદ્ધ સહિત ચારના મોત નીપજ્યાં હતાં.

ઘટના 1 | વસ્ત્રાપુરમાં રહેતા ભરતભાઈ પટેલનો 13 વર્ષનો પુત્ર વ્રજ પટેલ સાઇકલ લઈને સ્કૂલેથી પરત આવી રહ્યો હતો. તે એનઆઈડી સર્કલથી સંજીવની હોસ્પિટલ તરફના રોડ પર પહોંચ્યો ત્યારે પિકઅપ વાને વ્રજને ટક્કર મારી હતી, જેથી જમીન પર પટકાતાં ગંભીર ઇજાને કારણે તેનું મૃત્યુ
થયું હતું.

ઘટના 2 | બીજી ઘટનામાં નારોલમાં રહેતા 69 વર્ષીય જવાનમલ રાવલ સોમવારે સવારે અસલાલીથી નારોલ જવાના રોડ પર મહાકાળી ઢાબાની પાસેથી રોડ ક્રોસ કરી રહ્યા હતા તે સમયે આઈસરે તેમને અડફેટે લીધા હતા, જેને કારણે જવાનમલ રાવલનું ઘટના સ્થળે જ મોત
નીપજ્યું હતું.

ઘટના 3 | સાણંદમાં રહેતા 52 વર્ષીય મનુભાઈ વાણિયા ધરણીધર દેરાસર બીઆરટીએસ બસ સ્ટેન્ડ પાસેથી ચાલીને જઈ રહ્યા હતા ત્યારે કારચાલકે તેમને ટક્કર મારતા તેઓ રોડ પર પટકાયા હતા. તેમને ઇજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલ લઈ જવાયા હતા, જ્યાં ત્રણ દિવસની સારવાર બાદ તેમનું મૃત્યુ
થયું હતું.

ઘટના 4 | ગોમતીપુરમાં રહેતા 30 વર્ષીય લેબર કોન્ટ્રાક્ટર વિજય પારધી મંગળવારે વહેલી સવારે સુખરામનગર સંત વિનોભા ભાવે નગર પાસેથી ચાલતા પસાર થઈ રહ્યા હતા. તે સમયે એએમસીના ડમ્પર ચાલકે વિજયભાઈને ટક્કર મારી હતી, જેથી તેઓ આઠ ફૂંટ હવામાં ફંગોળાઈને જમીન પર પટકાતાં તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગુજરાત બોર્ડની બેદરકારી: પહેલા જાહેર રજાના દિવસે પરીક્ષા ગોઠવી, પછી ભુલ સુધારી તારીખ બદલી

ગાંધીનગર : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે. 4 માર્ચ 2026ના દિવસે ધુળેટીનો જાહેર રજા દિવસ હોવા છતાં...

ગુજરાત પોલીસની અનોખી પહેલને બહોળો પ્રતિસાદ, 18.05 લાખથી વધુ રકમનો દંડ ઓનલાઇન મારફતે ભરાયો

ગાંધીનગર : રાજ્યમાં ટ્રાફિક નિયમ ભંગના ઇ-ચલણ પેટે દંડની રકમ ભરવાની પ્રક્રિયાને વધુ સરળ અને ડિજિટલ બનાવવા માટે ગુજરાત પોલીસે એક મહત્વપૂર્ણ પહેલ કરી...

CMની સંવેદનશીલતા : એક દીકરીના લગ્નનો પ્રસંગ બગડતો અટકાવવા CMએ પોતાના કાર્યક્રમનું સ્થળ તુરંત બદલી નાખ્યું

જામનગર : વહીવટ વ્યક્તિ લક્ષી મટીને જ્યારે પ્રજાલક્ષી બને છે ત્યારે સરકાર પ્રત્યે પ્રજામાં પણ પોતિકાપણાની ભાવના જાગે છે. આવો જ અભિગમ ગુજરાતના મુખ્ય...

ગુજરાત પોલીસની ટેક-પહેલ: ટ્રાફિક મેનેજમેન્ટ માટે સ્વદેશી ‘Mapmyindia’ સાથે MoU

ગાંધીનગર : ગુજરાતમાં રોડ સેફ્ટી અને ટ્રાફિક મેનેજમેન્ટ (Road Safety & Traffic Management) અંગે એક મહત્વપૂર્ણ પહેલ અંતર્ગત, ગુજરાત પોલીસ અને સ્વદેશી એપ મેપલ્સ...

મહેસૂલ વિભાગમાં ક્લાસ-3 ની પોસ્ટ માટે ભરતી આવી, જાણો ક્યારથી અને કેવી રીતે ભરાશે ફોર્મ

ગાંધીનગર : રાજ્ય સરકાર દ્વારા વધુ એક ભરતી બહાર પાડવામાં આવી છે. મહેસુલ વિભાગમાં બે અલગ અલગ પોસ્ટ ઉપર 400થી વધુ જગ્યા ઉપર ભરતી...

દિલ્હી બ્લાસ્ટ બાદ ગુજરાત પોલીસ એક્શન મોડમાં, DGP વિકાસ સહાયે આપ્યા મહત્વના આદેશ

ગાંધીનગર : રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયની અધ્યક્ષતામાં આજે પોલીસ ભવન ખાતેથી વીડિયો કોન્ફરન્સ દ્વારા રાજ્યના તમામ યુનિટ વડાઓ, શહેર પોલીસ કમિશનરો અને જિલ્લાઓના...

વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર : નર્સિંગ માટે એક વર્ષનો વિશેષ ‘પોસ્ટ બેઝિક ડિપ્લોમા’ કોર્સ શરૂ

ગાંધીનગર : ગુજરાતના નાગરિકોને હોસ્પિટલોમાં ગુણવત્તાસભર અને અદ્યતન સારવાર મળી રહે તે સુનિશ્ચિત કરવા માટે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં...

ગાંધીનગર એસઓજીના કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું, આત્મહત્યાનું કારણ અકબંધ

ગાંધીનગર : એસઓજીમાં ફરજ બજાવતા એક પોલીસ કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. બનાવના પગલે પોલીસ બેડામાં શોકનું મોજું ફરી વળ્યું હતું. પ્રાપ્ત માહિતી...