Sunday, November 9, 2025

અમદાવાદીઓ નંબર નોંધી લો : વરસાદમાં પાણી ભરાય, ઝાડ પડે કે રોડ બેસી જાય તો વોટ્સએપ નંબર ઉપર AMCને ફરિયાદ કરો

spot_img
Share

અમદાવાદ : આગામી ચોમાસાને ધ્યાનમાં રાખી AMC તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે જેના ભાગરૂપે પાલડી સંસ્કાર કેન્દ્ર ખાતે મોનસુન કંટ્રોલરૂમ પણ શરૂ કરવામાં આવ્યો છે. ભારેથી અતિભારે વરસાદ પવન ના કારણે શહેરમાં પાણી ભરાવવાથી લઈ ઝાડ પડવા સહિતની સમસ્યાઓમાં નાગરિકોને પડતી હાલાકી અને સમસ્યાનો ત્વરિત નિકાલ થાય તેના માટે વોટ્સએપ નંબર જાહેર કરવામાં આવ્યો છે. AMCના મોનસુન કંટ્રોલ રૂમના વોટ્સએપ નંબર 9978355303 પર ફરિયાદો નોંધાવી શકશે.

AMC દ્વારા ચોમાસાની સીઝનમાં ભારે કે અતિ ભારે વરસાદ કે ભારે પવન તેમજ વાવાઝોડા સાથે વરસતા વરસાદના સંજોગોમાં ઝાડ પડવાના, ભુવા પડવાના બ્રેક ડાઉન થવાના, રસ્તા બેસી જવાના, ભયજનક મકાનો પડી જવા, નિચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવવા જેવી સમસ્યાઓના નિરાકરણ માટે મુખ્ય કંટ્રોલ સહિત જુદા જુદા ઝોનમાં ઈજનેર, એસ.ટી.પી., બગીચા ખાતા તેમજ ફાયર બ્રિગેડ સહિત કુલ 25 કંટ્રોલરૂમ કાર્યરત કરવામાં આવ્યા છે.સમગ્ર શહેરમાં ચોમાસાને લગતી કોઈપણ પ્રકારની ફરિયાદોના નિકાલ માટેની સંકલનની 24 કલાક ખડેપગે કામગીરી હાથ ધરવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

ચોમાસા દરમ્યાન નિચાણવાળા વિસ્તારોમાં ભરાતા વરસાદી પાણીના નિકાલ માટે એસ.ટી.પી. ખાતેથી નારીકેટ કેનાલ ઉપર બનાવવામાં આવેલ જુદા જુદા સમ્પ ઉપર પંપો તેમજ સ્ટ્રોમ વોટર ડ્રેનેજ પંપીંગ સ્ટેશનોમાં, જુદા જુદા અન્ડર પાસમાં પંપો તેમજ વર્કશોપ ખાતાના નાના મોટા પંપો દ્વારા વરસાદી પાણીનાં નિકાલ માટે તૈયાર રાખવામાં આવ્યા છે. ચાલુ વર્ષે ચોમાસાની ઋતુ લો પ્રેશરના કારણે વહેલી ઉદ્ભવેલ વરસાદી પરિસ્થિતને પહોંચી વળવા 27 મેથી સંસ્કાર કેન્દ્ર પાલડી ખાતે મોનસૂન કંટ્રોલ રૂમ અને કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગરમાં 3 પેટ્રોલ પંપના માલિકની બે દીકરીઓના મૃતદેહ કેનાલમાંથી મળ્યા, પિતા હજુ ગુમ

ગાંધીનગર : ગાંધીનગરથી મોટા સમાચાર સામે આવ્યા છે. ૩ પેટ્રોલ પંપ માલિકે પોતાની બે માસુમ દીકરીઓ સાથે કેનાલમાં કૂદીનો આપઘાત કરી લીધો છે. દીકરીઓના...

હવે આંગળીના ટેરવે દારૂની પરમિટ, મોબાઇલ એપ દ્વારા પરમિટની પ્રોસેસ સરળ બનાવવા ભર્યું મોટું પગલું

ગાંધીનગર : પ્રવાસનના નામે ખુદ ગુજરાત સરકાર જ દારૂને પ્રોત્સાહન આપી રહી હોય તેવુ ચિત્ર ઉપસ્યુ છે. દારૂ પર પ્રતિબંધને કારણે, ગુજરાતની મુલાકાત લેતા...

કોચિંગ કલાસો 16 વર્ષથી ઓછી વયના બાળકોને પ્રવેશ નહિ આપી શકે, વટહુકમની તૈયારી

ગાંધીનગર : ગુજરાત વિધાનસભાના શિયાળુ સત્ર દરમિયાન કોચિંગ ક્લાસિસની નોંધણી, સલામતી વિદ્યાર્થીઓની પ્રવેશ અને કામકાજના કલાકો સહિતના વિવિધ પાસાઓને નિયંત્રિત કરવા માટે વટહુકમ બહાર...

ગિરનારની લીલી પરિક્રમા બંધ છતાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું, એક જ દિવસની છૂટ આપો

જૂનાગઢ : હિંદુ ધર્મમાં આસ્થાનું કેન્દ્ર અને લાખો ભાવિકોની ભક્તિ સમાન ગિરનારની લીલી પરિક્રમા કમોસમી વરસાદને કારણે બંધ છતાં જૂનાગઢમાં લાખો ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું...

ગિરનારથી મોટી ખબર, આ વર્ષે નહિ થાય લીલી પરિક્રમા, આ કારણે સ્થગિત કરવાનો નિર્ણય લેવાયો

જુનાગઢ : ગિરનારની લીલી પરિક્રમા અંગે સૌથી મોટા સમાચાર આવ્યા છે. આખરે ગિરનાર લીલી પરિક્રમા સ્થગિત કરાઈ છે. વરસાદને કારણે પરિક્રમા રૂટ ખરાબ હોવાથી...

જન્મ-મરણના દાખલાને લઈને મોટો આદેશ, ડિજિટલ સિગ્નેચર ધરાવતા પ્રમાણપત્રો પુરાવા તરીકે માન્ય

ગાંધીનગર : રાજ્યમાં કાર્યરત તમામ સરકારી, અર્ધ-સરકારી અને અન્ય કચેરીઓએ ડિજિટલ સિગ્નેચર ધરાવતા જન્મ-મરણના પ્રમાણપત્રનો તમામ પ્રકારની કાર્યવાહી માટે માન્ય પુરાવા તરીકે ફરજીયાત સ્વીકારવા...

I-PRAGATI ફરિયાદીને પોતાના કેસની અપડેટ હવે ઘરે બેઠા મળશે, પોલીસ સ્ટેશનના ચક્કરમાંથી મળી મુક્તિ

ગાંધીનગર : રાજ્યના નાગરિકોને પોતાના પોલીસ કેસ સંદર્ભે થયેલી પ્રગતિના અપડેટ મેળવવા માટે વારંવાર પોલીસ સ્ટેશનના ચક્કર ન લગાવવા પડે તેવા ઉદ્દેશ્ય સાથે રાજ્યના...

નવા મંત્રીમંડળની શપથવિધિ સંપન્ન, કયા મંત્રીઓને કેબિનેટ, રાજ્યકક્ષા અને સ્વતંત્ર હવાલો સોંપાયો? જાણો વિગતે

ગાંધીનગર : ગુજરાતના રાજકારણમાં આજે એક મહત્વનો દિવસ રહ્યો, જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાની હેઠળના મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું. ગાંધીનગરના મહાત્મા મંદિરમાં યોજાયેલા ભવ્ય...